શોધખોળ કરો

સુરતમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત, હાર્ટ એટેકથી મોતની આશંકા, તમામની ઉંમર 20થી 40 વર્ષની વચ્ચે

છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની મોતનો સિલસિલો યથાવત છે. ક્ષમતા કરતા વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા આવા બનાવો બને છે.

Death From Heart Attack: હાલમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી નાની વયે મોતના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં જુદા જુદા જુદા બનાવમાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે. પાંડેસરા, હજીરા અને પુણા વિસ્તારમાં પાંચ વ્યક્તિઓ અચાનક જ ઢળી પડ્યાના સમાચાર મળ્યા છે. જે લોકોના મોત થયા છે તે તમામની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોના મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની મોતનો સિલસિલો યથાવત છે. ક્ષમતા કરતા વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા આવા બનાવો બને છે.

પાડેસરમાં પુત્રી સાથે મસ્તી કરતા બ્રિજરાજ સિંહ ઢળી પડ્યો હતો. 

પાડેસરમાં રહેતો જીતુ પ્રજાપતિને ગભરામણ થઈ હતી.

હજીરામાં રહેતો સરોજ દાસ એકાએક બેભાન થઈ ગયો હતો.

હજીરામાં રહેતો સંતોષ કૌશિક રાતે સુઈ ગયા બાદ ઉઠ્યો નહિ.

પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો નીતિન દવે વોટર પાર્કમાં બેભાન થઈ ગયો હતો. 

હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, માત્ર પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસોમાં 12.5% ​​નો વધારો થયો છે. ચાલો જાણીએ સરકારી આંકડા શું કહે છે અને હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ...

હાર્ટ એટેકથી મૃત્યુઆંક

સરકારી આંકડા અનુસાર, 2022માં હાર્ટ એટેકના કારણે 32,457 લોકોના મોત થયા હતા, જ્યારે 2021માં હાર્ટ એટેકના કારણે 28,413 લોકોના મોત થયા હતા. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, 2022માં જ હાર્ટ એટેક અચાનક મૃત્યુનું ગંભીર કારણ બની ગયું છે. 2020 માં, 28,579 લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ 2021 માં આ સંખ્યા ઘટીને 28,413 પર પહોંચી હતી પરંતુ 2022 માં તે ફરી વધી અને સંખ્યા વધીને 32,457 થઈ ગઈ.
 
હાર્ટ એટેકથી બચવાના ઉપાયો

1. જીવનશૈલીમાં ફેરફાર કરો.

2. માત્ર સ્વસ્થ આહાર અપનાવો. વધારાની ચરબી, તેલ, માંસ ટાળો, તમારા આહારમાં લીલા શાકભાજી, ફળો, બદામ, માછલીનો સમાવેશ કરો.

3. સિગારેટ અને આલ્કોહોલનું વધુ પડતું સેવન ટાળો.

4. બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ નોર્મલ રાખવાનો પ્રયાસ કરો.

5. નિયમિત કસરત કરો. શરીરનું વજન વધવા ન દો.

6. ધ્યાન, શ્વાસ લેવાની તકનીકો અને યોગનો અભ્યાસ કરો.

7. સમય સમય પર ડૉક્ટર દ્વારા તમારી જાતને તપાસો.

હૃદયના સ્વાસ્થ્ય માટે શું ટાળવું જોઈએ

1. હૃદય માટે હાનિકારક ખોરાકનું સેવન ન કરો.

2. વધારે મીઠું વાળી વસ્તુઓ ન ખાવી.

3. શુદ્ધ ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સ ટાળો.

4. પ્રોસેસ્ડ ફૂડ ટાળો.

5. સંતૃપ્ત ચરબીવાળા ખોરાકનું સેવન ન કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગરમીમાંથી મળશે રાહતઃ આ તારીખે કેરળમાં થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે જણાવી તારીખ
ગરમીમાંથી મળશે રાહતઃ આ તારીખે કેરળમાં થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે જણાવી તારીખ
વર્ષે 10 લાખની આવક હશે તો પણ એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો નહીં પડે, આ રીતે કરો બચત!
વર્ષે 10 લાખની આવક હશે તો પણ એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો નહીં પડે, આ રીતે કરો બચત!
આયુષ્માન કાર્ડ બનાવ્યા પછી મફત સારવાર કેવી રીતે મેળવવી? અહીં જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આયુષ્માન કાર્ડ બનાવ્યા પછી મફત સારવાર કેવી રીતે મેળવવી? અહીં જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
વધુ પડતું મીઠું ખાનારા સાવધાન! યુરોપમાં દરરોજ 10,000 લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે! WHOએ આપી ચેતવણી
વધુ પડતું મીઠું ખાનારા સાવધાન! યુરોપમાં દરરોજ 10,000 લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે! WHOએ આપી ચેતવણી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Saurashtra Lighting Strike | જીવલેણ વીજળી! | સૌરાષ્ટ્રમાં 5 લોકોને ભરખી ગઈSaurashtra Rain | સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધુંઆધાર વરસાદ , જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?Hun To Bolish | હું તો બોલીશ | મોતના ખાડા કોનું પાપ?Kutch Rain | કચ્છમાં રસ્તો બેટમાં ફેરવાયો | લોકો જોવા ઉમટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગરમીમાંથી મળશે રાહતઃ આ તારીખે કેરળમાં થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે જણાવી તારીખ
ગરમીમાંથી મળશે રાહતઃ આ તારીખે કેરળમાં થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે જણાવી તારીખ
વર્ષે 10 લાખની આવક હશે તો પણ એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો નહીં પડે, આ રીતે કરો બચત!
વર્ષે 10 લાખની આવક હશે તો પણ એક રૂપિયાનો ટેક્સ ચૂકવવો નહીં પડે, આ રીતે કરો બચત!
આયુષ્માન કાર્ડ બનાવ્યા પછી મફત સારવાર કેવી રીતે મેળવવી? અહીં જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આયુષ્માન કાર્ડ બનાવ્યા પછી મફત સારવાર કેવી રીતે મેળવવી? અહીં જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
વધુ પડતું મીઠું ખાનારા સાવધાન! યુરોપમાં દરરોજ 10,000 લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે! WHOએ આપી ચેતવણી
વધુ પડતું મીઠું ખાનારા સાવધાન! યુરોપમાં દરરોજ 10,000 લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે! WHOએ આપી ચેતવણી
કામની વાતઃ હેલ્થ ચેકઅપ પર પણ મળે છે ટેક્સ છૂટ, જાણો કેટલી રકમનો દાવો કરી શકાય છે
કામની વાતઃ હેલ્થ ચેકઅપ પર પણ મળે છે ટેક્સ છૂટ, જાણો કેટલી રકમનો દાવો કરી શકાય છે
Lighting: ગુજરાતમાં વીજળી પડતા 5 લોકોનાં મોત,  અમરેલીમાં મહિલા ઘાયલ
Lighting: ગુજરાતમાં વીજળી પડતા 5 લોકોનાં મોત, અમરેલીમાં મહિલા ઘાયલ
ધોરણ-12 પાસ માટે સેનામાં અધિકારી બનવાની તક, UPSC NDA-2 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ
ધોરણ-12 પાસ માટે સેનામાં અધિકારી બનવાની તક, UPSC NDA-2 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ
Monsoon Date: ગરમીથી જલદી મળશે રાહક, ક્યારે આવશે ચોમાસું – IMD એ જાહેર કરી તારીખ
Monsoon Date: ગરમીથી જલદી મળશે રાહક, ક્યારે આવશે ચોમાસું – IMD એ જાહેર કરી તારીખ
Embed widget