![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat News: સુરતમાં એરપોર્ટ ઓથોરિટીનાં અધિકારીનું હાર્ટ એટેકથી મોત, BP અને કોલેસ્ટ્રોલની હતી બીમારી
અધિકારીને તેના ડુમસ નિવાસ્થાન ખાતે એટેક આવ્યો હતો. આગાઉ પણ છાતીમાં દુખાવો થયો હતો.
![Surat News: સુરતમાં એરપોર્ટ ઓથોરિટીનાં અધિકારીનું હાર્ટ એટેકથી મોત, BP અને કોલેસ્ટ્રોલની હતી બીમારી Surat News: Airport Authority official in Surat dies of heart attack, BP and cholesterol disease Surat News: સુરતમાં એરપોર્ટ ઓથોરિટીનાં અધિકારીનું હાર્ટ એટેકથી મોત, BP અને કોલેસ્ટ્રોલની હતી બીમારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/4a86d026a667ded1e6b20c049ea55daa170382623051775_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Death by Heart Attack: સુરત એરપોર્ટ ઓથોરિટીનાં સિનિયર સુપ્રિડેન્ટંટ મોલિન્સ ક્રિશ્ચિયનનું હાર્ટ એટેકથી નિધન થયુ છે. 46 વર્ષીય અધિકારી મોલિન્સ ક્રિશ્ચિયન પોતાના નિવાસસ્થાને હતા. આ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે એ પહેલા જ નિધન થયું હતું.
અધિકારીને તેના ડુમસ નિવાસ્થાન ખાતે એટેક આવ્યો હતો. આગાઉ પણ છાતીમાં દુખાવો થયો હતો. મૃતક ને BP કોલેસ્ટ્રોલની બીમારી હતી. મોતનું કારણ જાણવા મૃતકનું PM કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધી ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.
હાર્ટ એટેક શું છે
હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.
યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)