શોધખોળ કરો

Surat News: સિટી બસ ફરી કાળમુખી બની, એક જ પરિવારના ત્રણ લોકોને લીધા અડફેટે, એકનું મોત

Latest Surat News: બસ ચાલાક અકસ્માત સર્જી બસ મૂકી ફરાર થઈ ગયો હતો. સચિન GIDC પોલીસ એ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Surat News: સુરત શહેરમાં બસ ચાલકોનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં મ્યુનિ. સંચાલિત સીટી અને બીઆરટીએસ કેટલાક બસના ચાલકો બેફામ અને પૂરઝડપે બસ હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે.  શહેરના ખજોદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની હતી. એક જ પરિવારના ત્રણ લોકોને અડફટે લીધા હતા. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. બસ ચાલાક અકસ્માત સર્જી બસ મૂકી ફરાર થઈ ગયો હતો. સચિન GIDC પોલીસ એ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સચિનમાં પણ અકસ્માત

સચિન જીઆઇડીસી ખાતે સીટી બસે બાઇકને ટક્કર મારતા ઇજા પામેલા ત્રણ વ્યકિત પૈકી યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે મજુરી કામ કરનાર ભાઇ અને તેની બહેનને નાની મોટી ઈજા થઇ હતી. જયારે બીજા બનાવમાં લસકાણામાં શુક્રવારે સાંજે બીઆરટીએસ બસે અડફેટે લેતા તરૃણીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. નવસારીમાં વિજલપોર ખાતે ક્રિષ્ણા નગરમાં રહેતો 28 વર્ષીય શિવાપ્રતાપ ગણેશપ્રસાદ સોનકર  શુક્રવારે સાંજે સચિન તલંગપૂર ખાતે તેમના સંબંધીની બાંધકામ સાઈટ પરથી મજૂર કામ કરતો કુમાર લસીયા ડાવર (ઉ.વ.20 અને તેની બહેન કીચપા ડાવર (ઉ.વ.16 -બંને રહે-ખજોદગામ બાંધકામ સાઇડ પર) બાઈક બેસાડીને ખજોદ ખાતે મુકવા જવા નીકળ્યો હતો. તે સમયે સચિન જીઆઇડીસીમાં ગીંજા મીલ તરફથી જતા રામેશ્વર કોલોની ગભેણી રોડ ઉપર બ્લ્યુ કલરની સીટી બસના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા શિવાપ્રતાપ અને કુમારને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન શિવાપ્રતાપનું મોત થયુ હતુ. જયારે કુમાર ડાવરને નવી સિવિલમાં દાખલ કર્યો છે. અને તેની બહેનને સામાન્ય ઇજા થઇ હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે શિવાપ્રતાપ મુળ ઉતરપ્રદેશનો વતની હતો. તેના છ મહિના પહેલા લગ્ન થયા હતા. જયારે 10-15 દિવસ પહેલા સુરત આવ્યો હતો. ઇજા પામેલા ભાઇ-બહેન મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની છે. તે અને તેમના પિતા બાંધકામ સાઇટ ઉપર મજુરી કામ કરે છે. આ અંગે સચિન જીઆઆઈડીસી પોલીસે બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Ram Mandir: ઓફિસ-સ્કૂલોમાં રજાની જાહેરાત, શરાબ-માંસની દુકાનો રહેશે બંધ... જાણો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કયા રાજ્યમાં શું રહેશે નિયમ



વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget