શોધખોળ કરો

સુરતમાં ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા, મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના

ઇન્કમટેક્સના 100થી પણ વધુ અધિકારીઓ દરોડા ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.

Surat News: સુરતમાં ઇન્કમટેક્સ વિભાગે ત્રણ ગ્રુપના 35થી પણ વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. પાર્થ ગ્રુપ ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા પાડ્યા છે. સુરતના દરોડા ઓપરેશનના સંદર્ભમાં રાજકોટમાં પણ બે જગ્યાએ સર્વે કરવામાં  આવી રહ્યો છે. ઇન્કમટેક્સના 100થી પણ વધુ અધિકારીઓ દરોડા ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહીથી અન્ય ડાયમંડ ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.

વર્ષ 2020માં સમગ્ર વિશ્વમાં કોરોનાની ભયંકર લહેર આવી, આ દરમિયાન ભારત સહિતના કેટલાય દેશોમાં મોટા પાયે દર્દીઓ મૃત્યુ પામ્યા અને કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ દરમિયાન ફાઇનાન્સિયલ કેટલીય લેવડદેવડ થઇ હતી, જોકે, આ મામલે હવે ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે, રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં એકસાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરતાં કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી પ્રમાણે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોરોના કાળની લેવડદેવડને ધ્યાનમાં લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં એક સાથે 5 હજાર નૉટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. આટલી બધી મોટી સંખ્યામાં ઇન્કમટેક્સ વિભાગની નૉટિસ ઇશ્યૂ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના સમયની કમાણીને લઈને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડૉક્ટરો-તબીબોને પણ નૉટિસો ફટકારવામાં આવી છે. આ લિસ્ટમાં ડૉક્ટરો ઉપરાંત ઉદ્યોગપતિઓ, સોની વેપારીઓ સહિતાના લોકો સામેલ છે, આ તમામ લોકોને નૉટિસ ફટકારીને ખુલાસો પુછવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, આઇટી વિભાગની આ કામગીરીમાં એક હજારથી વધુ તબીબોને પણ નૉટિસ મોકલવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આવી રીતે ધડાધડ નૉટિસ ઇશ્યૂ થતાં કરદાતાઓમાં દોડધામ મચી ગઇ છે.

ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગો પર આવકવેરા વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થતાની સાથે જ ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટી બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ

RBI માં નોકરી કરવાની તક, આસિસ્ટન્ટની પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પડી, આજથી અરજી કરી શકાશે             

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Hun To Bolish: હું તો બોલીશ : ભેળસેળિયાઓનું જેલ જવાનું નક્કી !
Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Fix Pay employees chat viral : હમણા કરપ્શન કરતા નહીં , ફિક્સ પે કર્મીઓના ગ્રુપની વાયરલ ચેટથી હડકંપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Supreme Court: 'પતિ-પત્નીના ઝઘડામાં તરત જ ધરપકડ નહીં', અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટની મંજૂરી
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
Embed widget