શોધખોળ કરો

Surat: માતા-પિતા માટે લાલબત્તી કિસ્સો, સુરતમાં રેલવે ટ્રેક પર રમતા બે બાળકોના ટ્રેનની અડફેટે મોત

Surat: બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા જેના કારણે ટ્રેનની અડફેટે તેઓનું મોત થયું હતું.

Surat: સુરતમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર શહેરના સચિન વિસ્તારમાં રમતા રમતા રેલવે ટ્રેક પર જતા ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયા હતા. સચિન વિસ્તારમાં રહેતા પ્રિન્સ શર્મા અને લોકેશ યાદવ નામના બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા જેના કારણે ટ્રેનની અડફેટે તેઓનું મોત થયું હતું.

મૃતક લોકેશનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. મૃતક પ્રિન્સનો પરિવાર બિહારનો વતની છે. મૃતક લોકેશ અને પ્રિન્સ બન્ને ધોરણ 8માં અભ્યાસ કરતો હતા. રમતા રમતા રેલવે ટ્રેક પર જતાં રહ્યાં હતાં. બન્ને બાળકોના ટ્રેન અડફેટે આવતા મોત થયું હતું. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છે. પ્રિન્સના પિતા દુબઇમાં કામ કરે છે જ્યારે લોકેશ યાદવના પિતા લુમ્સ કારીગર છે. હાલ આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકોના મોતનું કારણ જાણી શકાશે. હાલ પોલીસે આ અંગેનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

મળતી  જાણકારી અનુસાર, સુરત સચિન જીઆઈડીસીમાંથી ગુમ બે કિશોર વિદ્યાર્થી 7 કલાક બાદ રેલવે ટ્રેક ઉપરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંન્ને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા અને સારા મિત્રો હતા.

સચિન જીઆઈડીસીમાં રહેતા પ્રિન્સ અને લોકેશ નામના બે કિશોર વયના બાળકોના મોત થયા છે. પ્રિન્સના પરિવારે કહ્યું હતું કે પ્રિન્સ રાજેશ્વર શર્મા સચિન જીઆઈડીસીમાં રહેતો હતો. તેના પિતા રાજેશ્વર શર્મા દુબઇમાં કારપેન્ટર તરીકે કામ કરે છે. છેલ્લા એક વર્ષથી રાજેશ્વર વિદેશમાં નોકરી કરી રહ્યા છે. પ્રિન્સ માતા અને નાની બહેન સાથે સચિન જીઆઈડીસીમાં રહેતો હતો.

વાસ્તવમાં ઘટના રવિવારની બપોરની છે. પ્રિન્સ અને તેનો મિત્ર અચાનક ગુમ થઈ ગયા હતા. ઘણી શોધખોળ બાદ પણ જાણ ન થતા પોલીસને આ અંગેની જાણ કરાઇ હતી. લગભગ 7 કલાક બાદ જાણ થઇ હતી કે બંન્નેના મૃતદેહ સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમમાં હોવાનું અને ટ્રેન અડફેટે તેઓનું મોત થયાની પરિવારને જાણ થઇ હતી. બીજા બાળક લોકેશના પિતા સંતોષ યાદવે જણાવ્યું હતું કે પોલીસ કહે છે બન્ને મિત્રો ટ્રેન અડફેટે આવ્યા બાદ માથામાં ગંભીર ઇજા થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
સુરતમાં આંતરધર્મીય પ્રેમલગ્નનો કરુણ અંજામ: ચારિત્ર્યની શંકામાં સરફરાઝે પત્ની પૂજાને ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખી!
સુરતમાં કાળઝાળ ગરમી: બાળકોને હીટવેવથી બચાવવા શિક્ષણ વિભાગ એક્શનમાં, જાણો 5 નવી ગાઈડલાઈન
સુરતમાં કાળઝાળ ગરમી: બાળકોને હીટવેવથી બચાવવા શિક્ષણ વિભાગ એક્શનમાં, જાણો 5 નવી ગાઈડલાઈન
સુરતમાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ: ઉદ્યોગપતિ અલ્પેશ રૂડાણી સામે મિત્રની જ પત્ની પર રેપની ફરિયાદ
સુરતમાં હાઈપ્રોફાઈલ દુષ્કર્મ: ઉદ્યોગપતિ અલ્પેશ રૂડાણી સામે મિત્રની જ પત્ની પર રેપની ફરિયાદ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
Embed widget