શોધખોળ કરો

Water Cut: સુરતના આ ત્રણ ઝૉનમા આવતીકાલે પાણીકાપ, 10 લાખ લોકોને નહીં મળે પાણી, જાણો કેમ ?

Water Cut: સુરતવાસીઓને વધુ એક માર સહન કરવો પડશે, ઉનાળાના આકરા તાપમાં હવે આવતીકાલથી ત્રણ ઝૉનમાં પાણી કાપ રહેશે

Water Cut News: રાજ્યમાં ઉનાળા (Summer) આકરો બન્યો છે, તાપમાનનો પારો 41 ડિગ્રીથી પણ ઉપર જઇ રહ્યો છે, ત્યારે હવે સુરતવાસીઓને આવા સમયે વધુ એક સમસ્યાનો (Water Cut Problems)સામનો કરવો પડશે. ખરેખરમાં, સુરતમાં (Surat) ત્રણ ઝૉનમાં આગામી દિવસોમાં પાણી કાપ રહેશે, આવતીકાલથી શહેરમાં કેટલાક ઠેકાણે વૉટર પ્લાન્ટ (Water Plant) તરફની મુખ્ય લાઇન લીકેજ થઇ હોવાનું સામે આવ્યુ છે, જેને રિપેરિંગ કરાતી હોવાથી શહેરમાં વરાછા, સરથાણા અને ઉધના વાસીઓને પાણી કાપનો સામનો કરવો પડશે.

મળતી માહિતી પ્રમાણે, સુરતવાસીઓને વધુ એક માર સહન કરવો પડશે, ઉનાળાના આકરા તાપમાં હવે આવતીકાલથી ત્રણ ઝૉનમાં પાણી કાપ (Water Cut) રહેશે. શહેરમાં વરાછા, સરથાણા અને ઉધનામાં આવતીકાલે પાણીકાપ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અહીં સીમાડા-વીટી નગર પાસે મુખ્ય લાઈનમાં લીકેજની કામગીરી શરૂ કરાઇ રહી છે, વાલક ઈન્ટેકવેલથી સીમાડા વૉટર પ્લાન્ટ તરફની લાઈનમાં લીકેજનું સમારકામ કરશે, જેના કારણે પાણીકાપ રહેશે. આ પાણીકાપના કારણે શહેરમાં ત્રણ ઝૉનના 10 લાખથી વધુ લોકોને અસર પહોંચશે. DGVCLના સીમાડા ફિડરનું સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી શટડાઉન રહેશે. સીમાડા ફિડરના શટડાઉનના કારણે વીજ પુરવઠો પણ બંધ રહેશે. 

હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, 20 દિવસનું વેકેશન કરાયું જાહેર, દિવાળી સુધી નહીં સુધરે સ્થિતિ

સુરત ડાયમંડ ઉદ્યોગમાં (surat diamond industry) મંદીનો માહોલ (slow down situation) છે, જેના કારણે રત્ન કલાકારોને 20 દિવસનું વેકેશન (vacation) આપવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના (Russia Ukraine war) કારણે હીરા ઉદ્યોગ પર માઠી અસર થઈ છે. એક્સપોર્ટ પણ ઘટી રહ્યું છે, અમેરિકામાં ખરીદી ઘટી રહી છે. આ ઉપરાંત ચાઇનામાં પણ હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે. દિવાળી (Diwali 2024) સુધી મંદી રહેવાની શક્યતા છે, જેને લઈ રત્નકલાકારોની હાલત કફોડી બની છે.

હીરા ઉદ્યોગમાં છેલ્લાં કેટલાંક સમયથી મંદીનું વાતાવરણ ઘેરાયેલું છે અને આ મંદી દિવાળી સુધી નહીં સુધરે એવું મંતવ્ય ઉદ્યોગના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આવા કપરા સમયે હીરા ઉદ્યોગના કારખાનેદારો, દલાલો સહિત ખાસ કરીને રત્નકલાકારોએ પરિસ્થિતિ મુજબ જીવનનિર્વાહ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

હીરા ઉદ્યોગમાં કેમ છે મંદી

હીરા ઉદ્યોગના અગ્રણી અને GJEPC ના પૂર્વ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકા, યુરોપ સહિત અન્ય દેશોમાં પોલીશ્ડ ડાયમંડની માગ નથી. જેના કારણે સુરતનો હીરાઉદ્યોગ મંદીના વમળોમાં ફસાયો છે. વિદેશમાં જો પોલીશ્ડ ડાયમંડની માગ નીકળે તો જ સ્થાનિક સ્તરે હીરાઉદ્યોગની સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા છે, પરંતુ આગામી દિવાળી સુધી વિદેશમાં પોલીશ્ડ ડાયમંડની માગ રહેવાની શક્યતા ઓછી વર્તાઇ રહી છે જેથી સુરતના હીરાઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જળવાયેલું રહે એવા સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે.

હીરા ઉદ્યોગની મંદીના કારણે સુરતના નાના-મોટા હીરા કારખાનેદારો, હીરા દલાલો તથા ખાસ કરીને રત્નકલાકારોએ મંદીને અનુરૂપ વ્યવસ્થા પ્રમાણે ચાલવાનું સૂચન કરાયું છે. જેમાં ખાસ કરીને જીવન પદ્ધતિ પણ પરિસ્થિતિ મુજબ, રાખવામાં આવે તો પરિવારની મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને મંદીમાંથી બહાર ભવિષ્યમાં આવી શકાશે.વિદેશોમાં પોલીશ્ડ ડાયમંડની માગના અભાવે સ્થાનિક સ્તરે મંદીના વમળો સર્જાયા છે .જેથી દલાલો- રત્ન કલાકારોએ પરિસ્થિતિ મુજબ જીવનનિર્વાહની વ્યવસ્થા ગોઠવવા દિનેશ નાવડિયાની અપીલ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget