શોધખોળ કરો

72 કલાક બાદ કાટમાળની નીચેથી સિગરેટ પીતો શખ્સ મળ્યો, જુઓ રેસ્ક્યુનો વીડિયો

સોમવારે (6 ફેબ્રુઆરી) તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપ બાદ અત્યાર સુધીમાં કુલ 15,000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે કુલ 65 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Turkiye Earthquake:સોમવારે (6 ફેબ્રુઆરી) તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપ બાદ અત્યાર સુધીમાં કુલ 15,000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે કુલ 65 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

 તુર્કી-સીરિયામાં સોમવારે (6 ફેબ્રુઆરી)ના રોજ આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકોના જીવ ગયા છે. આટલા ભયાનક અકસ્માત બાદ પણ તુર્કીના લોકોનો જુસ્સો જીવન પ્રત્યે ઓછો થયો નથી. 72 કલાકથી વધુ સમયથી કાટમાળ નીચે દટાયેલા લોકોનો  બચાવ એજ કહાણી દર્શાવી રહી છે.

તુર્કીના સંરક્ષણ મંત્રાલયે આ મામલે એક વીડિયો શેર કર્યો છે. શેર કરાયેલા વીડિયો અનુસાર, કાટમાળમાંથી બચાવી લેવામાં આવેલ એક વ્યક્તિ સિગારેટ પી રહ્યો હતો જ્યારે રેસ્ક્યુ ટીમે તેને કાટમાળમાંથી બહાર કાઢ્યો. બચાવકર્મીઓના ઇનકાર છતાં, તેણે તેની સિગારેટ પીવાનું બંધ કર્યું નહીં. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આર્મી કમાન્ડની એન્જિનિયરિંગ બટાલિયનની બચાવ ટીમે ગુરુવારે સવારે અદિયામાન ઉમુત એપાર્ટમેન્ટમાં અમારા નાગરિક સોનાર તુતેકીનને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા..

 તુર્કીમાં 15000 થી વધુ લોકોનાં મોત થયા છે

અહેવાલો અનુસાર, મધ્ય પૂર્વના આ બે દેશોમાં આવેલા ભૂકંપમાં કુલ 15,000 લોકોના મોત થયા હતા. એક અંદાજ મુજબ, એવું માનવામાં આવે છે કે અહીં કુલ 60 હજારથી વધુ લોકો ઘાયલ થયા હશે.

બંને દેશોની સરકારો પાસેથી મળેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ તુર્કીમાં આવેલા આ ભૂકંપમાં 12,391 લોકોના મોત થયા છે જ્યારે 62,914 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, સીરિયામાં મૃત્યુઆંક વધીને 3,486 થઈ ગયો છે, જ્યારે અહીં ઘાયલોની સંખ્યા 5,247ની આસપાસ છે.

PM Modi Speech in Lok Sabha: લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- 'EDનો આભાર માને વિપક્ષ, જેણે બધાને એક મંચ પર લાવી દીધા'

નવી દિલ્હીઃ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો  પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમના સ્વપ્નદ્રષ્ટા ભાષણમાં અમને અને કરોડો દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું છે. લોકસભામાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે EDએ તમામ વિપક્ષોને એક કરી દીધા છે. વિપક્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આભાર માનવો જોઇએ. વિપક્ષને ચૂંટણીના પરિણામો પણ એક કરી શક્યા ન હતા.

પીએમ મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિના સંબોધન સામે કોઈને કોઈ વાંધો નથી. કોઈએ તેની ટીકા પણ કરી નથી. તેમણે કહ્યું કે હું ખુશ છું કે કોઈએ વિરોધ નથી કર્યો, બધાએ સ્વીકાર્યું. પીએમ મોદીએ કહ્યું કે તેને સમગ્ર ગૃહની મંજૂરી મળી ગઈ છે. સભ્યોએ પોતપોતાની વિચારસરણી મુજબ પોતાની વાત રાખી હતી. આનાથી તેની સમજ અને ઇરાદા પણ પ્રગટ થયા હતા.

વડાપ્રધાને કહ્યું કે તે 10 વર્ષોમાં વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ એટલો નબળો હતો કે કોઈ સાંભળવા તૈયાર નહોતું. દરેક તકને મુશ્કેલીમાં ફેરવવી યુપીએની ઓળખ બની ગઈ છે. જ્યારે ટેક્નોલોજીનો યુગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો, તે જ સમયે તે 2જીમાં અટવાયેલો રહ્યો. જ્યારે પરમાણુ સમજૂતી પર ચર્ચા થઈ હતી, ત્યારે તે કેશ ફોર નોટમાં પડેલું હતું. 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી. CWG કૌભાંડમાં આખો દેશ દુનિયામાં કુખ્યાત થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે કેટલાક લોકો કૂદતા હતા. તેમણે કહ્યું કે ગઈ કાલે કેટલાક લોકોના ભાષણ બાદ આખી ઇકોસિસ્ટમ ઉછળી રહી હતી.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના મોટા નેતાઓએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. એક રીતે પીએમએ અધીર રંજન પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ ભાષણમાં કહ્યું કે દેશને મોટા કૌભાંડો અને સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારથી આઝાદી જોઈતી હતી, દેશને તે મળી રહ્યું છે. પોલિસી પેરાલિસિસમાંથી બહાર આવીને આજે દેશ ઝડપી વિકાસના માર્ગ પર છે. મને આશા હતી કે અમુક લોકો આવી બાબતોનો ચોક્કસ વિરોધ કરશે. પણ કોઈએ વિરોધ કર્યો નહીં.

વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે પડકારો વિનાનું જીવન નથી. ઘણા દેશોમાં ભારે મોંઘવારી છે. ખાવા-પીવાની કટોકટી છે. આ જ પરિસ્થિતિ આપણા પડોશમાં પણ છે. આવી સ્થિતિમાં કયો ભારતીય ગર્વ અનુભવતો નથી કે આવા સમયમાં પણ દેશ 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. આજે વિશ્વને ભારત પર વિશ્વાસ છે. આજે ભારતને વિશ્વના સમૃદ્ધ દેશોના G20 જૂથની અધ્યક્ષતાની તક પણ મળી છે. આ દેશ માટે ગર્વની વાત છે. પરંતુ મને લાગે છે કે કેટલાક લોકો આના કારણે દુઃખી છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget