શોધખોળ કરો

Gujarat Election 2022 : 'વફાદારીમાં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે', ભાજપના કયા ધારાસભ્યે કાઢ્યો બળાપો?

ભાજપની સેન્સ પ્રક્રિયા અગાઉ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની ચર્ચાસ્પદ પોસ્ટ સામે આવી છે. ફેસબુક પર શૈલેષ સોટ્ટાએ પોસ્ટ કરી છે. વફાદારી માં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે, પરિણામે  કલાકારો ફાવી જાય છે.

Gujarat Election : ભાજપની સેન્સ પ્રક્રિયા અગાઉ ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની ચર્ચાસ્પદ પોસ્ટ સામે આવી છે. ફેસબુક પર શૈલેષ સોટ્ટાએ પોસ્ટ કરી છે. 'વફાદારી માં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે, પરિણામે  કલાકારો ફાવી જાય છે'. આજે જિલ્લાના ડભોઇ વિધાનસભાની સેન્સ લેવાય તે પહેલા જ પોસ્ટ કરી હતી.

બીજી તરફ આજે અકોટા,રાવપુરા અને સયાજીગંજ બેઠક ની સેન્સ લેવાઈ રહી છે. રાવપુરા બેઠક પરથી પણ શૈલેષ સોટ્ટા પ્રબળ દાવેદાર હતા. શૈલેષ સોટ્ટાની પોસ્ટ થી ભાજપના કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 


Gujarat Election 2022 : 'વફાદારીમાં માહેર લોકો અદાકારીમાં હારી જાય છે', ભાજપના કયા ધારાસભ્યે કાઢ્યો બળાપો?

Gujarat Election 2022 : કોઈ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન નહિ પરંતુ ભાજપના કાર્યકર્તાને ટીકીટ આપવામાં આવેઃ કુમાર કાનાણી

સુરતઃ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની ટિકિટને લઈને પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ઉદ્યોગપતિને ટિકિટ આપવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગપતિઓને ટીકીટ કઇ રીતે આપવી જોઈએ. બુથના કાર્યકરોને જ ટીકીટ આપવી જોઈએ. જેની સાથે ભાજપને લેવા દેવા નથી તો શા માટે તેમને ઉમેદવારી નોંધાવવા દેવી જોઈએ. મારા વિસ્તારના લોકોના પ્રશ્નો મેં સાંભળ્યા છે.

તેમણે કહ્યું કે, વરાછા વિધાનસભા સાંભળવાનો સમય છે .હું 10 વર્ષથી પ્રતિનિધિત્વ કરું છું. મને વિશ્વાસ છે મને પસંદ કરાશે. મેં વરાછા વિસ્તારના લોકોના સમસ્યા સાંભળી. આશા રાખું કે ફરી વાર મને બીજેપી તક આપશે. કુમારભાઈએ ડાયમંડ ઉદ્યોગ પતિ દિનેશ નવડિય અંગે કહ્યું કે, બધાને પોતાની દાવેદારી કરવાનો અધિકાર છે , પરંતુ હું માનું છું કે ભાજપના કેટલાક નિયમો છે. ભાજપના જે કાર્યકર્તાઓ છે એમને સાંભળવાનો ભાજપનો નિયમ છે. 

તેમણે કહ્યું કે, કોઈ ઉદ્યોગપતિ આવે અને દાવેદારી માંગે એ મને યોગ્ય નહિ લાગતું. પરંતુ કોઈ ઉદ્યોગપતિ ને કેવી રીતે પ્રતિનિધિત્વ અપાય.  ઉદ્યોગપતિ બીજેપીનું કામ નહિ કર્યું કોઈ દિવસ. કાર્યકર્તાઓ કાયમ કામ કરે છે. કામ  માટે દોડે છે કાર્યકર્તાઓ. જે લોકોને ભાજપ સાથે જોડાવાનો કોઈ અધિકાર નથી તે ના ચાલે. અમિત શાહે કીધું છે કે  જીતે એ મારો ઉમેદવાર. 

અમિતભાઈ અથવા બીજા કે કઈ નિર્ણય લેશે એ યોગ્ય રહેશે એને હું સમર્થન આપીશ અને માનીશ. હું આજે નિરક્ષકો આગળ મારી વાત મૂકીશ રજૂઆત કરીશ. જે લોકો બીજેપી નું કામ નહિ કરતા એને તક શા માટે મળે. એટલે બધું વિચારી ઉમેદવાર પસંદ કરવામાં આવશે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કરી નિરીક્ષકોને રજૂઆત. કુમાર કનાની દ્વારા ઉદ્યોગપતી દિનેશ નવડિયાનો ખુલ્લે આમ વિરોધ કરાયો છે. કોઈ ઉદ્યોગપતિ કે બિઝનેસમેન નહિ પરંતુ ભાજપના કાર્યકર્તાને ટીકીટ આપવામાં આવે. ચૂંટણી જીતવી કાયમ અઘરી હોય છે. પરંતુ ભાજપ ના કાર્યકરો આ જંગ જીતવા તનતોડ મહેનત કરશે. હવે કે કઈ નિર્ણય આવશે એ માન્ય રખાશે.


સુરતની 12 વિધાનસભા પૈકી છ બેઠકો માટે ટિકિટ વાંચ્છુક ઉમેદવારોને આજે સાંભળવામાં આવ્યા. આજે સવારે 10 વાગ્યાથી 1 વાગ્યાથી વરાછા અને ઉધના બેઠક માટે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા. વરાછા વિધાનસભા માટે 15 અને ઉધના વિધાનસભા બેઠક માટે 17 દાવેદારોએ દાવેદારી નોંધાવી. દાવેદારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. હવે બીજા રાઉન્ડમાં 2 વાગ્યે મજુરા અને કરંજ વિધાનસભા બેઠક માટે દાવેદારોને સાંભળવાનું શરૂ કરાશે.

ઉધનામાંથી પ્રતિભા દેસાઈ, ત્રણ ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા સોમનાથ મરાઠે, સિદ્ધાર્થ સરદાર, મુળજી ઠક્કરે કરી રજુઆત. પૂર્વ શાસક પક્ષ નેતા ગીરજાશંકર મિશ્રા, ભાજપના લીગલ એડવાઈઝર વિનય શુક્લા. આ બેઠક ઉત્તર ગુજરાતના પાટીદારો અને હિન્દીભાષી મતદારોના પ્રભુત્વવાળી છે. હાલ સુરતની વરાછા અને ઉધના વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ. ભાજપની મહત્વની વરાછા બેઠક માટે ખેંચતાણ જેવી સ્થિતિ. વરાછા વિધાનસભા બેઠક માટે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ. કુમાર કાનાણી એ ઉદ્યોગપતિ ને ટીકીટ નહીં આપવા રજુઆત કરી.  તેની સામે હીરા ઉદ્યોગના વિવિધ સંગઠનોએ હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા ને ટીકીટ આપવાની માંગ સાથે કમલમ પહોંચ્યા. સુરત ડાયમંડ એસો, મિનિબજાર ડાયમંડબ્રોકર એસો, રત્નકલાકાર સંઘ સહિત અનેક સંસ્થા ના આગેવાનો દિનેશ નાવડીયા ને ટીકીટ આપવા રજુઆત કરવા પહોંચ્યા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
Embed widget