![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vadodara ના આ ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસ આવતા હાહાકાર, ગામમાં 31 માર્ચ સુધી લોકડાઉન
વડોદરા ગામની વાત કરીએ તો સાવલી, કોયલી, બાજવા, કોલીયાદ, ટીંબી, ડભોઇ, વાઘોડીયા, પાદરા, પોર, ડેસર સહિતના ગામોમાં નવા કેસ નોંધાયા છે.
![Vadodara ના આ ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસ આવતા હાહાકાર, ગામમાં 31 માર્ચ સુધી લોકડાઉન In this village of Vadodara, 47 corona cases were received in a single week, Lockdown in the village till March 31 Vadodara ના આ ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસ આવતા હાહાકાર, ગામમાં 31 માર્ચ સુધી લોકડાઉન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/16/502eaa3311869628ab6089778555eeec_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ખાનપુર ગામમાં કોરોનાનાં એક જ સપ્તાહમાં 47 કેસથી હાહાકાર મચ્યો છે. ગઇકાલે ગામમાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ગામનાં પટેલ ફળીયામાં જ 35થી વધુ કેસ સામે આવ્યા છે. જેને કારણે ગ્રામપંચાયતે ખાનપુર ગામને સ્વયંભૂ લોકડાઉન કર્યું છે.
આ સાથે પટેલ ફળીયામાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ગામમાં 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા ગામની વાત કરીએ તો સાવલી, કોયલી, બાજવા, કોલીયાદ, ટીંબી, ડભોઇ, વાઘોડીયા, પાદરા, પોર, ડેસર સહિતના ગામોમાં નવા કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1122 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. ગઈકાલે 775 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,71,433 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.54 ટકા પર પહોંચ્યો છે. હાલ 5310 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 લોકો વેન્ટિલેટર પર અને 5249 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4430 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે અત્યાર સુધી કુલ 2,81,176 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 315, અમદાવાદ કોર્પોરેશનમાં 264, રાજકોટ કોર્પોરેશનમાં 88, વડોદરા કોર્પોરેશનમાં 97, સુરતમાં 38, રાજકોટ-24, ભરુચ-21, મહેસાણા-19, જામનગર કોર્પોરેશન -18, ખેડા-18, પંચમહાલ-18, વડોદરા-17, ભાવનગર કોર્પોરેશન-15, ગાંધીનગર કોર્પોરેશન-14, કચ્છ-14, આણંદ-13, દાહોદ-12, નર્મદા-12, ગાંધીનગર-10, સાબરકાંઠામાં 10, છોટા ઉદેપુર-9, અમરેલી-8, જુનાગઢ કોર્પોરેશ-8, મહીસાગર-8, મોરબી-8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
સુરત કોર્પોરેશનમાં 205, અમદાવાદ કોર્પોરેશનમાં 205, વડોદરા કોર્પોરેશનમાં 75, રાજકોટ કોર્પોરેશનમાં 71, સુરતમાં 29, રાજકોટ-13, ભરુચ-22, મહેસાણા-11, જામનગર કોર્પોરેશન -4, ખેડા-12 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,71,145 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,54,662 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 67,734 લોકોને રસી આપવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)