શોધખોળ કરો

Lok Sabha: રંજનબેન ભટ્ટની પીછેહઠ બાદ હવે વડોદરા બેઠક પર કોણ-કોણ દાવેદાર ? આ 10 નામો ચર્ચામાં...

ગુજરાત ભાજપમાં અચાનક ટ્વીસ્ટ આવ્યું છે, આજે સવારે વડોદરા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે અચાનક એક સોશ્યલ મીડિયા શેર કરીને બધાને ચોંકાવી દીધા

Lok Sabha Election: ગુજરાત ભાજપમાં અચાનક ટ્વીસ્ટ આવ્યું છે, આજે સવારે વડોદરા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે અચાનક એક સોશ્યલ મીડિયા શેર કરીને બધાને ચોંકાવી દીધા, રંજનબેન ભટ્ટે આ પૉસ્ટમાં વડોદરા લોકસભા બેઠક પરથી નહીં લડવાની વાત કહી હતી. આ પછી રાજકીય માહોલ ગરમાયો છે. છેલ્લા 10 દિવસથી રંજનબેન વિરૂદ્ધમાં શહેર અને જિલ્લામાં પૉસ્ટર વૉર અને શાબ્દિક પ્રહારો શરૂ થયા હતા, જે પછી રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી મેદાનમાંથી પીછેહઠ કરી છે. 

રંજનબેન ભટ્ટની પીછેહઠ બાદ હવે નવા ઉમેદવારોને લઇને પણ ચર્ચાઓ શરૂ થઇ છે. કહેવાઇ રહ્યું છે કે ભાજપ રંજનબેન ભટ્ટની જગ્યાએ જ્યોતિબેનને ટિકીટ આપશે કે પછી અન્ય કોઇ નવા ચહેરાને લઇને મંથન થશે. રંજનબેન બાદ હવે કેટલાક નવા નામો પણ ચર્ચાઓ શરૂ થઇ છે. 

રંજનબેન ભટ્ટની પીછેહઠ બાદ વડોદરા લોકસભા બેઠક માટે દાવેદાર કોણ-કોણ ?

• મેયર પિન્કીબેન સોની

• શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ

• પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

• દંડક બાળકૃષ્ણ શુક્લ

• પૂૃવ સાંસદ જયાબેન ઠક્કર

• પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડયા

• સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી

• હેનાબેન ભૂપેન્દ્ર લાખાવાલા

• સુરેશ ધૂળાભાઈ પટેલ

• શબ્દશરણ બ્રહ્મભટ્ટ

ઉલ્લેખનીય છે કે, વડોદરા લોકસભા બેઠક માટે આ પહેલા હાથ ધરાયેલી સેન્સની પ્રક્રિયામાં કેટલાક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી. જોકે, પાર્ટીએ અંતે ચાલુ સાંસદ રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી. હવે ફરી એકવાર નવા નામોની ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે.  

 

રંજનબેન ભટ્ટે અચાનક કેમ છોડ્યું વડોદરાનું ચૂંટણી મેદાન, ખુદ રંજનબેને કર્યો ખુલાસો, શું કહ્યું જાણો....

રંજનબેન ભટ્ટે આજે સોશ્યલ મીડિયા પૉસ્ટ પર લખ્યું કે, 'હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.' -  આ પૉસ્ટમાં તેમને ચૂંટણી મેદાનમાં છોડવા મામલે અંગત કારણો દર્શાવ્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં અન્ય ચર્ચાઓ પણ શરૂ થઇ છે. 


Lok Sabha: રંજનબેન ભટ્ટે અચાનક કેમ છોડ્યું વડોદરાનું ચૂંટણી મેદાન, ખુદ રંજનબેને કર્યો ખુલાસો, શું કહ્યું જાણો....

વડોદરા લોકસભા ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ મળ્યા બાદ કેમ ચૂંટણી મેદાન અચાનક છોડ્યુ તે અંગે રંજનબેન ભટ્ટે મોટો દાવો કર્યો છે કે, મે જાતે જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. પક્ષના કહેવાથી નહીં, મારી મરજીથી ચૂંટણી નહીં લડું, મારી બદનામીથી મે ઉમેદવારી પરત ખેંછી છે. મારે હવે ચૂંટણી નથી લડવી. છેલ્લા 10 દિવસથી મારી બદનામી થઈ રહી છે. ભરત શાહે મને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. PMએ 10 વર્ષ વડોદરાની જનતાની સેવા કરવાની તક આપી, જે કઈ ચાલી રહ્યું હતું તે બધા જાણે છે. ચૂંટણી નહીં લડવાનો મે નિર્ણય કર્યો છે. મારા લોકોએ મને ખુબ જ પ્રેમ કર્યો છે. મને પાર્ટીએ ચૂંટણી નહીં લડવાનું કહ્યું નથી. 

આજે સવારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. વડોદરાના સાંસદ રંજનબેને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભાજપના જાહેર થયેલા ઉમેદવારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. પોતાની મરજીથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયનો રંજનબેન ભટ્ટનો દાવો છે. ઉમેદવાર જાહેર થતા જ વિવાદથી શરૂ થયો હતો અને આ કારણે રંજનબેને રણ છોડ્યુ છે. રંજનબેન ઉમેદવાર જાહેર થતા વિવાદો શરૂ થયા હતા. ઉમેદવાર જાહેર થતા જ બદનામી થતા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget