શોધખોળ કરો

મધ્ય ગુજરાતના આ ગામમાં મારું ગામ, કોરોના મુક્ત ગામનો ફિયાસ્કો, કેમ લોકો કોવિડ સેન્ટરમાં આઇસોલેટ થવા નથી તૈયાર?

વડોદરાના તલસટ ગામમાં કહેવા પૂરતું કોવિડ સેન્ટર ઉભું કરાયું છે. 10 બેડનું કોવિડ કેર સેન્ટર પ્રથમિક શાળામાં શરૂ કરાયું છે. જોકે, કોવિડ સેન્ટરમાં ડોક્ટર, નર્સ,  ઓક્સિજન કે વેન્ટિલેટર નથી.

વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બીજી લહેરમાં કોરોનાએ ગ્રામીણ વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણની સાતે મૃત્યુનું પ્રમાણ પણ વધુ છે. ત્યારે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા મારું ગામ, કોરોના મુક્ત ગામ નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  

આ અભિયાન અતંર્ગત વડોદરાના તલસટ ગામમાં કહેવા પૂરતું કોવિડ સેન્ટર ઉભું કરાયું છે. 10 બેડનું કોવિડ કેર સેન્ટર પ્રથમિક શાળામાં શરૂ કરાયું છે. જોકે, કોવિડ સેન્ટરમાં ડોક્ટર, નર્સ,  ઓક્સિજન કે વેન્ટિલેટર નથી. ગામના સરપંચે ખર્ચો કરી 10 બેડની વ્યવસ્થા કરી, પણ સરકાર તરફથી કોઈ જ વ્યવસ્થા નથી. ગામની 1200ની વસ્તીમાં 25 પોઝિટિવ કેસ છે. કોઈ જ ગ્રામજન કોવિડ સેન્ટરમાં આઇસોલેટ થવા તૈયાર નથી.  રાજ્ય સરકારના મારુ ગામ  કોરોના મુક્ત ગામનો ફિયાસ્કો થયો છે. 

સૌરાષ્ટ્રમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં તારીખ 8 મેના રોજ જિલ્લામાં 290 કેસ આવ્યા. 9 મેના રોજ જિલ્લામાં 395 રેકોર્ડ બ્રેક કેસ આવ્યા હતા. 

આઠ દિવસ પહેલા 100થી 150 કેસ આવ્યા હતા. હાલમાં રાજકોટ જિલ્લાના ગામડામાં 350થી વધુ કેસ આવી રહ્યા છે. રાજકોટ નજીક આવેલા કણકોટમાં કોરોનાથી 3 લોકોના મૃત્યુ થયા છે. આ ગામની વસ્તી 1400 લોકોની છે. ગામમાં 27 તારીખ પછી વેક્સીન નથી આવી. ગામમાં 45 ઉપરના 98 લોકોએ જ વેક્સીન લીધી છે. ગામના સરપંચ અને યુવકોએ કહ્યું વેક્સીન મોકલો.

સૌરાષ્ટ્રના કયા શહેરનું આ બજાર બપોર બાદ રહેશે બંધ, દોઢ મહિનામાં 25 વેપારીના મોત

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમજ અનેક શહેર-ગામો સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે. આવા સમયે રાજકોટના દાણાપીઠ વેપારીઓએ  હાલ્ફ ડે લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે.  દાણાપીઠ વેપારીઓએ હાલ્ફ ડે લોકડાઉન લંબાવ્યુ છે.  

દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. રાજકોટની દાણાપીઠમાં ત્રણ વાગ્યા બાદ lockdown કરવામાં આવશે. દાણાપીઠ વેપારીઓએ નિર્ણય લીધો છે. દાણાપીઠના મોટા ભાગના વેપારીઓનો એક સુર જોવા મળ્યો હતો. રાજકોટની દાણાપીઠમાં કોરોનાને કારણે દોઢ મહિનામાં 25 જેટલા વેપારીઓના મૃત્યુ થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈSurendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવSurendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Embed widget