શોધખોળ કરો

Gujarat Rain: ડભોઈ, વાઘોડિયામાં વરસાદ, ખેતીપાકને મળશે જીવતદાન

આજે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી અને બોટાદમાં વરસાદ વરસી શકે છે.

Gujarat Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આજે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી અને બોટાદમાં વરસાદ વરસી શકે છે, સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદની સંભાવના છે.

આજે વહેલી સવારથી ડભોઇ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. જુદા જુદા વિસ્તારોમાં કયાંક અમી છાંટણો તો ક્યાંક ધીમીધારે વરસાદ છે. લાંબા વિરામ બાદ પંથકમાં ફરી વરસાદી માહોલ છવાયો છે.  વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણથી ઠંડક પ્રસરી છે. નગરના ઝારોલા વાગા, જૈનવાગા, નાંદોદી ભાગોળ વિસ્તારમાં વરસાદ છે, જ્યારે તાલુકાના ચનવાળા, ધરમપુરી, સિતપુર,માંગરોળ વિસ્તારમાં પણ વરસાદી માહોલ  છે. વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને જીવન દાન મળે તેવી આશા બંધાઈ  છે.


Gujarat Rain: ડભોઈ, વાઘોડિયામાં વરસાદ, ખેતીપાકને મળશે જીવતદાન

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાઘોડિયામા વહેલી સવારે વરસાદ પડ્યો. ઘણા દિવસોથી ખેડુતો ચાતક નજરે રાહ જોતા હતા. વાઘોડિયામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસતા ખેડુતોના માથે ચિંતાની લકીર હતી. વહેલી સવારથી વરસાદની વાઘોડિયા પંથકમા વરસાદની શરૂઆત થઈ છે. વરસાદની શરૂઆત થતા નષ્ટ થતો ખેતીપાક ને જીવતદાન મળશે. ઘણા સમયના વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીનુ પ્રમાણ ઘટ્યું છે.આ વિસ્તારના  ખેડુતોને ચોથા રાઉન્ડનો વરસાદ સારો વરસે તેવી આશા બંધાઈ છે.

વરસાદ ખેંચાતા રાજ્યના જળાશયોની જળસપાટી ઘટવા લાગી છે. 207 પૈકી હવે 59 જળાશયો જ સંપૂર્ણ ભરાયેલા છે, સૌરાષ્ટ્રના 44, કચ્છના આઠ, તો દક્ષિણ ગુજરાતના ચાર અને મધ્ય ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ છે. 133 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 95 હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 12 જળાશયો વોર્નિંગ પર છે. 73 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે.

છેલ્લા 20 દિવસથી સામાન્ય વરસાદ વરસતા દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાનની ભીતી છે. જેને લઈ સુરત જિલ્લાના ખેડૂતો ચિંતિત છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી પાણી છોડવાનો સિંચાઈ વિભાગ નિર્ણય લેશે.

છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ 2023માં જોવા મળી શકે છે. અલ નીનોની અસરને કારણે દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાના વરસાદમાં ભારે ઉણપ જોવા મળી રહી છે. રોયટર્સે તેના અહેવાલમાં હવામાન વિભાગના બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે 1901 પછી દેશમાં ઓગસ્ટ 2023માં સૌથી ઓછો વરસાદ થવાની ધારણા છે. વરસાદના અભાવે ખાદ્યપદાર્થોના ફુગાવામાં ઉછાળો જોવા મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara । વડોદરામાં ભાજપ નેતા રાજેશ શાહ બન્યા ચેઇન સ્નેચિંગના શિકારMehsana । મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદDwarka । દ્વારકામાં દૂધના ટેમ્પોની અડફેટે આવી જતા બાળકીનું થયું મોતAhmedabad । અમદાવાદના પીરાણામાં થયેલ ધાર્મિક સ્થળની જમીન વિવાદમાં થયેલ ઘર્ષણ કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
SSC Result 2024: ધોરણ-10 બોર્ડનું પરિણામ આ તારીખે થશે જાહેર, આ નંબર પર મેસેજ કરીને જાણી શકાશે રિઝલ્ટ
SSC Result 2024: ધોરણ-10 બોર્ડનું પરિણામ આ તારીખે થશે જાહેર, આ નંબર પર મેસેજ કરીને જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ
80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ
Embed widget