શોધખોળ કરો

Vadodara: વડોદરામાં નકલી પોલીસના ખેતમજૂરને ત્યાં દરોડા, ‘તું દારૂનો ધંધો કરે છે’ તેમ કહીને માંગ્યા રૂપિયા

Vadodara: વડોદરામાં નકલી પોલીસ બની રેડ કરનારા ત્રણ શખ્સો ઝડપાયા હતા.

Vadodara: વડોદરામાં નકલી પોલીસ બની રેડ કરનારા ત્રણ શખ્સો ઝડપાયા હતા. મળતી જાણકારી અનુસાર, વડોદરાના મોટા કરાળામાંથી નકલી પોલીસ ઝડપાઇ હતી. નકલી પોલીસ બની રેડ કરવા આવેલા ત્રણ જણાને ઝડપી લેવામાં આવ્યા હતા. મોટા કરાળા ગામમાં ખેતમજૂરને ત્યાં ઇકો કાર લઇને નકલી પોલીસે દરોડા પાડ્યા હતા.

દારૂનો ધંધો કરે છે તેમ કહીને ફરિયાદી પાસે નકલી પોલીસે રૂપિયાની માંગ કરી હતી. જોકે ફરિયાદીને શંકા જતા તેણે શિનોર પોલીસને જાણ કરી હતી.  નકલી પોલીસ બની રૂપિયાની માંગ કરનારા જયેશ રાજમલ, વિક્રમ વસાવા, નિલેશ દેવરેની ધરપકડ કરાઇ હતી. પોલીસે ઓળખપત્ર માંગતા નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ત્રણેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જયેશ સામે બગોદરા, પાણીગેટ અને વરણામા પોલીસ સ્ટેશન, વિક્રમ સામે ડભોઇ અને બાપોદ તેમજ નિલેશ સામે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા છે.

 પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ત્રણે શખ્સો પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે ગયા હતા અને પૈસા ખુટી જતાં ગામમાં આવીને પૈસા મળે તો લેવા આવ્યા હતાં. ઇકો કાર લઈ રેડ કરવા પોલીસ આવી હોવાની જાણ થતા પોલીસને પણ શંકા ગઇ હતી કારણ કે શિનોર પોલીસ સ્ટેશનના કોઈ કર્મચારી ઇકો કાર રાખતો નથી. જેથી પોલીસે નકલી પોલીસ બની આવેલા ત્રણેય પાસે ઓળખ કાર્ડ માંગી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. શિનોર પોલીસે નકલી પોલીસ બનીને આવેલા વડોદરા શહેરના જયેશ રાજમલ, વિક્રમ વસાવા અને નિલેશ દેવરેને ઝડપી પાડ્યા હતા અને વધુ પૂછપરછ શરૂ કરી હતી.

તાજેતરમાં જ રાજકોટમાં પણ નકલી પોલીસ ઝડપાઇ હતી. ભક્તિનગર પાસે નકલી પોલીસ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. રિક્ષામાં બેસેલા પેસેન્જર પાસેથી 800 રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. જો કે ભક્તિનગર પોલીસે આ ઠગબાજને ઝડપી પાડ્યો છે. તેમજ ઠગબાજ પર IPC 392, 170, 504 મુજબ નોંધાઈ ફરીયાદ નોંધવામાં આવી છે. રાજકોટમાં LCB ક્રાઈમ બ્રાન્ચનો નકલી અધિકારી અસલી પોલીસના સકંજામાં આવી ગયો હતો.જેણે નોકરી વાંછુક યુવતીને ઉદયપુર LCB ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું.                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: હજીરા ઓએનજીસી બ્રિજ ઉપર આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે સામસામે અકસ્માતKheda: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મીની બસમાં આગ લાગતાં જ અફરાતફરી માહોલ સર્જાયો.Surat: લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠBhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Embed widget