શોધખોળ કરો

PM Modi-Sunak : ભરી સંસદમાં PM મોદીની 'ઢાલ' બન્યા ઋષિ સુનક, પાક. સાંસદની આબરૂના કર્યા ધજાગરા

જાહેર છે કે, પીએમ મોદી અને બ્રિટિશ પીએમ ઋષિ સુનક વચ્ચે સારા સંબંધો છે. બંને નેતાઓ ગયા વર્ષે ઇન્ડોનેશિયામાં G-20 સમિટ દરમિયાન પ્રથમ વખત મળ્યા હતા.

British Pm Rishi Sunak Defends Pm Modi : બ્રિટનની મીડિયા સંસ્થા બીબીસીએ એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે. 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની આ ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદ ઊભો થયો છે. આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાકે બીબીસીની આ વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખુલ્લો બચાવ કર્યો હતો. પાકિસ્તાની મૂળના બ્રિટિશ સાંસદના સવાલોના જવાબ આપતા સુનકે પીએમ મોદીનો બચાવ કર્યો હતો. 

જાહેર છે કે, પીએમ મોદી અને બ્રિટિશ પીએમ ઋષિ સુનક વચ્ચે સારા સંબંધો છે. બંને નેતાઓ ગયા વર્ષે ઇન્ડોનેશિયામાં G-20 સમિટ દરમિયાન પ્રથમ વખત મળ્યા હતા.

ઋષિ સુનકના મૂળ ભારતમાં છે અને તે શરૂઆતથી જ યુકે-ભારત સંબંધોના હિમાયતી રહ્યાં છે. બીબીસીની એક ડોક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટિશ સરકાર 2002ના ગુજરાત રમખાણોમાં ભારતીય નેતાની કથિત ભૂમિકા વિશે જાણતી હતી. અગાઉ ભારતના વિદેશ મંત્રાલયે 2002ના ગુજરાત રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટરીને "દુષ્પ્રચારનો એક ભાગ" ગણાવ્યો હતો અને આ મામલે જણાવ્યું હતું કે, તે સ્પષ્ટપણે પૂર્વગ્રહ, નિષ્પક્ષતાનો અભાવ અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે.

બીબીસી ડોક્યુમેન્ટરી 'ડિસઈન્ફોર્મેશન'નો ભાગ

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ નવી દિલ્હીમાં પત્રકારોના ડોક્યુમેન્ટરી પરના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું હતું કે, તે એક ચોક્કસ 'રોંગ નેરેટિવ'ને આગળ વધારવા માટે દુષ્પ્રચારનો એક ભાગ છે. આ મામલે ઋષિ સુનકને પૂછવામાં આવ્યું હતું કે, શું તે બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં કરાયેલા દાવા સાથે સહમત છે કે યુકેના વિદેશ કાર્યાલયના કેટલાક રાજદ્વારીઓ જાણે છે કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ જવાબદાર હતાં?".

પાકિસ્તાની મૂળના સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો

જવાબમાં સુનકે કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાની મૂળના વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ ઈમરાન હુસૈન દ્વારા વડાપ્રધાન મોદીના "ચરિત્ર ચિત્રણ" સાથે સહમત નથી. નોંધપાત્ર વાત એ છે કે, આ ડોક્યુમેન્ટરી ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે થયેલા રમખાણો પર આધારીત છે. 

સુનકે કહ્યું હતું કે, આ અંગે બ્રિટિશ સરકારની સ્થિતિ સ્પષ્ટ છે અને તે બિલકુલ પણ બદલાઈ નથી. પાકિસ્તાની મૂળના બ્રિટિશ સાંસદ ઈમરાન હુસૈન દ્વારા યુકેની સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને તેના પર ઋષિ સુનકના શું વિચાર છે તે પૂછવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget