શોધખોળ કરો

મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાન પર ડ્રોન અટેક, મહિલા બાળકો સહિત 200થી વધુ લોકોના મોત

મ્યાનમારમાં બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમો પર ડ્રોન હુમલો થયો છે. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 200થી વધુ લોકોના મોત થયા છે.

Drone attack:જાણે આખી દુનિયામાં હિંસા અને યુદ્ધનો સમય ચાલી રહ્યો છે. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના યુદ્ધની સાથે બાંગ્લાદેશમાં પણ હિંસા ફેલાઈ છે. હવે મ્યાનમારમાં પણ રોહિંગ્યા મુસ્લિમો પર હુમલા કરવામાં આવી રહ્યાં છે, જેમાં અનેક લોકોના જીવ ગયા. શનિવારે રોહિંગ્યા મુસ્લિમોનું એક જૂથ દેશ છોડીને બાંગ્લાદેશ તરફ ભાગી રહ્યું હતું, ત્યારે તેમની બોટ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં લગભગ 200 લોકોના જીવ ગયા હોવાની માહિતી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો યુદ્ધથી બચવા માટે બાંગ્લાદેશ ભાગી રહ્યા હતા. નદી કિનારે લોકોના મૃતદેહો હજુ પણ પડ્યા છે. મરનારાઓમાં પુરૂષોની સાથે મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, કાદવવાળા ખેતરમાં મૃતદેહોના ઢગલા પડ્યા હતા. તેમની સુટકેસ અને બેકપેક તેમની આસપાસ વેરવિખેર હતા. ત્રણ લોકોએ કહ્યું કે, 200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, તેણે ઓછામાં ઓછા 70 મૃતદેહો જોયા છે,  

     

હિંસક વિરોધને કારણે હાલ  બાંગ્લાદેશમાં ઘણી અશાંતિ છે, જો કે, તેમ છતાં, મ્યાનમારના ઘણા રોહિંગ્યા મુસ્લિમો સરહદ પાર કરીને બાંગ્લાદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મ્યાનમારથી ભાગી રહેલા રોહિંગ્યા મુસ્લિમોના આવા જ એક જૂથ પર સરહદ નજીક ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 200 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ચાર પ્રત્યક્ષદર્શીઓ, કાર્યકર્તાઓ અને એક રાજદ્વારીએ આ ડ્રોન હુમલાઓ વિશે જણાવ્યું, જેમાં બાંગ્લાદેશ સરહદ પાર કરવાની રાહ જોઈ રહેલા પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલા બાદ લોકો તેમના મૃતકો અને ઘાયલ સ્વજનોને ઓળખવા માટે મૃતદેહોના ઢગલા  વચ્ચે ભટકી રહ્યા હતા. અહેવાલ મુજબ, તાજેતરના અઠવાડિયામાં લશ્કરી જુન્ટા સૈનિકો અને બળવાખોરો વચ્ચેના સંઘર્ષ દરમિયાન રખાઈન રાજ્યમાં નાગરિકો પર આ હુમલો સૌથી ઘાતક હુમલો છે. રોઇટર્સે ત્રણ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે, આની પાછળ અરાકાન આર્મીનો હાથ હતો, જો કે જૂથે આ આરોપોને નકારી કાઢ્યા છે. મ્યાનમારની સેના અને મિલિશિયાએ એકબીજા પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

“જ્યારે ઉઠ્યો તો બાજુમાં પત્ની અને બાળક ઘાયલ અવસ્થામાં હતા”

રિપોર્ટ અનુસાર, 35 વર્ષીય મોહમ્મદ ઇલ્યાસ નામના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, હુમલામાં તેની ગર્ભવતી પત્ની અને 2 વર્ષની પુત્રી ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. ઇલ્યાસે બાંગ્લાદેશના એક શરણાર્થી શિબિરમાંથી રોઇટર્સને જણાવ્યું હતું કે જ્યારે ડ્રોને ભીડ પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે તે બીચ પર તેમની સાથે ઊભો હતો.

ઇલ્યાસે કહ્યું, 'મને ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. તે પોતાની જાતને બચાવવા માટે જમીન પર સૂઈ ગયો હતો અને જ્યારે તે જાગી ગયો ત્યારે તેણે જોયું કે તેની પત્ની અને પુત્રી ગંભીર રીતે ઘાયલ છે અને તેના અન્ય ઘણા સંબંધીઓ મૃત હાલતમાં પડ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’
ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’
આગામી 72 કલાક ખાસ: રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીથી આખું વિશ્વ ચોંકી ગયું!
આગામી 72 કલાક ખાસ: રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીથી આખું વિશ્વ ચોંકી ગયું!
US-Iran War: હવે હોર્મુંઝમાં જહાજોને સુરક્ષા નહીં આપે અમેરિકા, 'પ્રોજેક્ટ ફ્રિડમ' બંધ
US-Iran War: હવે હોર્મુંઝમાં જહાજોને સુરક્ષા નહીં આપે અમેરિકા, 'પ્રોજેક્ટ ફ્રિડમ' બંધ

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
Embed widget