શોધખોળ કરો

કોરોના પછી વધુ એક જીવલેણ વાયરસ આવ્યો સામે, ચીનમાં પ્રથમ દર્દીનું થયું મોત

આ વાયરસ કેટલો ઘાતક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એનાથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 70થી 80 ટકા છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, બીજિંગમાં મંકી B વાયરસથી પ્રાણીઓના એક ડોક્ટરનું મોત થયું છે.

સમગ્ર દુનિયા અત્યારે કોરોના સામે લડી રહી છે, ત્યારે વધુ એક જીવલેણ વાયરસ ચીનમાં સામે આવ્યો છે. ચીનમાં મંકી બી નામના વાયરસથી પહેલા દર્દીનું મોત થયું છે. વાંદરાથી ફેલાયેલા મંકી B વાઈરસના સંક્રમણની ઝપેટમાં આવવાથી પ્રાણીઓના એક ડોક્ટરનું મોત નીપજ્યું છે. ચીનમાં આ વાયરસથી મનુષ્યમાં સંક્રમણ ફેલાયું હોવાનો પહેલો કેસ છે. 

આ વાયરસ કેટલો ઘાતક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એનાથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 70થી 80 ટકા છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ અનુસાર, બીજિંગમાં મંકી B વાયરસથી પ્રાણીઓના એક ડોક્ટરનું મોત થયું છે. જોકે ડોક્ટરના સંપર્કમાં આવેલા લોકો અત્યારે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. 

53 વર્ષીય ડોક્ટર ઈન્સ્ટિટ્યૂટમાં નોન-હ્યુમન પ્રાઈમેટ્સ પર રિસર્ચ કરી રહ્યા હતા. ગત માર્ચમાં તેમણે બે મૃત વાંદરા પર રિસર્ચ કર્યું હતું. આ પછી તેમને ઉબકા અને ઊલટીના શરૂઆતનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, સંક્રમિત ડોક્ટરને ઘણી હોસ્પિટલમાં સારવાર કરાઇ હતી, પરંતુ બાદમાં 27 મેના રોજ તેનું મૃત્યુ થઈ ગયું.

શું છે મંકી B વાયરસ?

હર્પિસ B વાયરસ અથવા મંકી વાયરસ સામાન્ય રીતે વયસ્ક મેકાક વાંદરાથી ફેલાય છે. એ સિવાય રિસસ મેકાક, ડુક્કરની પૂંછડીવાળા મેકાક અને સિનોમોલગસ વાંદરા અથવા લાંબી પૂંછડીવાળા મેકાકથી પણ આ વાયરસ ફેલાય છે, તેમ ICMRના પૂર્વ કન્સલ્ટન્ટ ડૉક્ટર વીકે ભારદ્વાજે જણાવ્યું હતું. 

તેમણે જણાવ્યું હતું કે,  તે મનુષ્યમાં ભાગ્યે જ જોવા મળે છે, કેમ કે આ વાયરસ અત્યારસુધી ભારતના વાંદરામાં નથી આવ્યો. જો કોઈ મનુષ્ય આ વાયરસથી સંક્રમિત થઈ જાય છે તો તેને ન્યુરોલોજિકલ બીમારી અથવા મગજ સાથે સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. વાયરસના લક્ષણો મહિનાની અંદર જોવા મળે છે. મનુષ્યમાં વાયરસનાં લક્ષણ એક મહિનાની અંદર અથવા 3થી 7 દિવસમાં પણ જોવા મળે છે. એનાં લક્ષણ તમામ લોકોમાં સમાન નથી હોતાં. સમયસર ખબર પડવાથી સારવાર થઈ શકે છે.


બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના રિપોર્ટ પ્રમાણે, આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને સમયસર સારવાર ન મળે તો લગભગ 70 ટકા દર્દીઓનાં મૃત્યુ થઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, તમને કોઈ વાંદરાએ બટકું ભર્યું હોય અથવા નખ માર્યા હોય તો અને તે B વાયરસનું કેરિયર હોય, તો તમને આ વાયરસનો ચેપ લાગી શકે છે.  આવી સ્થિતિમાં તરત પ્રાથમિક સારવાર શરૂ કરી દેવી જોઈએ. 

રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે, ઈજાવાળી જગ્યાને સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરી લો. મંકી B વાયરસની સારવાર માટે એન્ટી-વાઇરલ દવાઓ તો ઉપલબ્ધ છે, પરંતુ હજી સુધી કોઈ વેક્સિન નથી બની.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget