શોધખોળ કરો

રૂજવેલ્ટથી ઓબામા સુધી અમેરિકાના આ 4 રાષ્ટ્રપતિને આ કારણે મળી ચૂક્યો છે નોબેલ પુસ્કાર

Nobel Peace Prize 2025: આજે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવાં આવી. નોબેલ શાંતિ પુરસ્કારમાં વેનેજુએલાની મહિલા મારિયાએ બીજા મારી

Nobel Peace Prize 2025: મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ રેસમાં હતા. તેમનું નોબેલ શાંતિ પુરસ્કાર મેળવાનુ સપનુ તુટ્યું. જો કે  ચાર ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિઓને આ પુરસ્કાર મળ્યો છે. આમાંથી ત્રણને નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા જ નામાંકિત અને એનાયત કરવામાં આવ્યા હતા. જાણો આ વ્યક્તિઓને શાંતિ પુરસ્કાર કેમ મળ્યો.

આજે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી,. નોર્વેની રાજધાની ઓસ્લોમાં તેની જાહેરાત કરવામાં આવી. વેનેજુએલાની મહિલા મારિયાએ કોરિના માચાડોને મળ્યો છે. આ જાહેરાત સાથે ડોનાલ્ડ ટ્મ્પનું નોબેલ પુરસ્કારનું સપનું રોળાઇ ગયું. જો કે આ પહેલા યુએસના 4 રાષ્ટ્રપતિના આ એવોર્ડ મળી ચૂક્યો છે.  

થિયોડોર રૂઝવેલ્ટ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર  પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ

ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટને આ સન્માન 1906માં મળ્યું હતું. 27 ઓક્ટોબર, 1858ના રોજ ન્યુ યોર્ક શહેરમાં જન્મેલા, રૂઝવેલ્ટ રિપબ્લિકન પાર્ટીના સભ્ય હતા. તેમણે 1901 થી 1901 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 26મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા.

રુસો-જાપાની યુદ્ધના અંતમાં મધ્યસ્થી કરવા બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. નોર્વેજીયન રાજકારણી કાર્લ ક્રિશ્ચિયન બર્નર દ્વારા તેમનું નામાંકન કરવામાં આવ્યું હતું. રૂઝવેલ્ટ નોબેલ પુરસ્કાર મેળવનારા પ્રથમ અમેરિકન હતા. તેમનું અવસાન 6 જાન્યુઆરી, 1919ના રોજ ન્યૂ યોર્કના ઓઇસ્ટર બે ખાતેના તેમના ઘરે થયું હતું.

વુડ્રો વિલ્સન- પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે નોબેલ પુરસ્કાર

વુડ્રો વિલ્સન નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા બીજા અમેરિકન રાષ્ટ્રપતિ હતા. 28 ડિસેમ્બર, 1856 ના રોજ વર્જિનિયામાં જન્મેલા, તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના 28મા રાષ્ટ્રપતિ હતા, જેમણે 1913 થી 1921 સુધી સેવા આપી. તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને બાદમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં પીએચડી કરી.

વિલ્સને પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપવા માટે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરી. આ માટે, તેમને 1919 માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

જિમિ કાર્ટર- લોકશાહી અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો

જીમી કાર્ટર નોબેલ પુરસ્કાર મેળવનારા ત્રીજા અમેરિકન રાષ્ટ્રપતિ હતા. જેમ્સ અર્લ "જીમી" કાર્ટર જુનિયરનો જન્મ 1 ઓક્ટોબર, 1924 ના રોજ જ્યોર્જિયામાં થયો હતો. તેઓ ડેમોક્રેટ હતા અને 1977 થી 1981 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 39મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. કાર્ટર 1946 માં મેરીલેન્ડના અન્નાપોલિસમાં યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડેમીમાંથી સ્નાતક થયા હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ત્યાં નૌકાદળ અધિકારી તરીકે તાલીમ લીધી હતી.

તેમણે કાર્ટર સેન્ટર દ્વારા શાંતિપૂર્ણ સંઘર્ષ નિરાકરણ, લોકશાહી અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્ય માટે, તેમને 2002 માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નોર્વેજીયન નોબેલ સમિતિએ તેમને પુરસ્કાર માટે નામાંકિત  હતા અને પસંદ કર્યા હતા. 29 ડિસેમ્બર, 2024 ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સના 39મા રાષ્ટ્રપતિ, જ્યોર્જિયાના 76મા ગવર્નર અને રાષ્ટ્રપતિ પદ પછીના કાર્ય માટે 2002 ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા જીમી કાર્ટરનું જ્યોર્જિયામાં તેમના ઘરે અવસાન થયું.

બરાક ઓબામા- આંતરરાષ્ટ્રીય રાજદ્વારી માટે નોબેલ પુરસ્કાર, વિવાદ પણ ઉભો થયો હતો

બરાક ઓબામાનો જન્મ ૪ ઓગસ્ટ, ૧૯૬૧ના રોજ હવાઈમાં થયો હતો. તેઓ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. તેમણે ૨૦૦૯ થી ૨૦૧૭ સુધી યુનાઇટેડ સ્ટેટ્સના 44મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. ઓબામાએ કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પહેલા ઓક્સિડેન્ટલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે રાજકીય વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી હતી. બાદમાં તેમણે હાર્વર્ડ લો સ્કૂલમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી, જ્યાં તેઓ હાર્વર્ડ લો રિવ્યૂના પ્રથમ કાળા પ્રમુખ બન્યા હતા.

ઓબામાને 2૦૦9માં આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અને લોકો વચ્ચે સહયોગને મજબૂત બનાવવાના પ્રયાસો બદલ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. નોર્વેજીયન સંસદની નોબેલ સમિતિએ પદ સંભાળ્યા પછી તરત જ તેમનું નામાંકન રજૂ કર્યું હતું. તેઓ હાલમાં ઓબામા ફાઉન્ડેશન દ્વારા નાગરિક જોડાણ પર કેન્દ્રિત વૈશ્વિક પહેલમાં સક્રિય છે.

જોકે, બરાક ઓબામાને શાંતિ પુરસ્કાર મળવો વિવાદાસ્પદ હતો, કારણ કે તેઓ માત્ર નવ મહિના માટે રાષ્ટ્રપતિ રહ્યા હતા. પુરસ્કારના વિરોધીઓએ દાવો કર્યો હતો કે તેમણે શાંતિ પુરસ્કારને લાયક કંઈ કર્યું નથી. જોકે નોબેલ સમિતિએ દલીલ કરી હતી કે ઓબામાએ એક પ્રકારની આશા જગાવી હતી, ટીકા અટકી ન હતી અને લોકોએ નોબેલને પ્રિમેચ્યોર પ્રાઇઝ ગણાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
Advertisement

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
Embed widget