![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cough Syrup: કેમરૂનમાં કફ સિરપથી 12 બાળકોના મોતથી હાહાકાર, દવા ભારતમાં બની હોવાનો દાવો
Cough Syrup: મેડિસિન બોક્સના ફોટોગ્રાફ્સથી મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર જાહેર થયો, જે ઈન્દોર સ્થિત રીમેન લેબ્સ સાથે મેળ ખાતો હતો.
![Cough Syrup: કેમરૂનમાં કફ સિરપથી 12 બાળકોના મોતથી હાહાકાર, દવા ભારતમાં બની હોવાનો દાવો Indian Cough Syrup Suspected to be responsible for deaths Of 12 Children In Cameroon check details Cough Syrup: કેમરૂનમાં કફ સિરપથી 12 બાળકોના મોતથી હાહાકાર, દવા ભારતમાં બની હોવાનો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/26/2119c6c818fe0cb4995823e695908a951682518839086324_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cough Syrup: મધ્ય આફ્રિકન દેશ કેમરૂનમાં છેલ્લા કેટલાક મહિનામાં એક ડઝનથી વધુ બાળકોના મોત થયા છે. અધિકારીઓએ મૃત્યુ માટે કફ સિરપને જવાબદાર ગણાવ્યું છે જે ભારતમાં બનેલું હોઈ શકે છે. મેડિસિન બોક્સના ફોટોગ્રાફ્સથી મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર જાહેર થયો, જે ઈન્દોર સ્થિત રીમેન લેબ્સ સાથે મેળ ખાતો હતો. જોકે, કંપનીએ કડક ગુણવત્તા નિયંત્રણનો આગ્રહ રાખ્યો છે અને કહ્યું છે કે નકલી દવાઓ સામાન્ય છે. એક વર્ષથી ઓછા સમયમાં આ ત્રીજી વખત છે જ્યારે ભારત નિકાસ કરાયેલ કફ સિરપથી મૃત્યુનો દાવો કરી રહ્યું છે.
કંપનીનું શું કહેવું છે?
કેમરૂનમાં આરોગ્ય અધિકારીએ આપેલા ફોટા સૂચવે છે કે દવાના બોક્સ પર લાઇસન્સ નંબર લખાયેલો છે. જોકે, ઉત્પાદકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રીમેનના ડાયરેક્ટર નવીન ભાટિયાએ બ્લૂમબર્ગને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફોટોમાં દેખાતી દવા આપણી જેવી લાગે છે. તેઓએ કહ્યું, 'તે આપણાં જેવું લાગે છે, પરંતુ અમને ખાતરી નથી. બજારમાં ઘણી નકલી દવાઓ પણ છે. અમારા ઉત્પાદનોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આ દાવો શંકાસ્પદ છે. મને 110% ખાતરી છે કે અમારું ઉત્પાદન ઝેરી નથી. અમે ગુણવત્તા પર વધુ ધ્યાન આપીએ છીએ. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે.
ઉઝબેકિસ્તાનમાંભારતીય કફ સિરપથી બાળકોના મૃત્યુ થવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા 18 બાળકોએ ડોક-1 મેક્સ સીરપ પીધું હતું. તેનું ઉત્પાદન નોઈડા સ્થિત મેરિયન બાયોટેક દ્વારા કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત બાળકોએ હોસ્પિટલમાં દાખલ થયા પહેલા 2-7 દિવસ સુધી દિવસમાં 3-4 વખત આ દવા લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. ઉઝબેકિસ્તાન સરકારે ભારત સરકારને આ મામલાની તપાસ કરવા અને કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ કંપનીની તપાસના આધારે આગળના પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દેવાયું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)