![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Islam In India: ભારતમાં સૌથી પહેલા કઇ રીતે ને ક્યારે પહોંચ્યો હતો ઇસ્લામ ?
ભારત એક એવો દેશ છે જ્યાં અનેક ધર્મના લોકો એકસાથે રહે છે. અહીં તમામ ધર્મોના તહેવારો પણ ઉજવવામાં આવે છે,
![Islam In India: ભારતમાં સૌથી પહેલા કઇ રીતે ને ક્યારે પહોંચ્યો હતો ઇસ્લામ ? Islam In India News and Updates: islam first reach india how and when did muslims came india mughal and arabs Islam In India: ભારતમાં સૌથી પહેલા કઇ રીતે ને ક્યારે પહોંચ્યો હતો ઇસ્લામ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/9de0f16ea8eb5b63eb277c2f9e516152170005565666977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Islam In India: ભારત એક એવો દેશ છે જ્યાં અનેક ધર્મના લોકો એકસાથે રહે છે. અહીં તમામ ધર્મોના તહેવારો પણ ઉજવવામાં આવે છે, અને દરેકને વ્યવસાયમાંથી દરેક પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતમાં મોટાભાગની વસ્તી હિન્દુઓની છે. આ ઉપરાંત મુસ્લિમો પણ મોટી સંખ્યામાં રહે છે. ભારતમાં હિન્દુઓ પછી મુસ્લિમોની વસ્તી સૌથી વધુ છે. આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે, ઈસ્લામ ભારતમાં ક્યારે પહોંચ્યો અને અહીં કેવી રીતે આવ્યો.
ઇસ્લામને લઇને અનેક કહાણી છે -
ઇસ્લામ ધર્મ વિશે ઘણી સ્ટૉરી છે, કેટલાક લોકો માને છે કે મુઘલોએ ભારત પર હુમલો કર્યો ત્યારે ઇસ્લામ ભારતમાં આવ્યો હતો. જોકે, નિષ્ણાતો કહે છે કે ઇસ્લામ ભારતમાં આક્રમણ દ્વારા નહીં પરંતુ વેપાર દ્વારા પહોંચ્યો હતો. પાછળથી કુતુબુદ્દીન એબક જેવા કેટલાક મુઘલ શાસકો થયા હતા, જેમણે ભારતમાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નાંખ્યો હતો. જે પછી ભારતમાં અન્ય ધર્મોની જેમ ઇસ્લામ એક મુખ્ય ધર્મ તરીકે ઉભરી આવ્યો.
ક્યારે ભારત પહોંચ્યો ઇસ્લામ ?
7મી સદીમાં ઇસ્લામ ભારતમાં પ્રથમવાર આવ્યો હતો. જ્યારે આરબો પ્રથમ વખત દક્ષિણ ભારતના મલબાર કિનારે પહોંચ્યા હતા. આ પછી તેણે ભારતમાં સ્થાયી થવાનું શરૂ કર્યું, ભારતીય મહિલાઓ સાથે લગ્ન કર્યા અને પરિવાર વધતો ગયો. ભારતની પ્રથમ મસ્જિદ પણ કેરળમાં એક આરબ ઉદ્યોગપતિ દ્વારા બનાવવામાં આવી હતી. આ મસ્જિદ 629 એડીમાં બનાવવામાં આવી હતી, જે એ વાતનો પુરાવો છે કે મુઘલ આક્રમણ પહેલા જ ભારતમાં ઈસ્લામ પહોંચી ગયો હતો.
ભારતમાં ઇસ્લામની સ્થાપના પછી કેટલાય મુઘલ શાસકો આવ્યા અને તેમને અહીં શાસન કર્યું. ભારતમાં રહેલી કેટલીય સલ્તનતો પર મુઘલ બાદશાહો દ્વારા શાસન હતું. જેનો ઈતિહાસ આજે પણ આપણને પુસ્તકોમાં વાંચવા મળે છે. આ સાથે ભારતમાં ઇસ્લામનું સતત વિસ્તરણ થતું રહ્યું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)