શોધખોળ કરો

‘પશ્વિમી દેશો ઇચ્છતા હતા કે રશિયનો એક-બીજાને મારી નાખે’, બળવો શાંત થતા પ્રથમવાર બોલ્યા પુતિન

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં ગૃહયુદ્ધનું સંકટ ટાળી દીધું છે

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં ગૃહયુદ્ધનું સંકટ ટાળી દીધું છે. પરંતુ, પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના બળવા બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સોમવારે ફરી એકવાર વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝિને નિવેદન આપ્યું છે અને બળવા અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કેમ બળવો કર્યો આ પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને એકતા દર્શાવવા માટે દેશના લોકોનો આભાર માન્યો હતો.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે તેમણે બળવા દરમિયાન "મોટા પાયે રક્તપાત"થી બચવાનો આદેશ આપ્યો હતો. જ્યારે પશ્ચિમી દેશો અને કિવ (યુક્રેન) ઇચ્છતા હતા કે રશિયનો 'એકબીજાને મારી નાખે'. વેગનરના લડવૈયાઓ ઇચ્છે તો સૈન્યમાં જોડાઇ શકે છે અથવા બેલારૂસમાં જઇ શકે છે. તમે તમારા ઘરે પણ પાછા આવી શકો છો. તેમણે કહ્યું હતું કે, અમે 24 કલાકથી ઓછા સમયમાં બળવો ખતમ કર્યો હતો. તેમણે એકતા માટે રાષ્ટ્રનો આભાર માન્યો હતો. બળવાને રક્તપાતમાં ફેરવવા ના દેવા બદલ વેગનર ગ્રુપની આર્મીનો પણ આભાર માન્યો હતો.

'પુતિન રશિયાના દુશ્મનોને દોષી ઠેરવ્યા'

બળવા પછી પ્રથમવાર જોવા મળેલા પુતિને બળવાખોરોને પણ પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે, દેશ અને લોકોને બળવાથી બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. તેમણે આખી ઘટના માટે 'રશિયાના દુશ્મનો'ને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે તેમણે ખોટો અંદાજ લગાવ્યો હતો. તેઓ ક્રેમલિનમાં સુરક્ષા સેવાના વડા, સંરક્ષણ પ્રધાન અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા.

'તખ્તાપલટ કરવા માંગતો ન હતો...'

અગાઉ પ્રાઇવેટ આર્મીના પ્રમુખ યેવગેની પ્રિગોઝિને બળવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ બળવો કરવા માંગતા ન હતા પરંતુ તેમની પ્રાઇવેટ આર્મી વેગનરને ખત્મ થતી રોકવા માંગતા હતા. અન્યાયના કારણે અમે અમારી કૂચ શરૂ કરી હતી. જો કે, તેમણે આ સમયે તે ક્યાં છે અથવા તેમની યોજના શું છે તે અંગે કોઈ માહિતી આપી નહોતી.

'યુએસ કે નાટોને બળવા સાથે કોઈ લેવાદેવા નથી'

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બળવાને 'રશિયન સિસ્ટમની અંદરના સંઘર્ષનો ભાગ' ગણાવ્યો હતો. તેમણે મુખ્ય સાથીદારો સાથે કોન્ફરન્સ કોલમાં આ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે પુતિને આ માટે પશ્ચિમ કે નાટો દેશોનો દોષ ન આપવો જોઈએ. અમે સ્પષ્ટ કર્યું કે અમે આમાં સામેલ નથી. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. નાટો વડાએ કહ્યું હતું કે યુક્રેન પર હુમલો દર્શાવે છે કે પુતિને 'મોટી વ્યૂહાત્મક ભૂલ' કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો

વિડિઓઝ

Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
અમદાવાદના ખાડામાં વધુ એક જિંદગી હોમાઇ, મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
Embed widget