Sri Lanka Crisis Protest Live: રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર, PM રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપ્યું
શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરુ બની રહ્યું છે. દરમિયાન મોંઘવારીથી પરેશાન લોકોએ આજે જોરશોરથી દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ ઘૂસી ગયા હતા.
LIVE
Background
Sri Lanka Crisis Protest Live: શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરુ બની રહ્યું છે. દરમિયાન મોંઘવારીથી પરેશાન લોકોએ આજે જોરશોરથી દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ ઘૂસી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે નિવાસસ્થાન છોડી ચુક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા હજારો પ્રદર્શનકારીઓ આજે પોલીસ બેરીકેડ્સ તોડીને કોલંબોમાં રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા.
રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગણી કરતા કેટલાક લશ્કરી કર્મચારીઓ પણ નાગરિકો સાથે જોડાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સવારે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિ આવાસમાં ઘૂસતા રોકવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને વોટર કેનન અને ફાયરિંગ પણ કર્યું હતું. જોકે, વિરોધીઓ બેરિકેડ તોડીને રાષ્ટ્રપતિ આવાસમાં પ્રવેશ્યા હતા. કોલંબોમાં વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ ગોટાબાયાએ પરીસર ખાલી કરી દીધુ હતુ.
શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) ના 16 સાંસદોએ રાષ્ટ્રપતિને તાત્કાલિક રાજીનામું આપવા વિનંતી કરી છે. રાજપક્ષે પર માર્ચથી રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. એપ્રિલમાં વિરોધીઓએ તેમની ઓફિસના પ્રવેશદ્વાર પર કબજો કર્યો ત્યારથી તેઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનનો ઉપયોગ તેમના નિવાસસ્થાન અને કાર્યાલય તરીકે કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની હાલત ખરાબ થઈ રહી છે. સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. લોકો તેલ અને વીજળીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ જ કારણ છે કે વિરોધીઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
શ્રીલંકામાં સર્વપક્ષીય સરકારની રચનાનો રસ્તો સાફ
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સર્વપક્ષીય સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે. જનઆક્રોશ અને દેશની સ્થિતિને જોતા છેલ્લા કેટલાક સમયથી રાજકીય પરિવર્તનની વાતો કરવામાં આવી રહી હતી અને રાષ્ટ્રપતિ ગોટાબાયા પર રાજીનામું આપવાનું સતત દબાણ હતું. આ દરમિયાન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
શ્રીલંકાના PMએ રાજીનામું આપ્યું
અનુરા કુમારા દિસનાયકે આગામી રાષ્ટ્રપતિ બનશે - સૂત્રો
SLPPના જનરલ સેક્રેટરી સાગર કરિયાવસમે વિમુક્તિ પેરામુનાને નેતા તરીકે નિયુક્ત કરવાનું સૂચન કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આજે સાંજે પક્ષના નેતાઓની બેઠક દરમિયાન અનુરા કુમારાદિસનાયકેને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
શ્રીલંકાના પીએમઓએ કહ્યું- પીએમ રાજીનામું આપવા તૈયાર છે
પીએમઓએ કહ્યું કે વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે પાર્ટીના નેતાઓને કહ્યું છે કે તેઓ દેશના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવા અને સર્વપક્ષીય સરકાર બનાવવા માટે તૈયાર છે.
શ્રીલંકાના પીએમ પણ રાજીનામું આપવા સંમત થયા છે
વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પક્ષના નેતાઓને કહ્યું છે કે તેઓ વડા પ્રધાન પદેથી રાજીનામું આપવા અને સર્વપક્ષીય સરકાર બનાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તેઓ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિરોધ પક્ષના નેતાઓની આ ભલામણ સાથે સહમત છે.