શોધખોળ કરો

Sri Lanka Crisis Protest Live: રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર, PM રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપ્યું

શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરુ બની રહ્યું છે. દરમિયાન મોંઘવારીથી પરેશાન લોકોએ આજે ​​જોરશોરથી દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ ઘૂસી ગયા હતા.

LIVE

Key Events
Sri Lanka Crisis Protest Live: રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર, PM રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપ્યું

Background

Sri Lanka Crisis Protest Live: શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરુ બની રહ્યું છે. દરમિયાન મોંઘવારીથી પરેશાન લોકોએ આજે ​​જોરશોરથી દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ ઘૂસી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે નિવાસસ્થાન છોડી ચુક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા હજારો પ્રદર્શનકારીઓ આજે પોલીસ બેરીકેડ્સ તોડીને કોલંબોમાં રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા.

રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માંગણી કરતા કેટલાક લશ્કરી કર્મચારીઓ પણ નાગરિકો સાથે જોડાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સવારે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિ આવાસમાં ઘૂસતા રોકવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને વોટર કેનન અને ફાયરિંગ પણ કર્યું હતું. જોકે, વિરોધીઓ બેરિકેડ તોડીને રાષ્ટ્રપતિ આવાસમાં પ્રવેશ્યા હતા. કોલંબોમાં વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ રાષ્ટ્રપતિ ગોટાબાયાએ પરીસર  ખાલી કરી દીધુ હતુ.

શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) ના 16 સાંસદોએ રાષ્ટ્રપતિને તાત્કાલિક રાજીનામું આપવા વિનંતી કરી છે. રાજપક્ષે પર માર્ચથી રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. એપ્રિલમાં વિરોધીઓએ તેમની ઓફિસના પ્રવેશદ્વાર પર કબજો કર્યો ત્યારથી તેઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનનો ઉપયોગ તેમના નિવાસસ્થાન અને કાર્યાલય તરીકે કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની હાલત ખરાબ થઈ રહી છે. સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. લોકો તેલ અને વીજળીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ જ કારણ છે કે વિરોધીઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

20:28 PM (IST)  •  09 Jul 2022

શ્રીલંકામાં  સર્વપક્ષીય સરકારની રચનાનો રસ્તો સાફ

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં  સર્વપક્ષીય સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે. જનઆક્રોશ અને દેશની સ્થિતિને જોતા છેલ્લા કેટલાક સમયથી રાજકીય પરિવર્તનની વાતો કરવામાં આવી રહી હતી અને રાષ્ટ્રપતિ ગોટાબાયા પર રાજીનામું આપવાનું સતત દબાણ હતું. આ દરમિયાન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

19:15 PM (IST)  •  09 Jul 2022

શ્રીલંકાના PMએ રાજીનામું આપ્યું

શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કર્યું, "તમામ નાગરિકોની સલામતી સહિત સરકારની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે, સર્વપક્ષીય સરકાર બનાવવા માટે પક્ષના નેતાઓની શ્રેષ્ઠ ભલામણને આજે હું સ્વીકારું છું. આને સરળ બનાવવા માટે, હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપીશ. "

 

18:31 PM (IST)  •  09 Jul 2022

અનુરા કુમારા દિસનાયકે આગામી રાષ્ટ્રપતિ બનશે - સૂત્રો

SLPPના જનરલ સેક્રેટરી સાગર કરિયાવસમે વિમુક્તિ પેરામુનાને નેતા તરીકે નિયુક્ત કરવાનું સૂચન કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આજે સાંજે પક્ષના નેતાઓની બેઠક દરમિયાન અનુરા કુમારાદિસનાયકેને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

18:15 PM (IST)  •  09 Jul 2022

શ્રીલંકાના પીએમઓએ કહ્યું- પીએમ રાજીનામું આપવા તૈયાર છે

પીએમઓએ કહ્યું કે વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે પાર્ટીના નેતાઓને કહ્યું છે કે તેઓ દેશના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવા અને સર્વપક્ષીય સરકાર બનાવવા માટે તૈયાર છે.

18:14 PM (IST)  •  09 Jul 2022

શ્રીલંકાના પીએમ પણ રાજીનામું આપવા સંમત થયા છે

વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પક્ષના નેતાઓને કહ્યું છે કે તેઓ વડા પ્રધાન પદેથી રાજીનામું આપવા અને સર્વપક્ષીય સરકાર બનાવવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તેઓ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિરોધ પક્ષના નેતાઓની આ ભલામણ સાથે સહમત છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget