શોધખોળ કરો

Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર

નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગી હતી.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તુર્કીશ એરલાઇન્સ વિમાનના ટાયરમાં આગ લાગતાં અકસ્માત ટળ્યો.
  • 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કઢાયા.
  • રનવે પર વિમાન અટકતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ થોડો સમય ખોરવાઈ.

નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગી હતી.  પોલીસે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં કુલ 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો હતા.

ANIના એક અહેવાલમાં પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના સોમવારે (11 મે, 2026) સવારે લગભગ 6:45 વાગ્યે બની હતી.

એરપોર્ટ સુરક્ષા અધિકારીએ શું કહ્યું?

એરપોર્ટ સુરક્ષા અધિક્ષક રાજકુમાર સિલવાલે ANIને ફોન પર જણાવ્યું હતું કે, "તુર્કીયે એરલાઇન્સની ફ્લાઇટ TK 726 ઇસ્તંબુલથી કાઠમંડુ જઈ રહી હતી અને લેન્ડિંગ દરમિયાન તેના ટાયરમાં આગ લાગી ગઈ. ફાયર ફાઈટર્સની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે." અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં સંયુક્ત રાષ્ટ્રના કેટલાક અધિકારીઓ પણ હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

અહેવાલો અનુસાર, અકસ્માતને કારણે વિમાન રનવે પર અટકી ગયું હતું, જેના કારણે થોડા સમય માટે કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. જોકે, પછીથી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. બચાવ કામગીરી દરમિયાન કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. માહિતી અધિકારી જ્ઞાનેન્દ્ર ભુલે પુષ્ટી કરી હતી કે બધા મુસાફરો સુરક્ષિત છે.

અકસ્માત બાદ તુર્કીયે એરલાઇન્સનું વિમાન રનવે પર અટકી ગયું હતું, જેના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સેવા પ્રભાવિત થઈ હતી. મોટા વિમાનો માટે રનવે ઉપલબ્ધ ન હોવાથી ઘણી ફ્લાઇટ્સ હવામાં જ ચક્કર લગાવતી રહી હતી. દિલ્હીથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 215 અને શારજાહથી આવતી G9 536 ને તાત્કાલિક લેન્ડિંગ પરવાનગી આપવામાં આવી ન હતી. તેવી જ રીતે ભૂટાન, દુબઈ, કુઆલાલંપુર અને ગુઆંગઝુથી આવતા વિમાનોને પણ કાઠમંડુના આકાશમાં ચક્કર લગાવવા પડ્યા હતા.

Frequently Asked Questions

તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગવાનું કારણ શું હતું?

તુર્કીયે એરલાઇન્સની ફ્લાઇટ TK 726 ઇસ્તંબુલથી કાઠમંડુ જઈ રહી હતી અને લેન્ડિંગ દરમિયાન તેના ટાયરમાં આગ લાગી ગઈ. આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

વિમાનમાં કેટલા મુસાફરો અને ક્રૂ સભ્યો હતા?

વિમાનમાં કુલ 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો હતા. મુસાફરોમાં સંયુક્ત રાષ્ટ્રના કેટલાક અધિકારીઓ પણ સામેલ હતા.

શું આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ હતી?

સદનસીબે, આ ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. બચાવ કામગીરી દરમિયાન કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

આ અકસ્માતને કારણે એરપોર્ટની કામગીરી પર શું અસર પડી?

અકસ્માત બાદ વિમાન રનવે પર અટકી ગયું હતું, જેના કારણે થોડા સમય માટે કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. ઘણી ફ્લાઇટ્સને હવામાં જ ચક્કર લગાવવા પડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે વિશ્વમાં ચોમાસું રહેશે નબળું, WMOની ચેતવણી
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!
મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Embed widget