શોધખોળ કરો

Turkiye : ભારતની દરિયાદિલી પર ભૂકંપગ્રસ્ત તુર્કી ફિદા, લખ્યો ઈમોશનલ મેસેજ

ભૂકંપની દુર્ઘટના બાદ તરત જ પીએમ મોદીએ તેમના રાજ્ય વિદેશ મંત્રીને તેમના શોક સંદેશ સાથે દિલ્હીમાં તુર્કી દૂતાવાસે મોકલ્યા હતાં.

Turkiye Earthquake: શક્તિશાળી ભૂકંપે તુર્કી અને સીરિયાને રીતસરના ધમરોળી નાખ્યા છે. બંને દેશોમાં મળીને 5000થી પણ વધારે લોકો માર્યા ગયા છે જ્યારે અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક શહેરોને વિસ્તારો કાટમાળમાં ફેરવાયા છે. છેલ્લા 24 કલાકમાં જ મધ્ય પૂર્વના દેશ તુર્કી-સીરિયામાં કુલ 145થી વધુ ભૂકંપના આફ્ટરશોકે તબાહી મચાવી છે. 7.1ની તીવ્રતાના ભૂકંપથી બંને દેશોમાં ઉભી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભારતે દુશ્મની ભૂલીને તત્કાળ તુર્કીની મદદ માટે હાથ લંબાવ્યો અને તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું છે.

ભૂકંપની દુર્ઘટના બાદ તરત જ પીએમ મોદીએ તેમના રાજ્ય વિદેશ મંત્રીને તેમના શોક સંદેશ સાથે દિલ્હીમાં તુર્કી દૂતાવાસે મોકલ્યા હતાં. રાજ્યના વિદેશ મંત્રી વી મુરલીધરન ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલને મળ્યા હતા અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને તમામ પ્રકારની માનવતાવાદી સહાયનું વચન પણ આપ્યું હતું.

ભારતના વિદેશ રાજ્ય મંત્રીની આ મુલાકાત બાદ ફિરત સુનેલે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તુર્કી અને હિન્દીમાં મિત્ર એ મિત્રતા માટે વપરાતો સામાન્ય શબ્દ છે. તેમણે કહ્યું હતું કે, આપણા તુર્કીમાં એક કહેવત છે કે, જે મિત્ર જરૂરિયાતના સમયમાં ઉપયોગી થાય તે જ સાચો મિત્ર.

ભૂકંપથી બરબાદ થયું તુર્કી

તુર્કીમાં આવેલા ભૂકંપમાં 14,000 લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે. એપીના અહેવાલ મુજબ, ભૂકંપ અને ત્યાર બાદ આવેલા સંખ્યાબંધ આફ્ટરશોક્સના કારણે કુલ 5600થી વધુ ઈમારતો ધરાશાયી થઈ જવાનો અંદાજ છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ધીરે ધીરે વધી રહ્યો છે, હજી સુધી ઘાયલોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી.

પોતાની ભૌગોલિક સ્થિતિને કારણે તુર્કી એ વિશ્વના સૌથી સક્રિય ભૂકંપ ઝોનમાંનું એક છે. તુર્કી મુખ્યત્વે એનાટોલીયન ટેકટોનિક પ્લેટ પર સ્થિત છે. આ પ્લેટો ઘણીવાર એકબીજા સાથે અથડાય છે. વધારે દબાણને કારણે ઘણી વખત આ પ્લેટો પણ તૂટવા લાગે છે. આ દરમિયાન બહાર નીકળેલી ઊર્જાનો વિશાળ જથ્થો બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગે છે. આ વિક્ષેપ ભૂકંપ જેવી સ્થિતિ સર્જે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે ફરી એકવાર વસુધૈવ કુટુંમ્બકમની ધારણાને ફરી એકવાર સાચી ઠેરવી છે અને દુશ્મનાવટ ભુલી મદદનો હાથ લંબાવ્યો છે. ભયંકર ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કી માટે ભારતે સહાય મિશનની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી હતી. આ સાથે દવાઓ અને રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહ્યો છે. રાહત સામગ્રીને લઈને PMOમાં સોમવારે (6 ફેબ્રુઆરી) એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આપત્તિમાં ભારત તરફથી શક્ય તમામ મદદની જાહેરાત કરાયા બાદ વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સાઉથ બ્લોકમાં તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે NDRF, સર્ચ અને રેસ્ક્યૂ ટીમો તેમજ મેડિકલ ટીમને રાહત સામગ્રી સાથે તાત્કાલિક તુર્કી પ્રજાસત્તાક મોકલવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ માટે ઢાલ બન્યો બાઇકર, રોન્ગ સાઇડ ગાડી ચલાવીને બચાવ્યો દર્દીનો જીવ, Video વાયરલ
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Embed widget