શોધખોળ કરો

Turkiye : ભારતની દરિયાદિલી પર ભૂકંપગ્રસ્ત તુર્કી ફિદા, લખ્યો ઈમોશનલ મેસેજ

ભૂકંપની દુર્ઘટના બાદ તરત જ પીએમ મોદીએ તેમના રાજ્ય વિદેશ મંત્રીને તેમના શોક સંદેશ સાથે દિલ્હીમાં તુર્કી દૂતાવાસે મોકલ્યા હતાં.

Turkiye Earthquake: શક્તિશાળી ભૂકંપે તુર્કી અને સીરિયાને રીતસરના ધમરોળી નાખ્યા છે. બંને દેશોમાં મળીને 5000થી પણ વધારે લોકો માર્યા ગયા છે જ્યારે અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક શહેરોને વિસ્તારો કાટમાળમાં ફેરવાયા છે. છેલ્લા 24 કલાકમાં જ મધ્ય પૂર્વના દેશ તુર્કી-સીરિયામાં કુલ 145થી વધુ ભૂકંપના આફ્ટરશોકે તબાહી મચાવી છે. 7.1ની તીવ્રતાના ભૂકંપથી બંને દેશોમાં ઉભી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભારતે દુશ્મની ભૂલીને તત્કાળ તુર્કીની મદદ માટે હાથ લંબાવ્યો અને તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું છે.

ભૂકંપની દુર્ઘટના બાદ તરત જ પીએમ મોદીએ તેમના રાજ્ય વિદેશ મંત્રીને તેમના શોક સંદેશ સાથે દિલ્હીમાં તુર્કી દૂતાવાસે મોકલ્યા હતાં. રાજ્યના વિદેશ મંત્રી વી મુરલીધરન ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલને મળ્યા હતા અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને તમામ પ્રકારની માનવતાવાદી સહાયનું વચન પણ આપ્યું હતું.

ભારતના વિદેશ રાજ્ય મંત્રીની આ મુલાકાત બાદ ફિરત સુનેલે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તુર્કી અને હિન્દીમાં મિત્ર એ મિત્રતા માટે વપરાતો સામાન્ય શબ્દ છે. તેમણે કહ્યું હતું કે, આપણા તુર્કીમાં એક કહેવત છે કે, જે મિત્ર જરૂરિયાતના સમયમાં ઉપયોગી થાય તે જ સાચો મિત્ર.

ભૂકંપથી બરબાદ થયું તુર્કી

તુર્કીમાં આવેલા ભૂકંપમાં 14,000 લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે. એપીના અહેવાલ મુજબ, ભૂકંપ અને ત્યાર બાદ આવેલા સંખ્યાબંધ આફ્ટરશોક્સના કારણે કુલ 5600થી વધુ ઈમારતો ધરાશાયી થઈ જવાનો અંદાજ છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ધીરે ધીરે વધી રહ્યો છે, હજી સુધી ઘાયલોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી.

પોતાની ભૌગોલિક સ્થિતિને કારણે તુર્કી એ વિશ્વના સૌથી સક્રિય ભૂકંપ ઝોનમાંનું એક છે. તુર્કી મુખ્યત્વે એનાટોલીયન ટેકટોનિક પ્લેટ પર સ્થિત છે. આ પ્લેટો ઘણીવાર એકબીજા સાથે અથડાય છે. વધારે દબાણને કારણે ઘણી વખત આ પ્લેટો પણ તૂટવા લાગે છે. આ દરમિયાન બહાર નીકળેલી ઊર્જાનો વિશાળ જથ્થો બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગે છે. આ વિક્ષેપ ભૂકંપ જેવી સ્થિતિ સર્જે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે ફરી એકવાર વસુધૈવ કુટુંમ્બકમની ધારણાને ફરી એકવાર સાચી ઠેરવી છે અને દુશ્મનાવટ ભુલી મદદનો હાથ લંબાવ્યો છે. ભયંકર ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કી માટે ભારતે સહાય મિશનની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી હતી. આ સાથે દવાઓ અને રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહ્યો છે. રાહત સામગ્રીને લઈને PMOમાં સોમવારે (6 ફેબ્રુઆરી) એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આપત્તિમાં ભારત તરફથી શક્ય તમામ મદદની જાહેરાત કરાયા બાદ વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સાઉથ બ્લોકમાં તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે NDRF, સર્ચ અને રેસ્ક્યૂ ટીમો તેમજ મેડિકલ ટીમને રાહત સામગ્રી સાથે તાત્કાલિક તુર્કી પ્રજાસત્તાક મોકલવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Defeat Pakistan: લંડનમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક મેચમાં 4-3થી મારી બાજી
India Defeat Pakistan: લંડનમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક મેચમાં 4-3થી મારી બાજી
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
અમેરિકાએ ઈરાન પરથી હટાવ્યા પ્રતિબંધો અને ભારતના નસીબ ખૂલ્યા! તેલ સંકટ વચ્ચે મોટો ફાયદો
અમેરિકાએ ઈરાન પરથી હટાવ્યા પ્રતિબંધો અને ભારતના નસીબ ખૂલ્યા! તેલ સંકટ વચ્ચે મોટો ફાયદો
દુનિયાને વગર રોકટોકે તેલ વેચશે ઇરાન, અમેરિકાએ હટાવી લીધો પ્રતિબંધ, ભારતને થશે બમ્પર ફાયદો
દુનિયાને વગર રોકટોકે તેલ વેચશે ઇરાન, અમેરિકાએ હટાવી લીધો પ્રતિબંધ, ભારતને થશે બમ્પર ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે થશે આગમન, પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાં વરસશે વરસાદ, જાણો હવામાન આગાહી
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
Pune: સિયાએ અગાઉ પણ કર્યો હતો મંગેતર કેતનને મારવાનો પ્રયાસ, હત્યા બાદ કરી હતી ભાવુક પોસ્ટ
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
હોમ લોન લેતા સમયે અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, વ્યાજમાં બચાવી શકો છો લાખો રૂપિયા
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી કચડ્યું, રોનાલ્ડોએ કર્યા બે ગોલ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
મુંબઇમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદનું આગમન, આ રાજ્યોમાં એલર્ટ જાહેર
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Ethanol: E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી સમાપ્ત થઈ જાય છે ગાડીનો ઈન્શ્યોરન્સ? જાણો સરકારે શું કહ્યું
Embed widget