શોધખોળ કરો

ટ્રંપનો દાવો- ઈરાનના મિસાઈલ હુમલામાં કોઈ પણ અમેરિકીનું નથી થયું મોત

ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી તો અમેરિકા પણ પાછળ હટીશું નહીં તેમ કહ્યું હતું.

નવી દિલ્હી: અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10 કલાકની આસપાસ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી હતી. જેમાં તેમણે કહ્યું, હું જ્યાં સુધી રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી નહીં આપું. અમે ઈરાન પર નવા પ્રતિબંધ લગાવીશું. સુલેમાનીને તો પહેલા જ મારી દેવો જોઈતો હતો. તે અમેરિકા પર હુમલો કરવાની ફિરાકમાં હતો. આભારના બદલે તેઓ ડેથ ટુ અમેરિકા બોલી રહ્યા છે. મિડલ ઈસ્ટમાં શાંતી રહે તે જરૂરી છે. ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે ઈરાન નરમ થતું નજર આવી રહ્યું છે. જે તમામ પક્ષો માટે સારી વાત છે. સાથે ટ્રંપે ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. ઈરાન જ્યાં સુધી આતંકવાદ ભડકાવતું રહેશે પશ્ચિમ એશિયામાં ત્યાં સુધી શાંતિ કાયમ રહી શકે નહીં ઈરાન દ્વારા ગઈકાલે કરવામાં આવેલા હુમલામાં કોઈપણ અમેરિકનને નુકશાન થયું નથી. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે. માત્ર અમારા સૈન્ય ઠેકાણાને થોડું નુકસાન થયું છે. ટ્રંપે કહ્યું કે ઈરાનને ક્યારેય પરમાણું હથિયાર મેળવવા નહીં દઈએ. અમારી પાસે હાઈપર સોનિક મિસાઈલ છે. તેમણે કહ્યું ઈરાન વિરુદ્ધ ચીન, રશિયા, ફ્રાન્સ અને બ્રિટને અમેરિકાનો સાથ આપવો જોઈએ. તેમણે કહ્યું ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની અમેરિકા વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યાં હતા. તેમણે કહ્યું કે અમે બગદાદીને પણ માર્યો હતો.   અમેરિકાના હુમલા બાદ ઈરાન અમેરિકના સૈન્ય એરબેઝ પર 22 મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો છે. આ હુમલામાં 80 લોકો માર્યાં ગયા છે. આ હુમલા બાદ ઈરાને એ પણ કહ્યું હતું કે, અમેરિકા જો કાર્યવાહી કરશે તો પછી સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ જોવા મળશે. ઈરાકમાં અમેરિકી સૈન્ય એરબેઝ પર હુમલા બાદ ઈરાને દાવો કર્યો છે કે, આ હુમલામાં ઓછામાં ઓછા 80 લોકો માર્યાં ગયા છે. જોકે અમેરિકા તરફ આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી. ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી તો અમેરિકા પણ પાછળ હટીશું નહીં તેમ કહ્યું હતું. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણાંને નિશાન બનાવાની ધમકી આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ પણ 52ના બદલે 290ની વાત કહી હતી. રૂહાનીએ કહ્યું હતું કે, જે લોકો 52ની વાત કહી રહ્યા છે તેમણે 290 પણ યાદ રાખવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણા પર નિશાન તાકવાની વાત કહી હતી તેના બદલામાં રૂહાનીએ તેમને જુલાઇ 1988ની ઘટના યાદ અપાવી જ્યારે યુએસ વોરશિપે ઈરાની પેસેન્જર વિમાન પર હુમલો કર્યો હતો જેમાં 290 લોકોનાં મોત થયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
Advertisement

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
Embed widget