શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Maa Santoshi Vrat Niyam: શુક્રવારે રાખો છો મા સંતોષીનું વ્રત, ન કરતાં આ ભૂલ નહીંતર.....
Maa Santoshi Vrat Niyam: શુક્રવારે માતા સંતોષીનું વ્રત રાખવામાં આવે છે. મા સંતોષીના વ્રતમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. કારણ કે વ્રત પદ્ધતિસર અને નિયમો પ્રમાણે કરવામાં આવે તો જ લાભ થાય છે.
![Maa Santoshi Vrat Niyam: શુક્રવારે માતા સંતોષીનું વ્રત રાખવામાં આવે છે. મા સંતોષીના વ્રતમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. કારણ કે વ્રત પદ્ધતિસર અને નિયમો પ્રમાણે કરવામાં આવે તો જ લાભ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/7fe78001af5fe42796ed887f5f82b50c168930893890876_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંતોષી માતા
1/6
![મા સંતોષીના વ્રત માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન વ્રત કરનાર વ્યક્તિએ કરવું જરૂરી છે. શુક્રવારે રાખવામાં આવતા મા સંતોષીના વ્રતમાં ભૂલો ટાળવી જોઈએ, તો જ તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મા સંતોષીના વ્રત માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન વ્રત કરનાર વ્યક્તિએ કરવું જરૂરી છે. શુક્રવારે રાખવામાં આવતા મા સંતોષીના વ્રતમાં ભૂલો ટાળવી જોઈએ, તો જ તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
2/6
![ખાટી વસ્તુઓ ન ખાવઃ જો તમે શુક્રવારે મા સંતોષીનું વ્રત કરો છો તો આ દિવસે ભૂલથી પણ ખાટી વસ્તુઓ ન ખાવી. ફળ ઉપવાસ કરનારાઓએ ખાટા ફળો પણ ન ખાવા જોઈએ. ખાટી વસ્તુઓ ખાવાથી માતા સંતોષી ગુસ્સે થાય છે અને ઉપવાસ પણ તૂટી જાય છે. જે ઘરમાં માતા સંતોષીનું વ્રત હોય છે તે ઘરમાં માત્ર વ્રત કરનાર વ્યક્તિએ જ નહીં પરંતુ ઘરના કોઈપણ સભ્યએ આ દિવસે ખાટી વસ્તુઓ ન ખાવી જોઈએ. તેથી જ આ નિયમનું સખતપણે પાલન કરવું જોઈએ.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ખાટી વસ્તુઓ ન ખાવઃ જો તમે શુક્રવારે મા સંતોષીનું વ્રત કરો છો તો આ દિવસે ભૂલથી પણ ખાટી વસ્તુઓ ન ખાવી. ફળ ઉપવાસ કરનારાઓએ ખાટા ફળો પણ ન ખાવા જોઈએ. ખાટી વસ્તુઓ ખાવાથી માતા સંતોષી ગુસ્સે થાય છે અને ઉપવાસ પણ તૂટી જાય છે. જે ઘરમાં માતા સંતોષીનું વ્રત હોય છે તે ઘરમાં માત્ર વ્રત કરનાર વ્યક્તિએ જ નહીં પરંતુ ઘરના કોઈપણ સભ્યએ આ દિવસે ખાટી વસ્તુઓ ન ખાવી જોઈએ. તેથી જ આ નિયમનું સખતપણે પાલન કરવું જોઈએ.
3/6
![ગોળ અને ચણાનો પ્રસાદઃ મા સંતોષીની પૂજામાં ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ. આ ભોગ વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. અનેક પ્રકારના ફળો અને સામગ્રીઓ ચડાવ્યા પછી તમે ગોળ અને ચણા ન ચઢાવો તો માતા તમારાથી પ્રસન્ન થશે નહીં. મા સંતોષીની પૂજામાં ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ અને પૂજા પછી તેને પ્રસાદના રૂપમાં પરિવારના સભ્યોમાં વહેંચવા જોઈએ.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ગોળ અને ચણાનો પ્રસાદઃ મા સંતોષીની પૂજામાં ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ. આ ભોગ વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. અનેક પ્રકારના ફળો અને સામગ્રીઓ ચડાવ્યા પછી તમે ગોળ અને ચણા ન ચઢાવો તો માતા તમારાથી પ્રસન્ન થશે નહીં. મા સંતોષીની પૂજામાં ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ અને પૂજા પછી તેને પ્રસાદના રૂપમાં પરિવારના સભ્યોમાં વહેંચવા જોઈએ.
4/6
![આ વસ્તુઓનું સેવન ન કરોઃ જે ઘરમાં માતા સંતોષીનું વ્રત હોય છે ત્યાં ખાસ ધ્યાન રાખો કે શુક્રવારે ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ. આ ભૂલને કારણે ઘરમાં દરિદ્રતા રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ વસ્તુઓનું સેવન ન કરોઃ જે ઘરમાં માતા સંતોષીનું વ્રત હોય છે ત્યાં ખાસ ધ્યાન રાખો કે શુક્રવારે ભૂલથી પણ માંસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ. આ ભૂલને કારણે ઘરમાં દરિદ્રતા રહે છે.
5/6
![અસહાયનું અપમાન ન કરોઃ જેઓ મા સંતોષીનું વ્રત કરે છે અને પૂજા કરે છે તેમણે ક્યારેય ગરીબ અને અસહાય લોકોનું અપમાન ન કરવું જોઈએ. આવું કરવાથી માતા સંતોષી ગુસ્સે થઈ જાય છે. જો તમે મા સંતોષીનું વ્રત રાખો છો તો શુક્રવારે તમારી ક્ષમતા મુજબ ગરીબોને દાન કરો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અસહાયનું અપમાન ન કરોઃ જેઓ મા સંતોષીનું વ્રત કરે છે અને પૂજા કરે છે તેમણે ક્યારેય ગરીબ અને અસહાય લોકોનું અપમાન ન કરવું જોઈએ. આવું કરવાથી માતા સંતોષી ગુસ્સે થઈ જાય છે. જો તમે મા સંતોષીનું વ્રત રાખો છો તો શુક્રવારે તમારી ક્ષમતા મુજબ ગરીબોને દાન કરો.
6/6
![મોડે સુધી ન સૂવુંઃ જે લોકો ઉપવાસ કરે છે અને મા સંતોષીની પૂજા કરે છે તેમણે શુક્રવારે વહેલા ઉઠવું જોઈએ. આ દિવસે વહેલા ઉઠો અને સ્નાન કરીને માતા સંતોષીની પૂજા કરો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મોડે સુધી ન સૂવુંઃ જે લોકો ઉપવાસ કરે છે અને મા સંતોષીની પૂજા કરે છે તેમણે શુક્રવારે વહેલા ઉઠવું જોઈએ. આ દિવસે વહેલા ઉઠો અને સ્નાન કરીને માતા સંતોષીની પૂજા કરો.
Published at : 14 Jul 2023 10:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)