શોધખોળ કરો
માઇગ્રેઇન અટેક બાદ શું કરવું અને શું ન કરવું તે જાણવું ખૂબ જ જરૂરી, જાણો એક્સ્પર્ટનો મત
માઈગ્રેન અને સામાન્ય માથાના દુખાવામાં તફાવત છે. માઇગ્રેઇનનો દુખાવો અતિશય હોય છે. જો કે આ પીડામાં શું કરવું શું ન કરવું જાણવું જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર ( freepik)
1/6

કેટલાક લોકોને માઈગ્રેન શરૂ થાય તે પહેલા જ શરીરમાં તેના સિગ્નલ મળવા લાગે છે જેને પ્રોડ્રોમ કહેવાય છે. આ ચિહ્નો આધાશીશી શરૂ થાય તેના થોડા કલાકો કે બે દિવસ પહેલા દેખાઈ શકે છે. માઈગ્રેનથી પીડિત 60% લોકોને આ ચિહ્નો જોવા મળે છે. આ ચિહ્નોમાં કબજિયાત અથવા ઝાડા, મૂડમાં ફેરફાર, ગરદન અકડવી અને અમુક ખોરાક અથવા પીણાંનું ક્રેવિંગ શામેલ છે. આધાશીશી પહેલા અથવા દરમિયાન, કેટલાક લોકોમાં આભા (ઓરા)પણ હોઈ શકે છે, જે તેમની દ્રષ્ટિ અને અન્ય ઇન્દ્રિયોમાં ફેરફારનું કારણ બને છે. માઇગ્રેન ધરાવતા લગભગ 20% લોકો ઓરા અનુભવે છે. ઓરાના લક્ષણોમાં દ્રષ્ટિ ગુમાવવી, ચમકતી લાઇટ અથવા ફોલ્લીઓ જોવી, અવાજો અથવા સંગીત સાંભળવું અને હાથ અથવા પગમાં સોઇ ચૂંભતી હોય તેવો અનુભવ થાય છે.
2/6

કેફીનનું સેવન કરો: કેટલાક લોકોને , કોફી, ચા પીવાથી માથાનો દુખાવો ઓછો થઈ જાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન ન કરો અને સૂતા પહેલા કેફીન ન લો.
Published at : 30 Jul 2024 01:34 PM (IST)
આગળ જુઓ





















