શોધખોળ કરો
Health: લાલ દ્રાશ ખાવાના આ છે ફાયદા, જાણીને તમે પણ આજથી જ શરૂ કરી દેશો ખાવાનું
Red Grapes Benefits: વિદેશોમાં લાલ દ્રાક્ષમાંથી બનેલી રેડ વાઈન કોફી પીવામાં આવે છે. જો તમે લાલ દ્રાક્ષને તમારા આહારમાં સામેલ કરવા માંગો છો, તો પહેલા જાણો તેના અનેક ફાયદા.

લાલ દ્રાશ ખાવાના આ ફાયદા તમે નહીં જાણતા હો
1/7

તમે ઘણી બધી દ્રાક્ષ ખાધી હશે. આ દ્રાક્ષ સ્વાદમાં મીઠી અને ખાટી હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે લીલી અને કાળી દ્રાક્ષ તો ચાખી હશે પણ લાલ દ્રાક્ષ ભાગ્યે જ ખાધી હશે. ભારતમાં રેડ દ્રાક્ષ ઓછી ઉપલબ્ધ છે પરંતુ વિદેશમાં તેનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે અને તેમાંથી રેડ વાઈન પણ બનાવવામાં આવે છે. દ્રાક્ષની જાતો અને રંગો વિશે વાત કરીએ તો, બધી દ્રાક્ષમાં લાલ દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે કારણ કે તેમાં ઘણા બધા એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે. આવો જાણીએ લાલ દ્રાક્ષ ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
2/7

લાલ દ્રાક્ષના સેવનથી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે. તેમાં જોવા મળતા ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ નામના એન્ટીઓક્સીડેન્ટ હૃદયની ધમનીઓનું રક્ષણ કરે છે અને હૃદયના સ્નાયુઓને જોખમ અને બળતરાથી પણ બચાવે છે. લાલ દ્રાક્ષના નિયમિત સેવનથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.
3/7

લાલ દ્રાક્ષના સેવનથી ઝડપથી વધતા વજનને પણ નિયંત્રિત કરી શકાય છે. વાસ્તવમાં, લાલ દ્રાક્ષમાં રેઝવેરાટ્રોલ નામનું પોલિફીનોલ હોય છે, એટલે કે એન્ટી-ઓક્સીડેન્ટ જે તેની સ્થૂળતા વિરોધી ગુણધર્મોને કારણે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તમારા દૈનિક આહારમાં લાલ દ્રાક્ષનો સમાવેશ કરીને તમારું વજન નિયંત્રિત કરી શકો છો.
4/7

લાલ દ્રાક્ષમાં જોવા મળતા ફ્લેવોનોઈડ્સ અને રેઝવેરાટ્રોલ જેવા પોલીફેનોલિક એન્ઝાઇમ ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી મગજ યોગ્ય રીતે કામ કરે છે અને અલ્ઝાઈમરની સમસ્યાનો ખતરો ઓછો થઈ જાય છે. તેનું સેવન નબળી યાદશક્તિને સુધારવામાં પણ મદદ કરે છે.
5/7

લાલ દ્રાક્ષમાં જોવા મળતું કેલ્શિયમ હાડકાંને મજબૂત કરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. લાલ દ્રાક્ષ ખાસ કરીને નાના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં જોવા મળતા એન્ઝાઇમ રેઝવેરાટ્રોલમાં ઓસ્ટિઓજેનિક ગુણ હોય છે, એટલે કે તે હાડકાના યોગ્ય વિકાસમાં મદદ કરે છે.
6/7

લાલ દ્રાક્ષમાં મળતું આલ્કોહોલિક અર્ક અસ્થમાની સમસ્યામાં રાહત અપાવવામાં કારગર સાબિત થાય છે. વાસ્તવમાં, આ અર્કમાં ગેલિક એસિડ હોય છે જે શ્વસન એલર્જી અને ચેપને કારણે થતા અસ્થમાના જોખમને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
7/7

આમ લાલ દ્રાશના સેવનના પણ અનેક ફાયદા છે.
Published at : 03 Apr 2024 07:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
