શોધખોળ કરો
શું ડાયાબિટિસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે ? જાણો શું કહે છે એક્સપર્ટ
શું ડાયાબિટિસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે ? જાણો શું કહે છે એક્સપર્ટ
પ્રતિકાત્મક તસવીર
1/6

ઉનાળાની શરુઆત સાથે જ કેરીનું આગમન થઈ જાય છે. દરેક લોકો કેરી ખાવાનું પસંદ કરતા હોય છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત કેરીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. કેરીમાં કુદરતી મીઠાશ હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ તેને ખાવી કે નહીં તે અંગે દુવિધામાં રહે છે. ચાલો જાણીએ કે કેરી ખાવાથી બ્લડ શુગર વધે છે કે નહીં. ડાયાબિટીસના દર્દીઓએ કેરી કેટલી માત્રામાં ખાવી જોઈએ.
2/6

કેરી ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ મળે છે. તેથી જ તે શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.ડાયાબિટીસના દર્દીઓએ તાજી કેરીનું સેવન કરવું જોઈએ. સૂકી કેરીની સરખામણીમાં તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. ડાયાબિટીસના દર્દીઓ કેરીનું સેવન કરી શકે છે. પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તેમના દ્વારા સૂચવવામાં આવેલી રીતે કેરીનું સેવન કરો. ડૉક્ટર તમને જાણ કરશે કે કઈ માત્રામાં અને કયા સમયે કેરી ખાવાથી નુકસાન નહી થાય.
Published at : 11 Mar 2025 03:21 PM (IST)
આગળ જુઓ




















