શોધખોળ કરો
નોટબંધી પછીનો મોટો ખુલાસો: RBI એ ૨૦૦૦ ની નોટોના પરત ફરવાના આંકડા જાહેર કર્યા!
ચલણમાંથી ૯૮.૨૬% નોટો પરત આવી, RBI એ જમા કરાવવા અને બદલી કરાવવા ફરી અપીલ કરી; પોસ્ટ ઓફિસ દ્વારા પણ બદલી શકશે.
₹2000 note circulation 2025: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણયને બે વર્ષ પૂર્ણ થયા હોવા છતાં, હજુ પણ હજારો કરોડ રૂપિયાની આ નોટો લોકો પાસે રહી ગઈ છે. RBI દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ₹ ૬,૧૮૧ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે.
1/5

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ૧૯ મે, ૨૦૨૩ ના રોજ ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને બે વર્ષ વીતી ગયા હોવા છતાં, આંકડા મુજબ, ₹ ૬,૧૮૧ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે. RBI દ્વારા સોમવારે (૨ જૂન, ૨૦૨૫) જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર આ માહિતી સામે આવી છે. જોકે, રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે ૨૦૦૦ રૂપિયાની નોટો કાયદેસર (લીગલ ટેન્ડર) રહેશે.
2/5

RBI ના નિવેદન મુજબ, ૧૯ મે, ૨૦૨૩ ના રોજ કામકાજના અંતે ચલણમાં રહેલી ૨૦૦૦ રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય ₹ ૩.૫૬ લાખ કરોડ હતું. આ મૂલ્ય ૩૧ મે, ૨૦૨૫ ના રોજ કામકાજના અંતે ઘટીને ₹ ૬,૧૮૧ કરોડ થઈ ગયું છે. આમ, ૧૯ મે, ૨૦૨૩ ના રોજ ચલણમાં રહેલી ૨૦૦૦ રૂપિયાની નોટોમાંથી ૯૮.૨૬ ટકા પરત આવી ગઈ છે.
Published at : 02 Jun 2025 07:11 PM (IST)
આગળ જુઓ




















