શોધખોળ કરો
ગુજરાતમાં આવશે મિની વાવાઝોડું! અંબાલાલ પટેલનીની ૧૦ એપ્રિલ પછી મોટા બદલાવની આગાહી
Gujarat Weather: રાજ્યમાં આજથી કાતિલ ગરમીનો પ્રારંભ, ૧૨ એપ્રિલ સુધી તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે, ત્યારબાદ વાતાવરણમાં મોટો પલટો આવશે.
Weather News: ગુજરાતમાં માર્ચ મહિના બાદ હવે એપ્રિલમાં પણ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૧૦ એપ્રિલ પછી રાજ્યમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમની આગાહી મુજબ, રાજ્યમાં આંધી અને વંટોળ સાથે તોફાન આવવાની સંભાવના છે.
1/6

અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમી અંગે વાત કરતા જણાવ્યું છે કે આજથી જ રાજ્યમાં ગરમીનો પારો વધવા લાગશે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર જઈ શકે છે. ખાસ કરીને વડોદરા, આણંદ અને નડિયાદ જેવા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે.
2/6

આ ઉપરાંત, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ૧૨ એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. જો કે, ૧૦ એપ્રિલ પછી રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.
Published at : 06 Apr 2025 03:34 PM (IST)
આગળ જુઓ





















