શોધખોળ કરો
આસામમાં જળબંબાકાર: ૭૬૪ ગામો પાણીમાં ડૂબ્યા, ૪ લાખ લોકો પ્રભાવિત; હજુ તો વરસાદ વધુ ભુક્કા બોલાવશે, જુઓ PHOTOS
કાચરમાં સૌથી ખરાબ સ્થિતિ, ૧૨ જિલ્લાઓમાં ૧૫૫ રાહત શિબિરો કાર્યરત; મુખ્યમંત્રીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
આસામમાં ચોમાસાના પ્રથમ વરસાદે વિનાશ વેર્યો છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે. ૨૦ જિલ્લાના ૭૬૪ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને લગભગ ૪ લાખ લોકો પ્રભાવિત થયા છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૨ લોકોના મોત થયા છે, જેની સાથે આ વર્ષે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૧૦ પર પહોંચી ગઈ છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં વધુ મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે.
1/6

પૂર્વોત્તર ભારતમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે વિનાશ વેર્યો છે, જેના કારણે આસામમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (ASDMA) ના અહેવાલ મુજબ, રાજ્યના ૨૦ જિલ્લાના ૭૬૪ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને અંદાજે ૪ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ ઘટનાઓમાં કાચર અને શ્રીભૂમિ જિલ્લામાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેથી આ વર્ષે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને ૧૦ થઈ ગઈ છે.
2/6

ASDMA એ જણાવ્યું હતું કે, કાચર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં એક લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ત્યારબાદ, શ્રીભૂમિમાં ૮૫,૦૦૦ અને નાગાંવમાં ૬૨,૦૦૦ લોકો પ્રભાવિત થયા છે. હાલમાં આસામમાં ૩,૫૨૪.૩૮ હેક્ટર પાક વિસ્તાર નાશ પામ્યો હોવાનો અંદાજ છે.
Published at : 02 Jun 2025 04:27 PM (IST)
આગળ જુઓ





















