શોધખોળ કરો
હવે હનુમાનજીના જન્મસ્થળ અંગે વિવાદ, ક્યા ક્યાં બે રાજ્યો સામસામે આવી જતાં જન્મસ્શળ નક્કી કરવા બનાવાઈ સમિતી ?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/918e004d73ef25992c8b293833524c23_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/4
![નવી દિલ્લીઃ રામભક્ત હનુમાનજીનું જન્મસ્થળ ક્યાં આવેલું છે એ મુદ્દે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના વિવાદ સર્જાયો છે. આ વિવાદને ઉકેલવા માટે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ 21 એપ્રિલે પોતાનો અહેવાલ રજૂ કરશે. હિંદુઓમાં અત્યંત શ્રધ્ધેય અને ભગવાન રામના પરમભક્ત ભગવાન હનુમાનજીનો જન્મ ભારતના ક્યા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે વિવાદ વકર્યો છે તેથી આ સમિતી બનાવવી પડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/b448080cb70f8d61af04f1aec72c32f3d28b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્લીઃ રામભક્ત હનુમાનજીનું જન્મસ્થળ ક્યાં આવેલું છે એ મુદ્દે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના વિવાદ સર્જાયો છે. આ વિવાદને ઉકેલવા માટે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ 21 એપ્રિલે પોતાનો અહેવાલ રજૂ કરશે. હિંદુઓમાં અત્યંત શ્રધ્ધેય અને ભગવાન રામના પરમભક્ત ભગવાન હનુમાનજીનો જન્મ ભારતના ક્યા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે વિવાદ વકર્યો છે તેથી આ સમિતી બનાવવી પડી છે.
2/4
![ભગવાન રામના પરમભક્ત ભગવાન હનુમાનજીનો જન્મ ભારતના ક્યા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે હિંદુ ધર્મનાં ધર્મગ્રંથોમાં અલગ અલગ વર્ણનો વાંચવા મળે છે. તેના કારણે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ વિશે વિવાદ શરૂ થયો છે. આ વિવાદ વકરે નહીં એટલે આ સમિતી બનાવાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/e28579de5d0d4c9ff4b2664fdfc82d88bc132.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભગવાન રામના પરમભક્ત ભગવાન હનુમાનજીનો જન્મ ભારતના ક્યા વિસ્તારમાં થયો હતો તે મુદ્દે હિંદુ ધર્મનાં ધર્મગ્રંથોમાં અલગ અલગ વર્ણનો વાંચવા મળે છે. તેના કારણે કર્ણાટક અને આંધ્રપ્રદેશ વચ્ચે હનુમાનજીના જન્મસ્થળ વિશે વિવાદ શરૂ થયો છે. આ વિવાદ વકરે નહીં એટલે આ સમિતી બનાવાઈ છે.
3/4
![કર્ણાટકના શિવમોગ્ગામાં આવેલા રામચંદ્રપુર મઠના વડા રાધેશ્વર ભારતીએ રામાયણનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે, હનુમાનજીએ ખુદ સીતા માતાને પોતાની જન્મભૂમિ વિશે જણાવ્યું હતું. તેમનો દાવો છે કે, હનુમાનજીએ ખુદ સીતા માતાને કહ્યું હતું તે પ્રમાણે હનુમાનજીનો જન્મ ગોકર્ણના સમુદ્ર કિનારે થયો હતો. આ સ્થળ અત્યારે કર્ણાટકમાં આવેલું છે. આ પહેલાં કર્ણાટકે દાવો કર્યો હતો કે અત્યારે કોપ્પલ જિલ્લામાં આવેલા કિષ્કિન્ધામાં અંજનાદ્રી પહાડીઓમાં હનુમાનજીનો જન્મ થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/3ad3a81efb7ce0cbec3f8596232e573f7530e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કર્ણાટકના શિવમોગ્ગામાં આવેલા રામચંદ્રપુર મઠના વડા રાધેશ્વર ભારતીએ રામાયણનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે, હનુમાનજીએ ખુદ સીતા માતાને પોતાની જન્મભૂમિ વિશે જણાવ્યું હતું. તેમનો દાવો છે કે, હનુમાનજીએ ખુદ સીતા માતાને કહ્યું હતું તે પ્રમાણે હનુમાનજીનો જન્મ ગોકર્ણના સમુદ્ર કિનારે થયો હતો. આ સ્થળ અત્યારે કર્ણાટકમાં આવેલું છે. આ પહેલાં કર્ણાટકે દાવો કર્યો હતો કે અત્યારે કોપ્પલ જિલ્લામાં આવેલા કિષ્કિન્ધામાં અંજનાદ્રી પહાડીઓમાં હનુમાનજીનો જન્મ થયો હતો.
4/4
![બીજી તરફ આંધ્રપ્રદેશનો દાવો છે કે, હનુમાનજીનો જન્મ તિરૂપતિની સાત પહાડીઓમાંથી એક એવી અંજનાદ્રીમાં થયો હતો. આ મુદ્દે સતત વિરોધાભાસી દાવા થઈ રહ્યાં હોવાથી તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે (ટીટીડી) વૈદિક સમિતિને હનુમાનજીના જન્મસ્થળ અંગે રીપોર્ટ આપવા જણાવ્યું છે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના નેજા હેઠળ કામ કરતી વૈદિક સમિતિ ધાર્મિક અને વૈદિક બાબતોની ખરાઈ કરે છે. આ સમિતિમાં પુરાતત્વવિદ અને ઈસરોના એક વિજ્ઞાાનીનો સમાવેશ કરાયો છે. અલગ અલગ પૌરાણિક ગ્રંથોમાં હનુમાનજીના જન્મસ્થળ અંગે જુદાં-જુદાં વર્ણનો મળતા હોવાથી ઘણાં રાજ્યોના લોકો હનુમાનજીનો જન્મ પોતાના રાજ્યમાં થયો હોવાનું માને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/ce452d23f0f846c09454796fc4136800caaba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી તરફ આંધ્રપ્રદેશનો દાવો છે કે, હનુમાનજીનો જન્મ તિરૂપતિની સાત પહાડીઓમાંથી એક એવી અંજનાદ્રીમાં થયો હતો. આ મુદ્દે સતત વિરોધાભાસી દાવા થઈ રહ્યાં હોવાથી તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમે (ટીટીડી) વૈદિક સમિતિને હનુમાનજીના જન્મસ્થળ અંગે રીપોર્ટ આપવા જણાવ્યું છે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમના નેજા હેઠળ કામ કરતી વૈદિક સમિતિ ધાર્મિક અને વૈદિક બાબતોની ખરાઈ કરે છે. આ સમિતિમાં પુરાતત્વવિદ અને ઈસરોના એક વિજ્ઞાાનીનો સમાવેશ કરાયો છે. અલગ અલગ પૌરાણિક ગ્રંથોમાં હનુમાનજીના જન્મસ્થળ અંગે જુદાં-જુદાં વર્ણનો મળતા હોવાથી ઘણાં રાજ્યોના લોકો હનુમાનજીનો જન્મ પોતાના રાજ્યમાં થયો હોવાનું માને છે.
Published at : 13 Apr 2021 12:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)