શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ramlala Pran Pratishtha: સુંગધિત ફુલોની સજાવટથી મહેંકી ઉઠી રામનગરી, જુઓ મંદિરની સજાવટની રમણીય તસવીર
ફૂલ ડેકોરેશન અને લાઇટિંગ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ ટ્રસ્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાથે મળીને કામ કરી રહ્યા છે.
![ફૂલ ડેકોરેશન અને લાઇટિંગ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ ટ્રસ્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાથે મળીને કામ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/3a2b6a7b29b2b6618d8119052054950c170580548109481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુગંધિત ફુલોથી મહેકી ઉઠ્યું મંદિર ( તસવીર - એબીપી અસ્મતા)
1/9
![Ramlala Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે માત્ર બે દિવસ બાકી છે ત્યારે અયોધ્યાના રામ મંદિરને ભવ્ય કાર્યક્રમ માટે ફૂલો અને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/f3ccdd27d2000e3f9255a7e3e2c488000cd8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ramlala Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે માત્ર બે દિવસ બાકી છે ત્યારે અયોધ્યાના રામ મંદિરને ભવ્ય કાર્યક્રમ માટે ફૂલો અને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યું છે.
2/9
![મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે શણગાર માટે ફૂલોના મોટો જથ્થો યુઝ કરવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરીના રોજ યોજાનારા સમારોહને ધ્યાનમાં રાખીને મંદિરને સજાવવા માટે ફૂલોની વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/156005c5baf40ff51a327f1c34f2975b23340.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે શણગાર માટે ફૂલોના મોટો જથ્થો યુઝ કરવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરીના રોજ યોજાનારા સમારોહને ધ્યાનમાં રાખીને મંદિરને સજાવવા માટે ફૂલોની વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
3/9
![તેણે કહ્યું,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/799bad5a3b514f096e69bbc4a7896cd9668e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે કહ્યું, "આ બધાં જ સાચાં ફૂલો છે અને શિયાળાની ઋતુને કારણે તે પ્રમાણમાં લાંબા સમય સુધી તાજા રહે છે, તેથી તેઓ અભિષેક સમારોહ સુધી તાજા રહેશે." આ ફૂલોની સુગંધ અને સુંદરતાએ મંદિરની દિવ્યતામાં વધુ વધારો કર્યો છે.
4/9
![ફૂલ ડેકોરેશન અને લાઇટિંગ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ ટ્રસ્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાથે મળીને કામ કરી રહ્યા છે. સૂત્રએ જણાવ્યું હતું કે, બહારની લાઇટિંગ ડેકોરેશન દિયાની 'થીમ' પર આધારિત છે જેથી તેને પરંપરાગત દેખાવ મળે અને મંદિરના અલંકૃત તત્વોને હાઇલાઇટ કરવામાં આવે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/d0096ec6c83575373e3a21d129ff8fef718ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફૂલ ડેકોરેશન અને લાઇટિંગ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેઓ ટ્રસ્ટના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાથે મળીને કામ કરી રહ્યા છે. સૂત્રએ જણાવ્યું હતું કે, બહારની લાઇટિંગ ડેકોરેશન દિયાની 'થીમ' પર આધારિત છે જેથી તેને પરંપરાગત દેખાવ મળે અને મંદિરના અલંકૃત તત્વોને હાઇલાઇટ કરવામાં આવે.
5/9
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/032b2cc936860b03048302d991c3498fb2c25.jpg?impolicy=abp_cdn&imwidth=720)
"ગભગૃહની અંદર પરંપરાગત દીવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે મંદિરની અંદરની લાઇટિંગ સ્થાપત્યને પ્રકાશિત કરશે જ્યારે બાહરની લાઇટિંગ સાંજ પછી જ ચાલુ કરવામાં આવશે.
6/9
![અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક વિધિ પહેલા ગુરુવારે બપોરે રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. મૈસૂર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની 51 ઇંચની પ્રતિમાને ટ્રક દ્વારા અહીં લાવવામાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/18e2999891374a475d0687ca9f989d83099e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક વિધિ પહેલા ગુરુવારે બપોરે રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. મૈસૂર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની 51 ઇંચની પ્રતિમાને ટ્રક દ્વારા અહીં લાવવામાં આવી હતી.
7/9
![વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા મહાનુભાવો 22 જાન્યુઆરીએ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં હાજરી આપશે. ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પત્રકારોને જણાવ્યું હતું કે મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશામાંથી થશે અને ગમન દક્ષિણ દિશામાંથી થશે અને સમગ્ર મંદિરનું સુપરસ્ટ્રક્ચર આખરે ત્રણ માળનું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/fe5df232cafa4c4e0f1a0294418e56609febe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ઘણા મહાનુભાવો 22 જાન્યુઆરીએ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં હાજરી આપશે. ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પત્રકારોને જણાવ્યું હતું કે મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશામાંથી થશે અને ગમન દક્ષિણ દિશામાંથી થશે અને સમગ્ર મંદિરનું સુપરસ્ટ્રક્ચર આખરે ત્રણ માળનું છે.
8/9
![મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે, પ્રવાસીઓ પૂર્વ બાજુથી 32 સીડીઓ ચઢશે. પરંપરાગત નાગારા શૈલીમાં બનેલું મંદિર સંકુલ 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/8cda81fc7ad906927144235dda5fdf153a057.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે, પ્રવાસીઓ પૂર્વ બાજુથી 32 સીડીઓ ચઢશે. પરંપરાગત નાગારા શૈલીમાં બનેલું મંદિર સંકુલ 380 ફૂટ લાંબુ (પૂર્વ-પશ્ચિમ દિશા), 250 ફૂટ પહોળું અને 161 ફૂટ ઊંચું હશે.
9/9
![તમને જણાવી દઈએ કે સોમવારે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યામાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દરેક જગ્યાએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/30e62fddc14c05988b44e7c02788e187cb0bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે સોમવારે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યામાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દરેક જગ્યાએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Published at : 21 Jan 2024 08:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)