શોધખોળ કરો
પરમાણુ હુમલો થાય તો શું કરવું? વિસ્ફોટ પછી ભાગવું કે છુપાવું? જાણો રેડિએશનથી બચવાની સાચી રીત
ઈરાનના એરબેઝ પર થયેલા ભીષણ હુમલા બાદ ફરી સળવળ્યો પરમાણુ યુદ્ધનો ડર; એક્સપર્ટ્સની સલાહ - બ્લાસ્ટ થાય ત્યારે બહાર દોડવાને બદલે મજબૂત ઈમારત કે ભોંયરામાં આશરો લો.
21 માર્ચ, 2026 ના રોજ ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતના દેઝફુલ શહેર નજીક આવેલા વહદાતી એરબેઝ પર અમેરિકા અને ઈઝરાયલે કરેલા ભયાનક મિસાઈલ હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. આ હુમલામાં એરબેઝના દારૂગોળાના બંકરો ફૂટી જવાથી વિસ્ફોટોની વણથંભી હારમાળા સર્જાઈ હતી. દુનિયાના દેશો વચ્ચે વધતી જતી આ દુશ્મનાવટ અને યુદ્ધ જેવી સ્થિતિએ ફરી એકવાર પરમાણુ હુમલા (Nuclear Attack) નો જૂનો ડર લોકોના મનમાં જીવંત કર્યો છે. પરમાણુ બોમ્બ એ માનવજાત માટે અત્યાર સુધીનો સૌથી મોટો અને જીવલેણ ખતરો છે. આવા ટેન્શનવાળા માહોલમાં, એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જો ક્યારેય પરમાણુ વિસ્ફોટ થાય, તો તેના ખતરનાક રેડિએશન (કિરણોત્સર્ગ) થી પોતાનો જીવ કેવી રીતે બચાવવો.
Published at : 22 Mar 2026 07:01 PM (IST)
ટ્રેન્ડિંગ સમાચાર





























