શોધખોળ કરો

પરમાણુ હુમલો થાય તો શું કરવું? વિસ્ફોટ પછી ભાગવું કે છુપાવું? જાણો રેડિએશનથી બચવાની સાચી રીત

ઈરાનના એરબેઝ પર થયેલા ભીષણ હુમલા બાદ ફરી સળવળ્યો પરમાણુ યુદ્ધનો ડર; એક્સપર્ટ્સની સલાહ - બ્લાસ્ટ થાય ત્યારે બહાર દોડવાને બદલે મજબૂત ઈમારત કે ભોંયરામાં આશરો લો.

ઈરાનના એરબેઝ પર થયેલા ભીષણ હુમલા બાદ ફરી સળવળ્યો પરમાણુ યુદ્ધનો ડર; એક્સપર્ટ્સની સલાહ - બ્લાસ્ટ થાય ત્યારે બહાર દોડવાને બદલે મજબૂત ઈમારત કે ભોંયરામાં આશરો લો.

21 માર્ચ, 2026 ના રોજ ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતના દેઝફુલ શહેર નજીક આવેલા વહદાતી એરબેઝ પર અમેરિકા અને ઈઝરાયલે કરેલા ભયાનક મિસાઈલ હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. આ હુમલામાં એરબેઝના દારૂગોળાના બંકરો ફૂટી જવાથી વિસ્ફોટોની વણથંભી હારમાળા સર્જાઈ હતી. દુનિયાના દેશો વચ્ચે વધતી જતી આ દુશ્મનાવટ અને યુદ્ધ જેવી સ્થિતિએ ફરી એકવાર પરમાણુ હુમલા (Nuclear Attack) નો જૂનો ડર લોકોના મનમાં જીવંત કર્યો છે. પરમાણુ બોમ્બ એ માનવજાત માટે અત્યાર સુધીનો સૌથી મોટો અને જીવલેણ ખતરો છે. આવા ટેન્શનવાળા માહોલમાં, એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જો ક્યારેય પરમાણુ વિસ્ફોટ થાય, તો તેના ખતરનાક રેડિએશન (કિરણોત્સર્ગ) થી પોતાનો જીવ કેવી રીતે બચાવવો.

1/7
જ્યારે પરમાણુ બોમ્બ ફૂટે છે, ત્યારે સૌથી પહેલા આંખો આંજી દેતો અત્યંત તેજ પ્રકાશ, ભયંકર ગરમી અને ઉર્જાની એક શક્તિશાળી લહેર પેદા થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે હિરોશિમામાં જ્યારે બોમ્બ ફેંકાયો ત્યારે એટલી બધી ગરમી પેદા થઈ હતી કે લોકો ઉભા-ઉભા જ વરાળ બનીને ઉડી ગયા હતા! જોકે, જે લોકો બોમ્બ ફૂટવાની જગ્યાથી થોડા દૂર હોય છે, તેમના માટે સૌથી મોટો દુશ્મન ગરમી નહીં, પણ 'રેડિએશન' હોય છે.
જ્યારે પરમાણુ બોમ્બ ફૂટે છે, ત્યારે સૌથી પહેલા આંખો આંજી દેતો અત્યંત તેજ પ્રકાશ, ભયંકર ગરમી અને ઉર્જાની એક શક્તિશાળી લહેર પેદા થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે હિરોશિમામાં જ્યારે બોમ્બ ફેંકાયો ત્યારે એટલી બધી ગરમી પેદા થઈ હતી કે લોકો ઉભા-ઉભા જ વરાળ બનીને ઉડી ગયા હતા! જોકે, જે લોકો બોમ્બ ફૂટવાની જગ્યાથી થોડા દૂર હોય છે, તેમના માટે સૌથી મોટો દુશ્મન ગરમી નહીં, પણ 'રેડિએશન' હોય છે.
2/7
આ રેડિએશન હવામાં કિલોમીટરો સુધી ફેલાય છે અને ધીમે-ધીમે આપણા શરીરના કોષો (Cells) નો નાશ કરે છે. આ એક એવું અદ્રશ્ય મોત છે, જે માણસને તરત નહીં તો થોડા દિવસો કે મહિનાઓ પછી રિબાવી-રિબાવીને મારે છે. પરમાણુ હુમલો થાય ત્યારે બચવા માટે તમારી પાસે માત્ર ગણતરીની સેકન્ડો જ હોય છે. આવા સમયે માત્ર સાચી માહિતી જ તમારો જીવ બચાવી શકે છે.
આ રેડિએશન હવામાં કિલોમીટરો સુધી ફેલાય છે અને ધીમે-ધીમે આપણા શરીરના કોષો (Cells) નો નાશ કરે છે. આ એક એવું અદ્રશ્ય મોત છે, જે માણસને તરત નહીં તો થોડા દિવસો કે મહિનાઓ પછી રિબાવી-રિબાવીને મારે છે. પરમાણુ હુમલો થાય ત્યારે બચવા માટે તમારી પાસે માત્ર ગણતરીની સેકન્ડો જ હોય છે. આવા સમયે માત્ર સાચી માહિતી જ તમારો જીવ બચાવી શકે છે.
3/7
મોટાભાગના લોકોને એવું લાગે છે કે બોમ્બ ફૂટે એટલે તરત જ ત્યાંથી દૂર ભાગી જવું જોઈએ, પણ હકીકતમાં આમ કરવું જીવલેણ સાબિત થઈ શકે છે! રેડિએશનની લહેર એટલી ઝડપી અને મજબૂત હોય છે કે તમે તેનાથી બચીને ભાગી શકતા નથી. એટલે, બહાર દોડવાને બદલે અંદર જવાનો નિયમ અપનાવો. એક્સપર્ટ્સ કહે છે કે,
મોટાભાગના લોકોને એવું લાગે છે કે બોમ્બ ફૂટે એટલે તરત જ ત્યાંથી દૂર ભાગી જવું જોઈએ, પણ હકીકતમાં આમ કરવું જીવલેણ સાબિત થઈ શકે છે! રેડિએશનની લહેર એટલી ઝડપી અને મજબૂત હોય છે કે તમે તેનાથી બચીને ભાગી શકતા નથી. એટલે, બહાર દોડવાને બદલે અંદર જવાનો નિયમ અપનાવો. એક્સપર્ટ્સ કહે છે કે, "અંદર રહો અને જાણકાર રહો."
4/7
જેવો વિસ્ફોટનો અવાજ સંભળાય કે તરત જ ઈંટ અથવા કોંક્રિટ (સિમેન્ટ) થી બનેલી કોઈ મજબૂત ઈમારતની અંદર જતા રહો. જો તે ઈમારતમાં અંડરગ્રાઉન્ડ ભોંયરું (Basement) હોય, તો તે છુપાવવા માટે સૌથી સુરક્ષિત જગ્યા છે. કોંક્રિટની જાડી દીવાલો રેડિએશનને અંદર આવતા મોટાભાગે રોકી લે છે. ઘરની બારીઓ અને દરવાજાથી બને તેટલા દૂર રહેજો, કારણ કે બ્લાસ્ટની અસરથી કાચ તૂટવાનો અને ત્યાંથી રેડિએશન અંદર આવવાનો ખતરો સૌથી વધુ હોય છે.
જેવો વિસ્ફોટનો અવાજ સંભળાય કે તરત જ ઈંટ અથવા કોંક્રિટ (સિમેન્ટ) થી બનેલી કોઈ મજબૂત ઈમારતની અંદર જતા રહો. જો તે ઈમારતમાં અંડરગ્રાઉન્ડ ભોંયરું (Basement) હોય, તો તે છુપાવવા માટે સૌથી સુરક્ષિત જગ્યા છે. કોંક્રિટની જાડી દીવાલો રેડિએશનને અંદર આવતા મોટાભાગે રોકી લે છે. ઘરની બારીઓ અને દરવાજાથી બને તેટલા દૂર રહેજો, કારણ કે બ્લાસ્ટની અસરથી કાચ તૂટવાનો અને ત્યાંથી રેડિએશન અંદર આવવાનો ખતરો સૌથી વધુ હોય છે.
5/7
ધારો કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે તમે ઘરની બહાર હતા અને પછી દોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છો, તો સૌથી પહેલું કામ તમારા બહારના કપડાં કાઢવાનું કરો. રેડિએશનના ઝેરી કણો તમારા કપડાં પર ધૂળની જેમ ચોંટી ગયા હોય છે. એટલે તરત જ તે કપડાં ઉતારીને તેને એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દો અને ઘરના કોઈ ખૂણામાં એવી જગ્યાએ મૂકી દો જ્યાં માણસો કે પ્રાણીઓ ન જતા હોય.
ધારો કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે તમે ઘરની બહાર હતા અને પછી દોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છો, તો સૌથી પહેલું કામ તમારા બહારના કપડાં કાઢવાનું કરો. રેડિએશનના ઝેરી કણો તમારા કપડાં પર ધૂળની જેમ ચોંટી ગયા હોય છે. એટલે તરત જ તે કપડાં ઉતારીને તેને એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દો અને ઘરના કોઈ ખૂણામાં એવી જગ્યાએ મૂકી દો જ્યાં માણસો કે પ્રાણીઓ ન જતા હોય.
6/7
ત્યારબાદ, નવશેકા ગરમ પાણી અને સાબુથી સારી રીતે સ્નાન કરી લો. ધ્યાન રાખજો કે નહાતી વખતે ચામડીને ખૂબ જોરથી ઘસવાની નથી, નહીંતર છોલાયેલી ચામડી કે ઘા વાટે રેડિએશનના કણો શરીરમાં ઘૂસી શકે છે. કોઈ ભીના અને સાફ કપડાથી તમારી આંખો, નાક અને કાન લૂછી લો. માત્ર આટલું કરવાથી જ તમારા પર રેડિએશનની અસર 90% સુધી ઓછી થઈ શકે છે.
ત્યારબાદ, નવશેકા ગરમ પાણી અને સાબુથી સારી રીતે સ્નાન કરી લો. ધ્યાન રાખજો કે નહાતી વખતે ચામડીને ખૂબ જોરથી ઘસવાની નથી, નહીંતર છોલાયેલી ચામડી કે ઘા વાટે રેડિએશનના કણો શરીરમાં ઘૂસી શકે છે. કોઈ ભીના અને સાફ કપડાથી તમારી આંખો, નાક અને કાન લૂછી લો. માત્ર આટલું કરવાથી જ તમારા પર રેડિએશનની અસર 90% સુધી ઓછી થઈ શકે છે.
7/7
રેડિએશનથી બચવા માટે સૌથી અગત્યનું છે કે બહારની હવા અંદર ન આવવા દેવી. ઘરની બધી જ બારીઓ અને દરવાજા ચુસ્ત રીતે બંધ કરી દો. એસી (AC), પંખા કે હીટર જેવા તમામ ઉપકરણો બંધ કરી દો જે બહારની હવા અંદર ખેંચતા હોય. ઓછામાં ઓછા 24 થી 48 કલાક (એક-બે દિવસ) સુધી ભૂલથી પણ ઘરની બહાર ન નીકળતા, કારણ કે વિસ્ફોટ થયા પછીના પહેલા 24 કલાકમાં રેડિએશનનું સ્તર સૌથી વધુ ઘાતક અને જીવલેણ હોય છે.
રેડિએશનથી બચવા માટે સૌથી અગત્યનું છે કે બહારની હવા અંદર ન આવવા દેવી. ઘરની બધી જ બારીઓ અને દરવાજા ચુસ્ત રીતે બંધ કરી દો. એસી (AC), પંખા કે હીટર જેવા તમામ ઉપકરણો બંધ કરી દો જે બહારની હવા અંદર ખેંચતા હોય. ઓછામાં ઓછા 24 થી 48 કલાક (એક-બે દિવસ) સુધી ભૂલથી પણ ઘરની બહાર ન નીકળતા, કારણ કે વિસ્ફોટ થયા પછીના પહેલા 24 કલાકમાં રેડિએશનનું સ્તર સૌથી વધુ ઘાતક અને જીવલેણ હોય છે.

દુનિયા ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget