ચેન્નઈઃ ચક્રવાતી વાવાઝોડું વરદા ચેન્નાઈની ઉત્તરમાં સમુદ્ર કાંઠા ખાતે ટકરાયું હતું. જેના પરિણામે તામિલનાડુમાં 10 લોકોના મોત થયા છે. જેમાં 4 લોકો ચેન્નઈમાં, 2 કાંચીપુરમ, 2 તિરુવલ્લૂર, 1 વિલ્લૂપુરમ અને 1 નાગાપટ્ટનમમાં થયા છે. સરકારે મૃતકોના પરિવારજનોને 4 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ચક્રવાતના પગલે તમામ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ચેન્નઈ એરપોર્ટ હાલ શરૂ થઈ ગયું છે. આ વાવાઝોડાને કારણે સમુદ્ર કિનારા વિસ્તારમાં ભારે વિનાશ જોવા મળ્યો છે. હવાની ગતિ 120થી 130 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આગળની સ્લાઈડ્સમાં જુઓ વિનાશક 'વરદા' વાવાઝોડાની તસવીરો.