શોધખોળ કરો
નવરાત્રિ વેકેશન સામે ગુજરાતના કયા શહેરમાં શરૂ થયો વિરોધ, જાણો વિગત
1/4

રાજકોટની આશરે 400 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ મિનિ વેકેશનને લઈને પોતાનો વિરોધ નોંધાવીને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજુઆત કરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશિએશન સહિતના લોકોએ આ મિનિ વેકેશનનો વિરોધ કરી રહ્યા છે.
2/4

રાજકોટના સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોશિએશનના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે, અમે મિનિ વેકેશનનો વિરોધ કરી રહ્યા છીએ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે. જો શાળાઓમાં નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવશે નહીં તો રાજકોટ જિલ્લાની 400થી વધુ ખાનગી શાળાઓ નવરાત્રી દરમિયાન શિક્ષણ કાર્ય ચાલુ રાખીશું.
Published at : 30 Jul 2018 12:57 PM (IST)
Tags :
Navratri VacationView More





















