શોધખોળ કરો
રાજકોટ જિલ્લા પંચાયતમાં બળાબળના પારખા ટાણે એટેક આવતાં ભાજપના કાર્યકરનું મોત
1/4

રાજકોટઃ આજે રાજકોટ જિલ્લા પંચાયતમાં બળાબળના પારખા સમયે જ ભાજપના કાર્યકરનું હાર્ટ એટેકને કારણે મોત થતાં ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના 21 સભ્યો સાથેની બસ રાજસ્થાનથી જિલ્લા પંચાયત ખાતે આવી એ સમયે ત્યાં ઉપસ્થિત ભાજપનો કાર્યકર અચાનક નીચે ઢળી પડ્યો હતો.
2/4

એક સભ્ય વાલીબેન તલાવડીયાની તબિયત નાદુસ્ત હોવાથી તેમનો મત રદ કરાયો હતો. વાલીબેન તલાવડીયા હાલ જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન છે. રાજકોટ જિલ્લા પંચાયતની 6 સમિતિઓમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ અને અપીલ સમિતિની રચના કરવામાં આવી છે.
Published at : 27 Jul 2018 12:19 PM (IST)
View More





















