શોધખોળ કરો
રાજકોટમાં સમી સાંજે લોહાણા બિઝનેસમેનને ગોળીએ દઈ હત્યા, જાણો શું છે કારણ?
1/5

હત્યા પછી મોડીરાતે મૃતકના પત્ની જયોત્સનાબેને નોંધાવેલી ફરિયાદમાં હત્યારા તરીકે સતિષ આહીર અને પિન્ટુ દરબારના નામ આપ્યા હતા. જેમની પાસેથી સુરેશભાઈએ એક વર્ષ પહેલાં રૂ.2 લાખ વ્યાજે લીધા હતા. આ મામલે અવારનવાર ધાકધમકી અપાઈ હતી. હત્યારાઓથી ખતરો હોવાની અરજી મૃતકે 9 મહિના પહેલાં પોલીસ કમિશનરને કરી હતી.
2/5
રાજકોટઃ ગઈ કાલે સમી સાંજે રાજકોટના લોહાણા બિઝનેસમેની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવતાં શહેરમાં હાહાકાર મચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ગાંધીગ્રામમાં રહેતા અને એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતાં સુરેશભાઈ હીરાભાઈ નથવાણી પર જામનગર રોડ પર સૈનિક સોસાયટી નજીક કારમાં આવેલા શખ્સો ફાયરિંગ કરી નાસી ગયા હતા. ફાયરિંગમાં ઘવાયેલા બિનેસમેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હત્યા સતિષ આહીર અને પિન્ટુ દરબાર સહિતના બે શખ્સોએ હત્યા કર્યાની ફરિયાદ તેમના પત્નીએ નોંધાવી છે. આ બન્ને શખ્સો પાસેથી મૃતક સુરેશભાઈએ રૂ. 2 લાખ વ્યાજે લીધા હતા. તેની ઉઘરાણીના મામલે થયેલી માથાકૂટ દરમિયાન બન્ને શખ્સોએ બિઝનેસમેનને મોતને ઘાટ ઊતારી દીધા હતા.
Published at : 13 Sep 2016 10:30 AM (IST)
Tags :
Rajkot MurderView More





















