શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ચાંદીના રથમાં તલવાર સાથે નીકળશે રાજકોટના રાજવી મનોહરસિંહજી દાદાની અંતિમયાત્રા, 9 ગનની અપાશે સલામી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/28080726/1-Former-Gujarat-FM-Manoharsinh-Jadeja-passes-away-in-Rajkot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![રાજવી મનોહરસિંહને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપવામાં આવશે. જેમાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પાર્થિવદેહને અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે, ત્યારબાદ ચાંદીના રથમાં તલવાર સાથે દાદાની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રા પહેલા રણજીત વિલાસ પેલેસ ખાતે 9 ગનની સલામી આપવામાં આવશે. આ અંતિમયાત્રા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી, ઢેબરરોડ થઇ ત્યાંથી ત્રિકોણબાગ લાખાજીરાજ પ્રતિમા ખાતે આશીર્વાદ મેળવી હાથિખાના થઇ રામનાથપરા સ્મશાન ખાતે લઇ જવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/28080734/3-Former-Gujarat-FM-Manoharsinh-Jadeja-passes-away-in-Rajkot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજવી મનોહરસિંહને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપવામાં આવશે. જેમાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પાર્થિવદેહને અંતિમ દર્શન અર્થે રાખવામાં આવશે, ત્યારબાદ ચાંદીના રથમાં તલવાર સાથે દાદાની અંતિમયાત્રા નીકળશે. અંતિમયાત્રા પહેલા રણજીત વિલાસ પેલેસ ખાતે 9 ગનની સલામી આપવામાં આવશે. આ અંતિમયાત્રા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી, ઢેબરરોડ થઇ ત્યાંથી ત્રિકોણબાગ લાખાજીરાજ પ્રતિમા ખાતે આશીર્વાદ મેળવી હાથિખાના થઇ રામનાથપરા સ્મશાન ખાતે લઇ જવામાં આવશે.
2/3
![ગુરુવારે રાતે રાજકોટના રાજવી મનોહરસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ રોયલ પેલેસ ખાતે જ અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ ઘણા સમયથી અલઝાઇમર નામની બિમારીથી પીડિત હતા. પરિવારના તમામ સભ્યોને રાજકોટ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/28080730/2-Former-Gujarat-FM-Manoharsinh-Jadeja-passes-away-in-Rajkot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગુરુવારે રાતે રાજકોટના રાજવી મનોહરસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ રોયલ પેલેસ ખાતે જ અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ ઘણા સમયથી અલઝાઇમર નામની બિમારીથી પીડિત હતા. પરિવારના તમામ સભ્યોને રાજકોટ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે.
3/3
![રાજકોટ: રાજકોટના પૂર્વ રાજવી, ગુજરાતના માજી નાણામંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે 83 વર્ષની વયે રણજિતવિલાસ પેલેસ ખાતે નિધન થયું છે. તેઓની સ્મશાનયાત્રા શુક્રવારે પેલેસ ખાતેથી જ નીકળશે અને રામનાથપરા જશે તેમ રાજવી પરિવારે જણાવ્યું હતું. મનોહરસિંહજી જાડેજા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તેઓની રણજિતવિલાસ પેલેસ ખાતે જ સારવાર કરવામાં આવતી હતી. સવારે 8 વાગ્યેથી 10 વાગ્યા સુધી મનોહરસિંહજીના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/28080726/1-Former-Gujarat-FM-Manoharsinh-Jadeja-passes-away-in-Rajkot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ: રાજકોટના પૂર્વ રાજવી, ગુજરાતના માજી નાણામંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે 83 વર્ષની વયે રણજિતવિલાસ પેલેસ ખાતે નિધન થયું છે. તેઓની સ્મશાનયાત્રા શુક્રવારે પેલેસ ખાતેથી જ નીકળશે અને રામનાથપરા જશે તેમ રાજવી પરિવારે જણાવ્યું હતું. મનોહરસિંહજી જાડેજા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તેઓની રણજિતવિલાસ પેલેસ ખાતે જ સારવાર કરવામાં આવતી હતી. સવારે 8 વાગ્યેથી 10 વાગ્યા સુધી મનોહરસિંહજીના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.
Published at : 28 Sep 2018 08:08 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)