આ બળાત્કાર કેસમાં એવી પણ વિગતો એવી છે કે, ખૂદ પોતાની દીકરી પર બળાત્કાર ગુજારવામાં મદદગારી કરનારી માતા અન્ય પુરુષ સાથે ભાગી ગઈ છે. આ મુદ્દો પણ ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હાલ પોલીસ આ તમામ દિશામાં તપાસ કરી રહી છે.
2/3
આ અંગે મળતી માહિતી પ્રમાણે પાટખીલોરી ગામની દલિત સગીરા પર ચોટીલા તાલુકાના ચોરવાડના શંકર રતન ઠાકોર નામના યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે સગીરા ગર્ભવતી થઈ હતી. સગીરા ગર્ભવતી થતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં, આ કિસ્સામાં સગીરા પર બળાત્કાર માટે તેની માતાની મદદગારી સામે આવતાં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
3/3
ગોંડલઃ ગોંડલ તાલુકાના પાટખિલોરી ગામે દલિત સગીરા પર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. ચોટીલાના યુવકે સગીરાની માતાની મદદગારીથી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.