શોધખોળ કરો
રાજકોટઃ મહિલાએ પોલીસને પોતાની જ સેક્સ સીડી આપીને કરી શું ફરિયાદ ? જાણો ચોંકાવનારી વિગત
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 14 Mar 2017 05:13 PM (IST)
1/8

જ્યોતિષે કહ્યા પ્રમાણે મનિષા વિધિ કરવા બાજુના રૂમમાં ગઇ તો જ્યોતિષે મારી સાથે અડપલાં કરવાનું શરૂ કર્યુ હતું અને કહ્યું કે જો કંઇ કહીશ તો બાળકને મારી નાખીશ. જ્યોતિષની આ ધમકીના કારણે મનિષાએ અંતે તાબે થવુ પડ્યું હતું. જ્યોતિષે મનિષા સાથે રૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા.
2/8

બીજી તરફ ભટ્ટ પરિવારનો દાવો છે કે, આ યુવતી જ્યોતિષને લાંબા સમયથી બ્લેકમેઈલ કરી રહી છે. તેણે અનેક વખત અગાઉ પૈસા માંગ્યા છે અને . વીસેક લાખ રૂપિયા પડાવી ગઇ છે. આ વખતે કરોડોની ડિમાન્ડ કરી રહી છે અને તે ના આપતાં તેણે ફરિયાદ કરી છે. આ મામલો હવે લડાઇ કાનૂની બની ગઇ છે.
3/8

શહેરના પોશ વિસ્તાર પંચશીલ પાર્કમાં રહેતા જ્યોતિષ શાસ્ત્રી અનંતપ્રસાદ ભટ્ટ સામેની ફરિયાદમાં મહિલાએ લખાવ્યું છે કે, મને રાજસ્થાન લઇ જઇ અડપલાં કર્યા તેનું રેકોર્ડિંગ પણ મેં કરી લીધું છે. પીડિતાએ પોલીસને એક સીડી પણ આપી છે. આ સીડીમાં મહિલા અને જ્યોતિષ સેક્સ માણતાં હોય તેવું રેકોર્ડિંગ છે.
4/8

રાજકોટ: શહેરના એક મહિલાએ એક જ્યોતિષ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જ્યોતિષ વિધિ કરવાના બહાને મહિલાને રાજસ્થાન લઈ ગયો હતો અને ત્યા તેની સાથે સેક્સ માણી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ મહિલાએ બે વખત લગ્ન કરી છૂટાછેડા લીધા છે.
5/8

આ અંગે તપાસનીશ અધિકારી બી.ટી વાઢિયાએ જણાવ્યું હતું કે, બનાવ ઘણો જૂનો છે અને તપાસ થઇ રહી છે. ફરિયાદીએ એક સીડી આપી છે, તેમાં શું છે તે એફએસએલમાં રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે. હાલ આરોપીને શોધી તેનું નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે. પીડિતાએ દાવો કર્યો છે કે, સીડી અનેક પુરાવા છે.
6/8

બે વખત છૂટાછેડા થતાં માનસિક રીતે ભાંગી પડેલી મનિષા જ્યોતિષના શરણે પહોંચી હતી. આઠ વર્ષ પહેલાં અનંતપ્રસાદ તેમના પાડોશમાં રહેતા હતા. તેથી તેમના સંપર્કમાં હોવાથી મનિષા તેમને મળી હતી. જ્યોતિષ અનંતપ્રસાદ મોટી ઉંમરના હોવાથી મનિષાએ તેને મન ખોલી બધી વાત કરી હતી.
7/8

ફરિયાદી મહિલા મનિષાએ (નામ બદલેલ છે)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, 2005માં તેણે પ્રથમ લગ્ન કર્યા હતા. આ લગ્ન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો પરંતુ મનમેળ ન આવતાં છૂટાછેડા લઈને બીજાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં પણ મેળ ના પડતાં બીજી વખત છૂટાછેડા લઈને પુત્ર સાથે માતાના ઘરે રહેવા જતી રહી હતી.
8/8

મનિષાની વાત સાંભળ્યા પછી અનંતપ્રસાદ વિધિ કરવી પડશે તેમ કહી મનિષાને રાજસ્થાન લઇ ગયા હતા. મનિષાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્યાં ધર્મશાળામાં બે રૂમ રાખ્યાં હતા એકમાં જ્યોતિષ અને એકમાં મનિષા રહી હતી. એક વખત સવારમાં મને જ્યોતિષના રૂમમાં બોલાવી અને તેના ચેલાએ કહ્યું કે બાળકને હું સાચવીશ.
Published at : 14 Mar 2017 05:13 PM (IST)
Tags :
Rajkot RapeSponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
દેશ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
દેશ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
દેશ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
ટ્રેન્ડિંગ સમાચાર






















