જાડેજાએ બીજા ટેસ્ટના ત્રીજા દિવસે કોઈ ત્રીજી વ્યક્તિ તરફ ખતરનાક રીતે બોલ ફેકવા બદલ દોષીત જણાયા હતા. શ્રીલંકાની ઇનીંગની 58મી ઓવર દરમિયાન પોતાની બોલીંગ પર બોલ રોકવા અને તેને બેટ્સમેન તરફ ફેંક્યો, જોકે બેટ્સમેને પોતાની ક્રીઝ છોડી ન હતા.
2/5
ડાબા હાથના સ્પિન બોલર જાડેટા 32 ટેસ્ટ મેચની 61 ઇનિંગમાં 155 વિકેટ લઈ ચૂક્યા છે. એક ઇનિંગમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 48 રન આપીને 8 વિકેટ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં 23.60ની સરેરાશ સાથે વિકેટ લેનાર જાડેજા નવ વખત એક મેચમાં 5 અથવા તેનાથી વધારે વિકેટ લઈ ચૂક્યા છે. એક મેચમાં તે 10 અથવા તેનાથી વધારે વિકેટ લઈ ચૂક્યા છે.
3/5
અમપ્યારે તેના આથ્રોને ખતરનાક ગણાવ્યો હતો. તેના થ્રોથી શ્રીલંકાના બેટ્સમેન કરણારત્ને માંડ માંડ બચ્યા હતા. તેમના ફેરપ્લે પોઈન્ટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો અને વિતેલા બે વર્ષ દરમિયાન જાડેજાને ડીમેરિટ પોઈન્ટ્સ 6 થઈ ગયા. ભારત શ્રીલંકાની સાથે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. બન્ને દેશોની વચ્ચે ત્રીજો ટેસ્ટ મેચ 12-16 ઓગસ્ટના રોજ રમાશે. પાંચ વન્ડે અને એક ટી-10 મેચ પણ રમાશે.
4/5
જાડેજાએ સોમવારે ટ્વીટ કર્યું, ''હમ થોડો શરીફ ક્યા હુએ, પૂરી દુનિયા હી બદમાશ હો ગઈ''. ઉલ્લેખનીય છે કે, કોલંબોમાં બીજા ટેસ્ટ પૂરો થયા બાદ જીતના હીરો રહેલ ભારતીય લેગ સ્પિનર રવીન્દ્ર જાડેજાને એક ટેસ્ટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્રીજો ટેસ્ટ 12 ઓગસ્ટના રોજ રમાશે. સાથે જ તેની મેચ ફીના 50 ટકા રકમ પણ કાપવામાં આવી હતી.
5/5
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કર્યા બાદ ટ્વિટર દ્વારા પરોક્ષ રીતે તેમણે જવાબ આપ્યો છે. જાડેજાએ પોતાના ટ્વીટમાં કોઈનું નામ તો નથી લીધું પરંતુ કહેવાય છે કે, આ ટ્વીટ આઈસીસીને તેનો જવાબ છે.