શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કહ્યું ભારત બેટ્સમેનો નહીં પણ બૉલરોના દમ પર જીતી શકે છે વર્લ્ડકપ, જાણો કેમ
અમારા બધા બૉલરો વિકેટ લેવાનું જાણે છે, અને જે ટીમની પાસે વિકેટ લેવાવાળા બૉલરો હોય છે, તેમનો ચાન્સ વધી જાય છે. અમારી પાસે આવજ બૉલર્સ છે, જે કોઇપણ પરિસ્થિતમાં વિકેટ કાઢી આપે છે

નવી દિલ્હીઃ આગામી 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડકપ માટે દરેક ટીમો પોતા પોતાને પ્રબળ દાવેદાર માની રહી છે. ત્યારે ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન અંજિક્યે રહાણેએ ભવિષ્યવાણી કરી છે કે ભારત જીતનું પ્રબળ દાવેદાર છે પણ બૉલરો યોગ્ય પ્રદર્શન કરશે તો.રહાણેએ સિએટ ક્રિકેટ રેટિંગ્સ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ સમારોહમાં કહ્યું કે, ભારતીય ટીમની સૌથી મોટી તાકાત તેની બૉલિંગ આક્રમણ છે અને આ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
રહાણેએ કહ્યું કે, અમારુ બૉલિંગ આક્રમણ ખુબ મજબૂત છે. ટીમની સ્પિન અને પેસ બન્ને ખુબ અનુભવી છે. સારી વાત છે કે, અમારા બધા બૉલરો વિકેટ લેવાનું જાણે છે, અને જે ટીમની પાસે વિકેટ લેવાવાળા બૉલરો હોય છે, તેમનો ચાન્સ વધી જાય છે. અમારી પાસે આવજ બૉલર્સ છે, જે કોઇપણ પરિસ્થિતમાં વિકેટ કાઢી આપે છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના 15 સભ્યોમાં અંજિક્યે રહાણેને સ્થાન નથી મળી શક્યુ.
રહાણેએ કહ્યું કે, અમારુ બૉલિંગ આક્રમણ ખુબ મજબૂત છે. ટીમની સ્પિન અને પેસ બન્ને ખુબ અનુભવી છે. સારી વાત છે કે, અમારા બધા બૉલરો વિકેટ લેવાનું જાણે છે, અને જે ટીમની પાસે વિકેટ લેવાવાળા બૉલરો હોય છે, તેમનો ચાન્સ વધી જાય છે. અમારી પાસે આવજ બૉલર્સ છે, જે કોઇપણ પરિસ્થિતમાં વિકેટ કાઢી આપે છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના 15 સભ્યોમાં અંજિક્યે રહાણેને સ્થાન નથી મળી શક્યુ.
વધુ વાંચો





















