શોધખોળ કરો

IND vs SA: ભારત- દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટી20 પર સંકટના વાદળો, સ્ટેડિયમમાં નથી લાઈટ

IND vs SA: કેરળ ક્રિકેટ એસોસિએશન, મેગા ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે, જ્યાં લગભગ 50,000 દર્શકોની રેકોર્ડ ભીડની અપેક્ષા છે. પરંતુ મેચ પહેલા KCAએ આ સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી છે.

India vs South Africa:  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ T20 મેચ તિરુવનંતપુરમના ભવ્ય ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પર સંકટના વાદળો છવાયેલા છે. મેચ પહેલા, કેરળ રાજ્ય વીજળી બોર્ડ (KSEB) બાકી વીજળી બિલને લઈને ચિંતિત છે.

ભવ્ય ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ભારત સામેની પ્રથમ T20 ક્રિકેટ મેચ માટે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમની યજમાની કરવા માટે તૈયાર છે. પરંતુ કેરળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ (KSEB) એ બિલની ચુકવણી ન કરવા બદલ વીજ પુરવઠો કાપી નાખ્યો છે. શેડ્યૂલ અનુસાર, ત્રણ શ્રેણીની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ અહીં 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.

KSEBના રૂ. 2.50 કરોડના લેણાં સાથે, કેરળ વોટર ઓથોરિટી પણ પાણી પુરવઠો બંધ કરવાની ધમકી આપી રહી છે. જો જોવામાં આવે તો, નબળી આર્થિક સ્થિતિના કારણે સ્ટેડિયમના માલિકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. આમાં કોરોના મહામારીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA), મેગા ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે, જ્યાં લગભગ 50,000 દર્શકોની રેકોર્ડ ભીડની અપેક્ષા છે. પરંતુ મેચ પહેલા KCAએ આ સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. સ્ટેડિયમમાં પાવર ફેલ થયા બાદ તેની સમીક્ષા માટે બેઠક બોલાવવામાં આવી હતી. KCAને આશા છે કે વસ્તુઓનો ઉકેલ લાવશે અને ટૂંક સમયમાં પાવર પુનઃસ્થાપિત થશે. કારણ કે, KCA રાજ્ય સરકારના હસ્તક્ષેપની અપેક્ષા રાખે છે.

અત્યાર સુધીમાં, ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરી ચૂક્યું છે જેમાં ભારતનો 3-1થી જીતનો રેકોર્ડ છે. ઘરઆંગણે ટીમ અહીં વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી મેચમાં હારી ગઈ હતી. સ્ટેડિયમની વાત કરીએ તો તેની સ્થાપના 2015ની નેશનલ ગેમ્સ માટે કરવામાં આવી હતી.

ભારત-પાકિસ્તાન સહિત 13 દેશોએ કરી છે ટીમની જાહેરાત

સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ રીતે અત્યાર સુધીમાં 13 ટીમોએ ટી20 વર્લ્ડ કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. જો કે, હજુ સુધી 3 દેશોએ ICC દ્વારા નિર્ધારિત સમય-મર્યાદા સુધી તેમની ટીમની જાહેરાત કરી નથી. વાસ્તવમાં ન્યુઝીલેન્ડ સિવાય આયર્લેન્ડ, સ્કોટલેન્ડે પણ પોતાની ટીમની જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાન સહિત 16 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો સીધી ક્વોલિફાય થઈ છે. જ્યારે બાકીની 8 ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડ રમશે. જે બાદ ફરીથી 4 ટીમ સુપર-4માં જોડાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget