શોધખોળ કરો

બીજી ટેસ્ટઃ પ્રથમ ઇનિંગમાં 242 રનમાં ઓલઆઉટ ટીમ ઇન્ડિયા, ન્યૂઝિલેન્ડે વિના વિકેટે 63 રન ફટકાર્યા

ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાઇ રહી છે. ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં   242 રન બનાવી ઓલઆઉટ થઇ  ગઇ છે. ટીમ ઇન્ડિયા તરફથી હનુમા વિહારીએ સૌથી વધુ 55 રન ફટકાર્યા હતા જ્યારે પૂજારા અને પૃથ્વી શોએ 54-54 રન ફટકાર્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી કાઇલ જેમિસને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય ટીમ સાઉથી અને ટ્રેન્ડ બોલ્ટે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે વેગનરે  એક વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ન્યૂઝિલેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 63 રન બનાવી લીધા હતા. ટોમ લાથમ 27 અને ટોમ બ્લંડેલ 29 રને રમતમાં હતા ટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગમાં પૃથ્વી શો અને મયંક અગ્રવાલની જોડી ઉતરી હતી. મયંક અગ્રવાલ બીજી ટેસ્ટમાં પણ નિષ્ફળ રહ્યો હતો અને સાત રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. બાદમાં પૂજારા અને પૃથ્વી શોએ મોરચો સંભાળ્યો હતો. બંન્ને વચ્ચે બીજી વિકેટ માટે  50 રનની ભાગીદારી કરી હતી. જોકે, પૃથ્વી શો 54 રન બનાવી આઉટ થતા આ જોડી તૂટી હતી. બીજી ટેસ્ટમાં પણ કેપ્ટન કોહલીનું ખરાબ ફોર્મ યથાવત રહ્યુ હતું અને તે ત્રણ રનના અંગત સ્કોર પર સાઉથીનો શિકાર બન્યો હતો. પ્રથમ ટેસ્ટમાં કમાલ કરી શકનાર વાઇસ કેપ્ટન રહાણે આ મેચમાં ચાલ્યો નહી અને તે સાઉદીની ઓવરમાં સાત રન પર આઉટ થયો હતો. રહાણેના આઉટ થયા બાદ પૂજારા અને વિહારીએ શાનદાર બેટિંગ કરી. બંન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 81 રનની પાર્ટનરશીપ થઇ હતી. જોકે વિહારી 55, પૂજારા 54 રન બનાવી આઉટ થયા હતા. ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં બે ફેરફાર કર્યા છે. ઇશાંત શર્માના સ્થાને ઉમેશ યાદવ અને અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતાર્યો છે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?Hun To Bolish : હું તો બોલીશ : ખાદી અને ખાખી વચ્ચે વિવાદો કેમ?Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીકમાં કેમ આપવામાં આવે છે ટેડી, જાણો કારણ?
Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીકમાં કેમ આપવામાં આવે છે ટેડી, જાણો કારણ?
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
Embed widget