શોધખોળ કરો

વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન

icc loan west indies: ભારે આર્થિક સંકટનો સામનો કરી રહેલા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડને આ મોટી નાણાકીય સહાયથી નવું જીવન મળશે, જાણો બોર્ડની વર્તમાન આર્થિક સ્થિતિ અને લોન પાછળનું ગણિત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ICC એ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને $12.82 મિલિયન લોન મંજૂર કરી.
  • વેસ્ટ ઈન્ડિઝ બોર્ડ ગંભીર આર્થિક સંકટ, આવક ઘટવાથી મુશ્કેલીમાં.
  • આગામી વર્ષે $28 મિલિયનથી વધુ નુકસાનનો અંદાજ છે.

icc loan west indies: ક્રિકેટ જગતમાં અત્યારે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ કપરા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેમની વહારે આવી છે. તાજેતરમાં જ સ્કોટલેન્ડના એડિનબર્ગ ખાતે ICC ના અધ્યક્ષ જય શાહની આગેવાનીમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને ફરી બેઠું કરવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં બોર્ડને મદદરૂપ થવા માટે 12.82 મિલિયન યુએસ ડોલર (જે ભારતીય ચલણ મુજબ લગભગ 123 કરોડ રૂપિયા થાય છે) ની જંગી લોન મંજૂર કરવામાં આવી છે.

આ મોટી નાણાકીય સહાયથી કંગાળ થઈ રહેલા બોર્ડને ઘણો મોટો ટેકો મળશે. છેલ્લા કેટલાક સમયથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ સતત ઘટતી આવક, રોકડ અનામતમાં થઈ રહેલા ઘટાડા અને વર્ષ 2026 માં થનારા સંભવિત મોટા નુકસાનની ચિંતા સાથે ઝઝૂમી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા ICC એ લોન આપતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે આ રકમનો મુખ્ય હેતુ પોતાના "સભ્ય બોર્ડને પડકારજનક સમયમાં સપોર્ટ કરવાનો" છે.

લોનની શરતો અંગે કોઈ ખુલાસો નહીં

જોકે, આ મામલે એક વાત ખાસ નોંધવા જેવી છે કે ICC એ લોન ચૂકવવાનો સમયગાળો, તેના પર લાગતો વ્યાજ દર, સિક્યુરિટી વ્યવસ્થા કે અન્ય કોઈ શરતો વિશે સત્તાવાર રીતે કોઈ ખુલાસો કર્યો નથી. હવે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ આ ફંડનો ઉપયોગ પોતાના ક્રિકેટના સ્તરને સુધારવા માટે કેવી રીતે કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ બોર્ડ માટે આ સ્થિતિ નવી નથી; બોર્ડને આ પહેલા પણ આવી નાણાકીય મદદ ઘણી વખત મળી ચૂકી છે.

આ પણ વાંચોઃ હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યું છે બોર્ડ

હાલમાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટની આર્થિક સ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ તેમના તાજેતરના ખાતાકીય આંકડાઓ પરથી જ લગાવી શકાય છે. 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થતા વર્ષ માટે બોર્ડના ઓડિટેડ રિપોર્ટમાં 28.14 મિલિયન યુએસ ડોલર (આશરે 270 કરોડ રૂપિયા) નું મોટું નુકસાન દર્શાવવામાં આવ્યું છે. જ્યારે તેની સામે પાછલા નાણાકીય વર્ષમાં બોર્ડે 23.12 મિલિયન યુએસ ડોલર (આશરે 222 કરોડ રૂપિયા) નો નફો કર્યો હતો.

બોર્ડની આવક અને જાવકના આંકડાઓ પણ ચિંતાજનક છે. બોર્ડની કુલ આવક વર્ષ 2024 માં 88.35 મિલિયન યુએસ ડોલર (આશરે 850 કરોડ રૂપિયા) હતી, જે 2025 માં 53 ટકાના ભારે ઘટાડા સાથે માત્ર 40.89 મિલિયન યુએસ ડોલર (આશરે 393 કરોડ રૂપિયા) થઈ જવાનો અંદાજ છે. બીજી તરફ, ટીમ પ્રવાસ અને ટુર્નામેન્ટના ખર્ચાઓ ઘટવાના બદલે 36.85 મિલિયન યુએસ ડોલર (આશરે 354 કરોડ રૂપિયા) થી વધીને 41.59 મિલિયન યુએસ ડોલર (આશરે 400 કરોડ રૂપિયા) થઈ ગયા છે, જે બોર્ડની નાણાકીય મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’

Frequently Asked Questions

ICC એ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને લોન શા માટે આપી?

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઘટતી આવક, રોકડ અનામતમાં ઘટાડો અને 2026 માં સંભવિત મોટા નુકસાનને કારણે ICC એ તેમને મદદ કરી છે.

ICC એ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડને કેટલી લોન મંજૂર કરી છે?

ICC એ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડને 12.82 મિલિયન યુએસ ડોલર (લગભગ 123 કરોડ રૂપિયા) ની લોન મંજૂર કરી છે. આ નિર્ણય જય શાહની આગેવાની હેઠળની AGM માં લેવાયો હતો.

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડની વર્તમાન આર્થિક સ્થિતિ કેવી છે?

બોર્ડને 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થતા વર્ષ માટે 28.14 મિલિયન યુએસ ડોલરનું મોટું નુકસાન દર્શાવવામાં આવ્યું છે. તેમની આવકમાં 53% નો ઘટાડો થયો છે જ્યારે ખર્ચ વધ્યા છે.

ICC દ્વારા મંજૂર કરાયેલી લોનની શરતો વિશે કોઈ ખુલાસો કરાયો છે?

ના, ICC એ લોન ચૂકવવાનો સમયગાળો, વ્યાજ દર, સિક્યુરિટી વ્યવસ્થા કે અન્ય કોઈ શરતો વિશે સત્તાવાર રીતે કોઈ ખુલાસો કર્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Advertisement

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget