શોધખોળ કરો

ચેમ્પિયન્સ ટ્રૉફીનું કોકડું ગૂંચવાયું, ભારતનો હાથ ઉપર રહેતા ICC સામે હવે આ 3 ઓપ્શન ?

ICC Meeting on Champions Trophy 2025: આ વર્ચ્યૂઅલ મીટિંગમાં ICCના તમામ 12 પૂર્ણ સભ્યો અને 3 સહયોગી સભ્યો ભાગ લેશે. ICC અધ્યક્ષ સહિત વોટિંગ સભ્યોની સંખ્યા 16 થઈ જાય છે

ICC Meeting on Champions Trophy 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને કારણે ચેમ્પિયન્સ ટ્રૉફી ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. એક તરફ BCCI છે જેણે પોતાની ટીમને સરહદ પાર મોકલવાનો ઈન્કાર કરી દીધો છે, તો બીજીતરફ પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (PCB) એ પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તે સમગ્ર ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં આયોજિત કરવા માંગે છે. આ સિવાય PCB પણ હાઇબ્રિડ મૉડલ સ્વીકારવા તૈયાર નથી. દરમિયાન ICCએ 29મી નવેમ્બરે એટલે કે આજે એક બેઠક બોલાવી છે. ચાલો જાણીએ કે આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ શકે છે?

આ વર્ચ્યૂઅલ મીટિંગમાં ICCના તમામ 12 પૂર્ણ સભ્યો અને 3 સહયોગી સભ્યો ભાગ લેશે. ICC અધ્યક્ષ સહિત વોટિંગ સભ્યોની સંખ્યા 16 થઈ જાય છે. એવી અટકળો છે કે બેઠકમાં ત્રણ વિષયો પર ચર્ચા થઈ શકે છે.

હાઇબ્રિડ મૉડલ 
જો કે PCB કહે છે કે તે હાઇબ્રિડ મૉડલને નકારે છે, પરંતુ તાજેતરમાં હાઇબ્રિડ મૉડલ પર ચર્ચાઓ તેજ થઈ છે. જો હાઇબ્રિડ મૉડલ લાગુ કરવામાં આવે તો ભારતની મેચ UAEમાં યોજાય તેવી અટકળો છે. હાઇબ્રિડ મૉડલ અપનાવવા માટે ઘણી આશા છે કારણ કે આ સાથે પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રૉફીની યજમાની છોડવી પડશે નહીં, જ્યારે ભારતે સુરક્ષા વ્યવસ્થા વિશે વિચારવું પડશે નહીં. પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી, તેથી અન્ય વિકલ્પો પર પણ બેઠકમાં વિચારણા કરવામાં આવશે.

પાકિસ્તાનમાં રમાય ભારત-પાકિસ્તાન મેચ 
પાકિસ્તાન તરફથી એવી માંગ થઈ શકે છે કે જ્યારે પણ ભારત-પાક મેચ યોજાય છે, તે પાકિસ્તાનમાં જ રમાય. આ સિવાય PCB એવી પણ માંગ કરી શકે છે કે ફાઈનલ પણ પાકિસ્તાનમાં જ રમવી જોઈએ. ભારતીય ટીમે સરહદ પાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હોવાથી, ભારત-પાક મેચ પાકિસ્તાનમાં યોજવાનો વિકલ્પ રદ થઈ શકે છે.

આખી ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર 
જો પાકિસ્તાન કોઈપણ સંજોગોમાં હાઇબ્રિડ મૉડલને સ્વીકારતું નથી, તો ICCને પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રૉફીની યજમાની પાછી ખેંચવાની ફરજ પડી શકે છે. આવી સ્થિતિમાં સમગ્ર ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર શિફ્ટ થઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો આવી સ્થિતિ સર્જાય તો શ્રીલંકાને ચેમ્પિયન્સ ટ્રૉફીની યજમાની કરવાની તક આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો

IPL 2025 Auction: મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો, ડેવિડ મિલર 7.5 કરોડમાં વેચાયો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot McDonald's negligence:ઓનલાઇન ફૂડ મંગાવનાર લોકો માટે ચેતવણીરૂપ કિસ્સોLion attack: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગના આતંકથી દહેશત, સિંહનો ખેડૂત પર હુમલોCongress Stages Walkout: કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટPM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાનો સનસનીખેજ આરોપ
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
Vadodara: વરઘોડામાં જોરજોરથી DJ વાગતા વરરાજા વિરૂદ્ધ ફરિયાદ, જાનૈયાઓ સાથે 28 સ્પીકરોનો કાફલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
ગાડીઓની એન્ટ્રી બંધ, રેલવે સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા, મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Somnath Mandir: મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Assembly: દિલ્હીમાં દારૂ નીતિ બદલવાથી 2000 કરોડથી વધુનુ નુકસાન, CAG ના રિપોર્ટમાં મોટા ખુલાસા
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Delhi Anti Sikh Riots: શીખ રમખાણ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને ઉંમરકેદ, કહ્યું- 'હું 80 વર્ષનો થઇ ચૂક્યો છું અને...'
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
કોંગ્રેસનું વૉકઆઉટઃ આદિવાસીઓની પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મદ્દે હોબાળા સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાંથી નીકળી ગ્યાં બહાર
Embed widget