શોધખોળ કરો

R Ashwin: આર અશ્વિન માટે વર્લ્ડકપનો ખુલ્યો દરવાજો, 20 મહિના બાદ થઈ વાપસી, ઓસ્ટ્રેલિયા સીરિઝમાં સાબિત કરવો પડશે દમ

આર અશ્વિન તેની અંતિમ વન ડે 21 જાન્યુઆરી, 2022ના રોજ સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો.

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની 3 વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ભારતીય ટીમમાં અનુભવી ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનની વાપસી થઈ છે અને ભારતનું સ્પિન એટેક મજબૂત થયું છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ આ શ્રેણીની પ્રથમ 2 મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની પ્રથમ 2 મેચમાં નહીં રમે. આ સિવાય વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવ્યો છે.

જોકે, એવું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં તેની વાપસી બાદ રવિ અશ્વિન માટે વર્લ્ડ કપના દરવાજા ખુલી ગયા છે. જોકે, આર અશ્વિન માટે વર્લ્ડ કપની ટીમમાં પ્રવેશ આસાન નહીં હોય. વર્લ્ડ કપની ટીમમાં પ્રવેશવા માટે અશ્વિને ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કરવું પડશે. આ પહેલા ભારતીય ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. અશ્વિન ભારતીય એશિયા કપ ટીમનો ભાગ નહોતો.

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 મેચ માટે ભારતીય ટીમ-

કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણ, રવિ અશ્વિન અને વોશિંગ્ટન સુંદર.

શ્રેણીની પ્રથમ વનડે મોહાલીમાં રમાશે

ભારત ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. આ શ્રેણીની બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે. જ્યારે ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝની છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાવાની છે. ત્રણેય મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.

વર્લ્ડકપ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝ ઘણી મહત્વની 

આ પછી ICC ODI વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. વર્લ્ડ કપનું આયોજન ભારતની ધરતી પર થવાનું છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે.

આર અશ્વિનનો કેવો છે દેખાવ

આર અશ્વિને અત્યાર સુધીમાં ભારત તરફથી 113 વન ડે રમી છે. જેમાં 151 વિકેટ ઝડપી છે. 25 રનમાં 4 વિકેટ તેનો શ્રેષ્ઠ દેખાવ છે. જ્યારે બેટિંગમાં તેનો સર્વોચ્ચ સ્કોર 65 રન છે. આર અશ્વિન તેની અંતિમ વન ડે 21 જાન્યુઆરી, 2022ના રોજ સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget