શોધખોળ કરો

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પડતી મૂકાયેલી પાંચમી ટેસ્ટ ક્યારે રમાશે ? બંને બોર્ડના નિર્ણયથી લાગી જશે આંચકો........

 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ વચ્ચ થયેલી વાતચીત મુજબ ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે ઉનાળામાં ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ મેચ રમશે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી સહિત સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવતા ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચમી ટેસ્ટ રદ્દ કરવામાં આવી હતી.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ વચ્ચ થયેલી વાતચીત મુજબ ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષે ઉનાળામાં ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટ મેચ રમશે.

ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, આ મેચ પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો હિસ્સો હશે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. ભારત આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં ત્રણ વન ડે અને પાંચ ટી-20 ઈન્ટરનેશનલ રમવા જવાનું છે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બે ટી-20 ઘટાડવામાં આવી શકે છે. પરંતુ લેટેસ્ટ અહેવાલ મુજબ ટેસ્ટ મેચ માટે કોઈ મેચ પર કાપ નહીં મુકવામાં આવે.

આ મેચ સીરિઝની પાંચમી મેચ ગણાશે કે નહીં તે અંગે કોઈ જાણવા મળ્યું નથી. પરંતુ તેનાથી ઈંગ્લેન્ડને ભારત સામે રદ્દ થયેલી પાંચમી ટેસ્ટના નુકસાનની ભરપાઈમાં મદદ મળશે.

ક્યારે રમાવાનો હતો મુકાબલો

કોરોનાના ખોફના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ રદ્દ કરવામાં આવી હતી. આ મુકાબલો 10 થી 14 સપ્ટેમ્બર સુધી રમાવાનો હતો. અંતિમ ટેસ્ટ રદ્દ થવાના કારણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને આશરે 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ભારે નુકસાનને જોતાં ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અંતિમ ટેસ્ટ રદ્દ કરવલાના પક્ષમાં નહોતું, ભારતીય ખેલાડીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને મેચને બે દિવસના વિલંબ બાદ શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ રિપોર્ટ્સ મુજબ ભારતીય ખેલાડીઓએ કોરોનાના ડરથી અંતિમ ટેસ્ટ રમવા નહોતા માંગતા.

5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 4 મેચ બાદ ભારતની શું છે સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત પાંચ મેચનીશ્રેમીમાં 2-1થી આગળ થઈ ગયું હતું. ભારત ઓવલમાં 50 વર્ષ બાદ ટેસ્ટ મેચ જીત્યું હતું. ઓવલમાં રમાયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ જીત માટે 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે અંગ્રેજ ટીમ 210 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 2-1ની લીડ લીધી હતી. ભારત છેલ્લે આ મેદાન પર 1971માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં જીત્યું હતું. આ જીતની સાથે ભારત પોઇન્ટ ટેબલમાં 26 અંક સાથે ટોપ પર પહોંચી ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
Embed widget