શોધખોળ કરો

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે બે બે હાથ કરવા લખનૌ પહોંચી ટીમ ઈન્ડિયા, હોટેલમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

World Cup 2023 India vs England:  વર્લ્ડ કપ 2023માં ભારતની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ 29 ઓક્ટોબરે રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા લખનૌ પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે.

World Cup 2023 India vs England:  વર્લ્ડ કપ 2023માં ભારતની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ 29 ઓક્ટોબરે રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા લખનૌ પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સહિત ઘણા ખેલાડીઓ બસમાંથી ઉતરતા જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને સેમીફાઈનલની ઘણી નજીક છે.

 

વાસ્તવમાં BCCIએ X (Twitter) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લખનૌમાં બસમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે. ભારતીય ખેલાડીઓનું અહીં વિશેષ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને પુષ્પમાળા પહેરાવવામાં આવી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલ પણ જોવા મળ્યા હતા. ખેલાડીઓ પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. ટીમમાં શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી પણ જોવા મળ્યા હતા.

 

લખનૌમાં રમાનારી મેચ ભારતની સાથે સાથે ઈંગ્લેન્ડ માટે પણ ઘણી મહત્વની રહેશે. ટીમ ઈન્ડિયા ફોર્મમાં છે અને લાગે છે કે તેનો હાથ ઉપર છે. રોહિતની કપ્તાનીવાળી ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં હજુ સુધી એક પણ મેચ હારી નથી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ચારમાંથી ત્રણ મેચ હારી છે. તેણે માત્ર એક જ મેચ જીતી છે. હવે તેના માટે લખનૌમાં ભારત સામે જીત મેળવવી આસાન નહીં હોય. ઈંગ્લેન્ડને છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 229 રને હરાવ્યું હતું. આ પહેલા ન્યૂઝીલેન્ડે 9 વિકેટે અને અફઘાનિસ્તાનને 69 રનથી હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ રમી શક્યો ન હતો. હવે આગામી વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાની વાપસીને લઈને નવું અપડેટ સામે આવ્યુ છે.

આ અપડેટ મુજબ, હાર્દિક પંડ્યા 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની આગામી મેચમાં રમી શકશે નહીં. બીસીસીઆઇના એક અધિકારીને ટાંકીને રિપોર્ટ જાહેર કરાયો હતો. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે, પરંતુ BCCI આ મેચ વિજેતા ખેલાડીના મામલે કોઈ ઉતાવળ કરવા માંગતું નથી. બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે 'હાર્દિક કદાચ લખનઉમા ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમી શકશે નહીં. તેની ઈજા ગંભીર નથી. સાવચેતીના પગલારૂપે જ તેને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Embed widget